
કોરોના થયાના કેટલા દિવસ પછી વેક્સિન લેવાય? બધા જ પ્રશ્નોના જવાબ
posted on at
ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં પ્રતિદિવસ 3-4 લાખ કોવિડ કેસો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે, 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અનેક લોકોના મનમાં પ્રશ્ન છે કે, કોરોનાથી સંક્રમિત થયા પછી ક્યારે વેક્સિન લેવી યોગ્ય રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, તમારે સંક્રમણના કેટલા દિવસ પછી વેક્સિન લગાવવી જોઈએ, જાણો:
મને હાલમાં કોવિડ સંક્રમણ છે. હું ક્યારે વેક્સિન લગાવી શકું છું?
એવી સલાહ આપવામાં આવી રહી છે કે, વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવા માટે કોવિડથી 14 દિવસની રિક્વરી પછી બેથી આઠ સપ્તાહની રાહ જોવી જોઈએ.
તે ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખો કે, કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ભલે પહેલા સંક્રમણ થયું હોય.
મને હજું સધી ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી, પરંતુ લક્ષણ કોવિડના છે. શું હું વેક્સિન લગાવી શકું છું?
નહીં. જો તમારામાં કોવિડ-19ના લક્ષણ છે તો તમે વેક્સિન લગાવી શકો નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર બીજા લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. લક્ષણના ખત્મ થયાના ઓછામાં ઓછા બે સપ્તાહ પછી વેક્સિન લઈ શકાય છે.
મેં વેક્સિનનો એક ડોઝ લીધો છે, પરંતુ આગામી ડોઝથી પહેલા કોવિડ થઈ ગયો. શું હું બીજો ડોઝ લઈ શકું છું?
હાં. તમારે રસી ચોક્કસ રીતે લેવી જોઈએ. જોકે, તમે બધી જ રીતે રિક્વર થાવ ત્યાર સુધી રાહ જોવી પડશે, રિક્વરીના ઓછામાં ઓછા ચાર સપ્તાહ પછી બીજો ડોઝ લઈ શકો છો.
કોવૈક્સિનનો બીજો ડોઝ 28 દિવસોમાં લઈ લેવાનો છે. જો હું 28 દિવસના ગાળામાં લેવામાં સફળ ના થયો તો?
જો તમે પોતાની કોવિડ વૈક્સિનની તારીખ મિસ કરી દીધી છે, તો તમે બીજી વખત એપોઈન્ટમેન્ટ લઈ શકો છો. કોશિશ કરો કે, વેક્સિનનો બીજો ડોઝ, પ્રથમ ડોઝના 28થી 42 દિવસની અંદર લઈ લો.
કોવિશીલ્ડ વૈક્સિનના બીજા ડોઝમાં કેટલો અંતર હોવો જોઈએ?
કોવિશીલ્ડ વૈક્સીનનો પ્રથમ ડોઝ લીધા પછી, બીજો ડોઝ છથી આઠ સપ્તાહન વચ્ચે લઈ શકાય છે.
વૈક્સિન લીધા પછી જો મને કોવિડ સંક્રમણ થાય છે, તો મારા થકી તે ચેપ બીજાઓને લાગી શકે છે?
હાં. વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ જો તમને કોવિડ થયો છે, તો તમે આનાથી બીજા લોકોને સંક્રમિત કરી શકો છો. કોવિડ સંક્રમણ થયા પછી તરત જ પોતાને આઈસોલેટ કરો અને હંમેશા માસ્ક પહેરેલો રાખો.
શું કોવિડ સંક્રમણ પછી વૈક્સિનનો બીજો ડોઝ લેવાથી વેક્સિનની એફિશિએસી ઓછી થઈ જશે?
આ સંબંધમાં અત્યાર સુધી વધારે સ્ટડીઝ થઈ નથી. જોકે, ડોક્ટરો વારં-વાર કહી રહ્યાં છે કે, વૈક્સિનના બંને ડોઝને કોવિડના પરમાનેન્ટ સારવારના રૂપમાં જોવા જોઈએ નહીં. વૈક્સિનથી બિમારીની ગંભીરતામાં ઘટાડો થાય છે.
- કોરોના રસીકરણ માટે લોકોમાં પડાપડી
- કોવિન પોર્ટલ પર માત્ર 3 જ કલાકમાં 80 લાખ જેટલાનું રજીસ્ટ્રેશન
- 1 મેથી શરૂ થઈ રહ્યું છે રસીકરણ અભિયાન
1 મેથી યોજાનારા આગામી તબક્કાના રસીકરણ અભિયાનમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો તમામ લોકો રસી લઈ શકશે. આ માટે બુધવારે સાંજે ચાર વાગ્યાથી કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉત્સુક છે. જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે 35 લાખ લોકોએ એક કલાકની અંદર જ રસીકરણ માટે નોંધણી કરાવી લીધી હતી.
ત્રણ કલાકમાં લગભગ 80 લાખ લોકોનું રજીસ્ટ્રેશન
જો કે તે જ સમયે, લગભગ 80 લાખ લોકોએ શરૂઆતના ત્રણ કલાકમાં રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. આ તબક્કામાં, 18-44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવશે. શરૂઆતના સમયગાળામાં, કોવિન વેબસાઇટ પર કેટલીક સમસ્યાઓ સામે આવી હતી, પરંતુ પછીથી તે વ્યવસ્થિત થઈ ગયું હતું.
જો કે, નોંધણી કરાવનારા ઘણા લોકોએ રસી માટે હોસ્પિટલની લિસ્ટ જોઈ ન હતી. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ આ પાછળનું કારણ આપ્યું અને કહ્યું કે લોકો ક્યારે હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લઈ શકશે.
રસી સ્લોટ્સ રાજ્યો પર નિર્ભર રહેશે
શર્માએ જણાવ્યું હતું કે કઇ હોસ્પિટલમાં લોકોને રસી અપાવવા માટે કેટલા સ્લોટ મળે છે, તે રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો પર નિર્ભર રહેશે. જ્યારે રાજ્ય અને ખાનગી હોસ્પિટલ કેન્દ્રો રસીના ભાવ વિશેની માહિતી પૂરી પાડશે, ત્યારે લોકોને રસી લેવા માટેની એપોઇન્ટમેન્ટ મળશે. ઘણા રાજ્યોમાં, તે 1 મેથી શરૂ થશે, જ્યારે કેટલાક રાજ્યો જેવા કે રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરેમાં થોડો વિલંબ થશે.
કોવિશિલ્ડ રસીના ભાવમાં ઘટાડો
તે જ સમયે, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ રસીની કિંમત ઘટાડવાની જાહેરાત કરી હતી. પૂનાવાલાએ કોવિશિલ્ડના નવા ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે તેઓ રાજ્ય સરકારોને આપશે. હવે રાજ્ય સરકારને 400 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયામાં કોવિશિલ્ડનો ડોઝ મળશે, જે સરકારના કરોડો રૂપિયાની બચત કરશે. એકવાર રાજ્ય સરકારો રસી મેળવી લેશે, ત્યારબાદ કોવિન પર રસીકરણ માટેના સ્લોટ્સ ઉપલબ્ધ થશે.
No comments:
Post a Comment