Search This Website

Sunday, December 19, 2021

Covid-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ, અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી




Covid-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ, અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી











 

રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે. જેની સામે 74 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.




વિશ્વમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોને હવે અમદાવાદમાં પણ એન્ટ્રી મારી છે. અમદાવાદ લંડનથી આવેલો મુસાફર શંકાસ્પદ લાગતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ સિવિલની મેડિસીટીમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે.

લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. હાલમાં આ દર્દી સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.




કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂરત છે.
Read More »

ખૂન નો બદલો ખૂનથી લઇ રહ્યા છે બંદર! એક-એક કરીને મારી નાખ્યા 250 કુતરા, જાણો અજીબ ઘટના


ખૂન નો બદલો ખૂનથી લઇ રહ્યા છે બંદર! એક-એક કરીને મારી નાખ્યા 250 કુતરા, જાણો અજીબ ઘટના



કુતરા, જાણો અજીબ ઘટના

મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં (Beed District) વાંદરાઓનો (Monkey)બદલો લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે

  એક મહિના પહેલા કુતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું આ પછી વાંદરાઓએ બદલો લેવા માટે કુતરાના બચ્ચાને મારવાના શરૂ કરી દીધા
 
 

બીડ : મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં (Beed District) વાંદરાઓનો (Monkey)બદલો લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિના પહેલા કુતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. આ પછી વાંદરાઓએ બદલો લેવા માટે કુતરાના બચ્ચાને મારવાના શરૂ કરી દીધા છે. છેલ્લા એક મહિનામાં વાંદરાઓએ લગભગ 250 કુતરાને ઉંચાઇથી ફેંકીને મારી નાખ્યા (monkeys killed puppies)છે. હવે નાના બાળકો ઉપર પણ હુમલો શરૂ કર્યો છે.

મામલો બીડ જિલ્લાનો છે. અહીં છેલ્લા એક મહિનાથી વાંદરાઓએ આતંક મચાવેલો છે. તેમને કુતરાનું બચ્ચું જોવા મળે તો તે ઉઠાવી જાય છે અને કોઇ ઉંચા સ્થાન પર લઇ જઈને નીચે ફેંકી દે છે. બતાવવામાં આવી રહ્યું છે કે વાંદરાઓએ આ રીતે છેલ્લા એક મહિનામાં કુતરાના લગભગ 250 બચ્ચાને મારી નાખ્યા છે. માજલગામથી લગભગ 10 કિલોમીટર દૂર લવૂલ ગામ છે. લગભગ પાંચ હજારની વસ્તીવાળા આ ગામમાં હવે કુતરાનું કોઇ બચ્ચું જોવા મળતું નથી. વાંદરાઓને પકડવા માટે ગામના લોકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગવાળા વાંદરાને પકડવા માટે આવ્યા હતા પણ પકડાયા નથી.
વાંદરોઓનો બદલો!

ગામના લોકોનું કહેવું છે કે વાંદરા આવું બદલો લેવાના ઇરાદાથી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેની શરૂઆત કુતરાએ એક વાંદરાના બચ્ચાને મારી નાખી પછી થઇ છે. પોતાના બચ્ચાના મોતનો બદલો લેવા માટે વાંદરાઓએ કુતરાના બચ્ચાને ઉઠાવી જતા હતા અને તેને ઉંચી ઇમારત કે ઝાડ પર લઇ જઈને ત્યાંથી નીચે ફેંકી દેતા હતા.

વન વિભાગની નિષ્ફળતા પછી વાંદરાઓના આતંકથી કુતરાને બચાવવા માટે ગામના લોકોએ પોતાના સ્તર પર પ્રયત્ન કર્યો હતો. જોકે આવું કરવું લોકો માટે જાનલેવા સાબિત થઇ રહ્યું છે. ઉંચાઇવાળી ઇમારત પર પહોંચ્યા પછી વાંદરા તેમની ઉપર પણ હુમલો કરી રહ્યા છે. આ કારણે કેટલાક લોકો વાંદરાના હુમલાના કારણે ઉંચાઇથી નીચે પડવાના કારણે ઇજાગ્રસ્ત થયા છે.


વાંદરાઓએ છેલ્લા એક મહિનામાં ગામના મોટાભાગના કુતરાના બચ્ચાને મારી નાખ્યા છે. હવે ગામમાં નહીં બરાબર કુતરાના બચ્ચા છે. જેથી વાંદરાએ હવે બાળકોને નિશાન બનાવવા શરૂ કર્યા છે. ખાસ કરીને સ્કૂલે જતા બાળકો પર આ પ્રકારનો હુમલા થઇ રહ્યા છે. જેના કારણે ગામમાં ડરનો માહોલ છે.
Read More »

Monday, December 13, 2021

21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ભારતને જિતાડવા મારો જીવ રેડી દઈશ’





21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ભારતને જિતાડવા મારો જીવ રેડી દઈશ’



ગૌરવ:21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ભારતને જિતાડવા મારો જીવ રેડી દઈશ’

💥🌐🌀 Miss India Harnaz Sandhu is New Miss Universe - 2021

🌐🌀 India won after 21 years.

🌐🌀 ભારતની હરનાઝ સંધૂ બની મિસયુનિવર્સ-2021.

મિસ યુનિવર્સ miss universe worldwideવિશે વધુ જણાવા અહીં ક્લિક કરો




🌐🌀 21 વર્ષની અને પંજાબના ચંડીગઢ નિવાસી હરનાઝ આ તાજ જીતનાર ભારતની ત્રીજી સુંદરી બની છે.

🌐🌀 સુસ્મિતા સેને 1994 માં અને લારા દત્તાએ 2000 માં આ તાજ જીત્યો હતો.

🇳🇪🇳🇪 ભારત માટે સૌથી યાદગાર ક્ષણ

🌐🌀 Miss Universe - 2021






વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતોભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં થયું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો. હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ.


List of Miss Universe winners from India

YearWinnerBrief Description
1994 Sushmita Sen

She was born on 19 November 1975. She is an Indian actress, model, and the winner of the Miss Universe 1994 pageant.

She was crowned Femina Miss India 1994 at the of 18.

She is the first Indian to win the competition.

She also won the Filmfare Award for Best Supporting Actress for her performance in the comedy film Biwi No. 1.

She was also nominated in the category for her roles in Sirf Tum (1999) and Filhaal... (2002).
2000 Lara Dutta

She was born on 16 April 1978. She is an Indian actress, entrepreneur, and the winner of the Miss Universe 2000 pageant

She was crowned as Miss Intercontinental in 1997.

She worked in Hindi films. She is also the recipient of various accolades including a Filmfare Award.

In Hindi films, she made her debut with Andaaz (2003), which won her a Filmfare Award for Best Female Debut.
2021 Harnaaz Kaur Sandhu

She made her final walk down the ramp as Miss Universe 2021.

She holds multiple titles like Femina Miss India Punjab 2019 and Miss Diva Universe 2021.

She has also worked in Punjabi films such as "Yaara Diyan Poo Baran" and "Bai Ji Kuttange".

She is 21 years old and belongs to a Sikh family from Chandigarh.

According to sources she did higher education from Government College Girls Chandigarh.

List Top 10 Miss Universe Winner





Final resultsWinnersMiss Universe 2021 Harnaaz Sandhu
1st Runner-Up



Nadia Ferreira
2nd Runner-Up

Lalela Mswane
Top 5

Valeria Ayos

Beatrice Gomez
Top 10

Thessaly Zimmerman

Clemence Botino

Michelle Colón

Chantel O'Brian

Elle Smith
Top 16

Emma Collingridge

Juri Watanabe

Brenda Smith

Nandita Banna

Luiseth Materán

Nguyễn Huỳnh Kim Duyên


હરનાઝ માસ્ટર્સ કરી રહી છે
પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ કરિયર તરીકે મોડલિંગ પસંદ કર્યું છે. તેણે ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ તે માસ્ટર્સ કરી રહી છે. 21 વર્ષની હરનાઝ મોડલિંગ અને અન્ય બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો.

પરિવાર ખેતીકામ કરે છે
હરનાઝની આખી ફેમિલી ખેતી કે બ્યુરોક્રેટ્સ સાથે કનેક્ટેડ છે. વર્ષ 2017માં કોલેજમાં એક શો દરમિયાન તેણે પ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું. એ પછીથી તેની સફર શરૂ થઈ. હરનાઝને ઘોડેસવારી, એક્ટિંગ, ડાન્સ અને ફરવાનો શોખ છે. તે ફ્રી હોય ત્યારે ફરવાનો શોખ પૂરો કરે છે. ભવિષ્યમાં તક મળે તો ફિલ્મમાં કામ કરવાની તેની ઈચ્છે છે.

દૂબળી છોકરીની લોકો મસ્કરી કરતા હતા
17 વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.



એક ઇન્ટરવ્યુ દરમિયાન હરનાઝે કહ્યું હતું, મને જે ભાવે છે એ બધું ખાવ છું. તેમ છતાં હું વર્કઆઉટ ભૂલતી નથી. હરનાઝ માને છે કે તમને મન થાય એ ખાઈ લેવાનું, પણ વર્કઆઉટ નહીં ભૂલવાનું.

આટલા અવૉર્ડ જીતી

વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ
વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર
વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ
વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા

‘ભારતને જિતાડવા જીવ રેડી દઈશ’
હરનાઝે કહ્યું હતું, હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ. આનાથી ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત થશે. શહનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગર્વ બનવું છે. હરનાઝે આ વાત સાબિત કરી બતાવી.


Read More »

Sunday, December 12, 2021

તણાવ અને મનોપચાર

તણાવ અને મનોપચાર

 

પરિચય

તણાવ વિનાના જીવનની કલ્પના થઈ શકે નહિ. તણાવ એ જીવનનો એટલો અવિભાજિત હિસ્સો છે કે જેને સામાન્ય વ્યકિતત્વના વિકાસ માટે જરૂરી ગણવામાં આવે છે. તેમ છતા પણ જો આ તણાવો જો વધારે પડતા તીવ્ર બની જાય તો તે ગંભીર મનોવિકૃતિ માટેનું કારણ અથવા માનસિક બીમારી ને નોતરનાર બની શકે છે. એવું નોંધાયેલ છે કે માનસિક તણાવનું માનસિક વિકૃતિના સંબંધમાં ખૂબ જ મહત્વ છે, તેમ છતા ચોક્કસ જોખમ અને બચાવના પગલાઓ ઓછા જાણીતા છે. નકારાત્મક અથવા તણાવભરેલ જીવનના પ્રસંગો સામાન્ય રીતે માનસિક વિકાર (ચિંતા) જેમાં મિજાજ (મૂડ) અને માનસિક અસ્વસ્થતા માટેનું કારણ બને છે. બાળપણ અને કિશોરાવસ્થામાં થયેલ ખરાબ વર્તન જેમાં જાતિય શોષણ, શારીરિક શોષણ, માનસિક શોષણ, ઘરમાં થતી હિંસાઓ અને ધાક-ધમકીઓનો સમાવેશ થાય છે, તેને માનસિક અસ્વસ્થતાના વિકાસ થવા સાથે સમાજ અને પરિવારના ગુંચવણ ભરેલ ક્રિયાપ્રતિક્રિયા માનસિક અને શારીરિક પરિબળો વડે જોડવામાં આવેલ છે. મુખ્ય જોખમ સમયાંતરે આવા અનુભવો એકત્રિત થવાના સંયોગમાં જોવા મળે છે, તેમ છતા ઘણી વખત ગંભીર માનસિક આધાતની એક ઘટના પણ માનસિક વિકૃતિ જેમકે પી.ટી.એસ.ડી. તરફ દોરી જાય છે. આવા અનુભવોની સ્થિતિસ્થાપકતા જુદી જુદી હોય છે, અને કદાચ વ્યકિત અમુક પ્રકારના અનુભવો સામે પ્રતિકાર મેળવી ચુકેલ હોય પરંતુ બીજા માટે શંકાસ્પદ હોય. જનીનીક ભેદ્યતા, ગુસ્સાના લક્ષણો, જ્ઞાનાત્મક સમૂહ (કોગ્નીટીવ સેટ), રક્ષણાત્મક રીત અને અન્ય અનુભવો સ્થિતિસ્થાપકતાની વિવિધતા સાથે જોડાયેલ ખાસીયતો છે.
તણાવ શું છે?





તણાવને કોઇપણ શારીરિક, રાસાયણિક અથવા ભાવનાશીલ પરીબળ ગણાવી શકાય કે જે શારીરિક અથવા માનસિક અશાંતિ ઊભી કરે અને તે કદાચ બીમારી થવા માટેનું પરીબળ પણ બની શકે. શારીરિક અને રાસાયણિક પરીબળો કે જે જે તણાવ ઉભુ કરી શકે તેમાં માનસિક આઘાત, ચેપો, નશીલા પદાર્થોનું સેવન, બીમારીઓ અને કોઈપણ પ્રકારની નુકસાનીનો સમાવેશ થાય છે. ભાવનાશીલ પરીબળો કે જે દબાણ કે માનસિક તણાવ ઊભો કરી શકે છે તેઓ વિવિધ પ્રકારના અને સંખ્યાબંધ છે. જ્યારે ઘણા બધા લોકો દબાણ શબ્દને માનસિક દબાણ સાથે જ જોડે છે, વિજ્ઞાનીકો અને ડોકટરો આ શબ્દનો ઉપયોગ કોઇ પણ એવુ દબાણ કે જે શારીરિક કાર્ય માટેની સ્થિરતાને અને સમતોલપણાને વિખેરી નાખે તેને દર્શાવવા માટે કરે છે. જ્યારે લોકો તેની આજુબાજુ ચાલનાર કોઇપણ ઘટનાથી તણાવ અનુભવે તેનુ શરીર લોહીમાં રસાયણો છોડીને પ્રતિક્રિયા આપે છે. આ રસાયણો લોકોને વધારે શક્તિ અને તાકાત પૂરી પાડે છે.

હળવા પ્રકારનુ દબાણ અને માનસિક તણાવ કયારેક લાભદાયક નિવડે છે. દા.ત. કોઇ પ્રોજેકટ હાથ પર હોય ત્યારે થોડુ દબાણ અનુભવાય જેને કારણે હમેંશા આપણને સારુ કામ કરવાની ફરજ પડે છે, વધારે ઘ્યાન કેન્દ્રીત કરી શકીએ છીએ અને ઉત્સાહપૂર્વક કામ કરી શકીએ છીએ. બે પ્રકારના દબાણ હોય છેઃ સારુ દબાણ (હકારાત્મક દબાણ) અને નબળુ દબાણ (નકારાત્મક દબાણ), સાદી રીતે અર્થ કરીએ તો પડકાર અને વધારે પડતુ ભારણ. જ્યારે દબાણ ખૂબ જ વધી જાય અથવા તેને નબળી રીતે સંચાલીત કરવામાં આવે ત્યારે નકારાત્મક અસરો જોવા બહાર આવે છે.
તણાવના સામાન્યરીતે જોવા મળતા ઉદભવસ્થાનો

અસ્તિત્વ જાળવી રાખવાનું તણાવ – જ્યારે વ્યકિતને એવું લાગે છે કે કોઇ વ્યકિત અથવા કોઈ વસ્તુ તેને શારીરિક હાનિ પહોંચાડશે, શરીર કુદરતી રીતે શક્તિના ફુવારા વડે પ્રતિભાવ આપે છે જેથી કરીને તે સારી રીતે ગંભીર પરિસ્થિતિ (લડાઇ)માં ટકી રહેવા અથવા નાસી છૂટવા માટે સક્ષમ બને છે. તેને અસ્તિત્વ જાળવી રાખવાનું તણાવ કહેવામાં આવે છે.

આંતરીક તણાવ – આંતરીક તણાવ એવુ છે કે જેમાં લોકો પોતે જ પોતાને માટે તણાવ ઉભુ કરે છે. આવુ મોટા ભાગે એવી બાબતો કે જે આપણા નિયંત્રણમાં નથી તેની ચિંતા કરવાથી અથવા પોતાની જાતને એવી પરિસ્થિતિમાં મુકવાથી કે જેનાથી દબાણ ઉભુ થાય છે. અમુક લોકોને ચોક્કસ પ્રકારની ઉતાવળ, માનસિક તણાવ, જીવન જીવવાની રીતની આદત પડી ગયેલ હોય છે કે જે તણાવમાં જ રાખે છે. તેઓ તણાવજનક પરિસ્થિતિઓને શોધતા હોય છે અને તણાવજનક ના હોય તેવી બાબતોમાં પણ તણાવ અનુભવતા હોય છે.

વાતાવરણનું તણાવ – આ આપણી આજુબાજુમાં રહેલ વસ્તુઓ તરફનો પ્રતિભાવ છે કે જે તણાવનું કારણ બને છે જેમકે ધોંધાટ, ભીડ અને કામ કે પરીવાર તરફથી થતુ દબાણ. આવા વાતાવરણના તણાવ ઊભુ કરનારા પરીબળોને ઓળખીને તેને અવગણતા અથવા તેને યોગ્ય રીતે પાર પાડતા શીખવાથી તણાવની માત્રાને ઘટાડવામાં મદદ મળશે.

થાક અને વધારે પડતુ કામ – આવા પ્રકારનું તણાવ લાંબા સમયે નિર્માણ થાય છે અને શરીર પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે. તે વધારે પડતુ કામ કરવાથી અથવા કામ, શાળા કે ઘર પર સખત મહેનત કરવાથી ઉદભવે છે. સમયનું યોગ્ય સંચાલન કેવી રીતે કરવુ અથવા આરામ માટેનો સમય કેવી રીતે કાઢવો અને વિરામ કેવી રીતે મેળવવો તે ન જાણવાને કારણે પણ તે થાય છે. આ એક એવુ તણાવ છે કે જેની અવગણના કરવી ખૂબ જ સૌથી કઠીન છે કારણ કે ઘણા લોકો માને છે કે તે તેના નિયંત્રણ બહાર છે.

તણાવ ઊભુ કરનારા પરિબળોને ટુંકા ગાળાના (તીક્ષ્ણ) અથવા લાંબા ગાળાના (તીવ્ર) તરીકે પણ દર્શાવવામાં આવે છેઃ
ટુંકાગાળાના ‘તીક્ષ્ણ’ તણાવ એ તાત્કાલીક ભયની પ્રતિક્રિયા હોય છે, તેને સંઘર્ષ (લડાકુ) તરીકે અથવા ભાગી છૂટવાનાર પ્રતિભાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સંભવીત જોખમી પરીબળો અથવા ચેતવણીઓ તરફ મગજનો પ્રાથમિક ભાગ અને મગજમાં રહેલા ચોક્કસ રસાયણો મળીને તેનો પ્રતિભાવ આવે છે ત્યારે આ પ્રકારના તણાવ પેદા થાય છે.
લાંબાગાળાનું ‘તીવ્ર’ તણાવ ઊભુ કરનારા પરીબળોમાં એવા હાલમાં હોય તેવા અમુક દબાણો કે જે સતત ચાલુ જ રહેતા હોય, જ્યારે લડવાની કે નાસી છૂટવાના પ્રેરકબળને દબાવી દેવામાં આવેલ હોય. દા.ત. તીવ્ર તણાવમાં કામ પર રહેતુ સતત દબાળ, પ્રર્વતમાન સંબંધોમાં સમસ્યાઓ, એકલતા અને કાયમી રહેતી નાણાકિય ચિંતાઓનો સમાવેશ થાય છે.
તણાવની અસરો પર પ્રભાવ પાડનારા પરિબળો અને તણાવ ગ્રહણક્ષમતા

વ્યકિતની તણાવ ગ્રહણક્ષમતા આમાના કોઇપણ અથવા તમામ પરિબળોથી અસરગ્રસ્ત થાય છે, જેનો અર્થ એવો થાય કે દરેકની તણાવ સહન કરવાની ક્ષમતા જુદી હોય છે. આમાંના અમુક પરિબળોના સંદર્ભમાં, તણાવ ગ્રહણક્ષમતા નક્કી નથી, તેથી તમામ વ્યકિતઓની તણાવ સહન કરવાની ક્ષમતાની માત્રા સમયાંતરે બદલાયા કરે છેઃ
બાળપણના અનુભવો (શોષણ તણાવ ગ્રહણક્ષમતા વધારી શકે છે)
વ્યક્તિત્વ (અમુક વ્યક્તિત્વ ધરાવનારા બીજા લોકો કરતા વધારે તણાવ અનુભવતા હોય છે)
આનુવંશિક/જનીનીક (ખાસ કરીને વારસાગત ‘ઉગ્ર પ્રતિભાવ’, “સીરોટોનીન”ની માત્રા સાથે જોડાયેલ હોય છે કે જે મગજની તંદુરસ્તી માટેનુ રસાયણ છે)
અસામાન્ય રોગપ્રતિકારક ક્ષમતા (જેના કારણે અમુક બીમારીઓ થઈ શકે છે જેમકે સંધિવા અને ખરજવું, કે જે તણાવની સ્થિતિસ્થાપકતાને નબળી પાડે છે)
જીવનધોરણ (સૈદ્ધાંતિક રીતે નબળો ખોરાક અને કસરતનો અભાવ)
તણાવ ઊભુ કરનારા પરીબળોનો સમયગાળો અને તેની તીવ્રતા.

તણાવની હાજરી હોવાની તાત્કાલીક જાણ મેળવવા માટેના સુચંકાંકો
ઊંઘ આવવવામાં મુશ્કેલી
ભૂખ ઓછી લાગવી
ઓછુ ધ્યાન લાગવું કે નબળી યાદ શક્તિ
કામગીરીમાં ઘટાડો
અલાક્ષણીક ભૂલો અથવા નિયત અવધિઓ ચૂકી જવી
ગુસ્સો અથવા ક્રોધાવેશ
હિંસા અથવા અસમાજિક વર્તન
લાગણીસભર ઊભરો
દારૂ કે નશીલી દવાનું સેવન
ગભરાહટ અનુભવવાની આદત
તણાવની અસરો
શારીરિક અસરો

શારીરિક અસરો મુખ્યત્વે ‘ન્યુરો-એન્ડોક્રીનો-ઇમ્યુનોલોગીકલ પાથવે’ દ્વારા થાય છે. તણાવ પેદા કરનાર પરિબળનો પ્રકાર જે પણ હોય, તેના તરફનો શરીરનો મુળભૂત પ્રતિભાવ સમાન હોય છે. નીચે દબાણની શરીર પર થતી અમુક અસરો દર્શાવેલ છે.
ધબકારાઃ હ્યદયના ધબકારા વધી જવા
ટુંકી અને ઝડપી શ્વસનક્રિયા
ધ્રુજારી
ઠંડી લાગવી, અતિશય પરસેવો છૂટવો
આંખ પરના ભમ્મર ભીના થવા
સ્નાયુઓ ખેંચાવા, ઉદર (પેઢુ)ના સ્નાયુઓમાં ખેંચ વર્તાવી, અકળાયેલા (ચિંતિત અવસ્થા બતાવતા) હાથ અને પગ, દાંત દબાય એ રીતે જડબુ ખેંચાયેલ હોય
પેશાબ જવાની માત્રામાં વધારો થવો
વાળ ખરવા
માનસિક તણાવની અસરો

તણાવની માનસિક અસરો ઘણી જ રીતે જોઇ શકાય છે જ્યાં સુધી તેને યોગ્ય રીતે ઓળખી ના શકાય અને તેને સુધારી ના શકાય.
એવુ જાણીતુ છે કે વણઉકેલાયેલ લાગણીસભર તણાવ માનસિક યાતનામાં અને પછી શારીરિક બીમારીમાં (સાઇકોસમૅટિક એટલે કે મન અને શરીરની બીમારી તરીકે ઓળખાય છે) પરીવર્તીત થઇ શકે છે.
અન્ય સામાન્ય માનસિક અસરો આ મુજબ છેઃ
ઘ્યાન કેન્દ્રીત કરવામાં અસક્ષમ
નિર્ણય લેવામાં મુશ્કેલી
આત્મવિશ્વાસમાં ગુમાવવો
ચિડીયાપણુ અથવા વારંવાર ગુસ્સો આવવો
અતૃપ્ત ઇચ્છાઓ
બિનજરૂરી ચિંતા, બેચેની અને અસ્વસ્થતા
બિનતાર્કિક ડર
ઘાતક હુમલાઓ
તીવ્ર લાગણીઓ અને બદલાતો મિજાજ
વર્તન આધારિત તણાવની અસરો

વર્તન આધારિત તણાવની અસરો જ્યારે વ્યકિત તણાવમાં હોય ત્યારે કેવી રીતે વર્તે છે અને કામ કરે છે તે દર્શાવે છે.
નીચે અમુક તણાવની વર્તનપર થતી અસરો દર્શાવેલ છેઃ
વધારે પડતુ ધુમ્રપાન
ગભરામણ ચહેરા પર દેખાવી
દારૂ કે નશીલી દવાઓનું સેવનમાં વધારો
નજરે પડતી ટેવો જેમ કે નખ મોં વડે ચાવવા/કાપવા, વાળ ખેંચવા, વગેરે
ખોરાકમાં વધારો કે ઘટાડો
માનસિક રીતે ગેરહાજર
અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય તેવુ વર્તન
ઓછી ઉશ્કેરીજનક બાબત પર ગુસ્સે થવુંએવા પુરાવા છે કે તણાવની વર્તન પર થતી અસરો ખૂબ જ ભયંકર હોય છે અને વ્યકિત વ્યકિત અને સામાજિક સંબંધોને અસર પહોંચાડે છે.
એકાંત, ગરીબી, વિયોગ, ભેદભાવના કારણે થતી ઉદાસીનતા અને હતાશાના કારણે થનાર અમુક પ્રકારના તીવ્ર અને વધારે મંદ ગતીએ આગળ વધતા તણાવો રોગ પ્રતિકારક શક્તિને હાનિ પહોંચાડે છે અને વિષાણુ આધારિત બીમારી શરદી અને હર્પીશથી લઇને એઇડ્સ અને કેંસરમાં વધારો કરે છે.
તણાવની અન્ય ગ્રંથિઓ, મગજના ચેતાતુંતુઓ, વધારાના રાસાયણીક પુરસ્થગ્રંથિ અને અગત્યના પાચનતંત્ર અને ચયાપચનની ક્રિયા પર પણ અસર થાય છે કે જે હજી પણ જાણી શકાયેલ નથી
અમુક તણાવ આધારિત બીમારીઓ
પાચનમાં તકલીફ (એસીડીટી)
દારૂનું સેવન
અસ્થમા
થકાવટ
તાણ અને માથુ દુખવુ
હાઇપરટેન્શન (ભારે માનસિક તાણ)
અનિદ્રા
આંતરડામાં બળતરા થવાના લક્ષણો
સ્થાનીય રક્તક્ષીણતા
જાતિય ઇચ્છાઓ/ઉત્તેજના ઓછી થવી
ચામડીની બીમારીઓ જેમ કે લાલચાંઠા પડવા, ખરજવુ, ‘પ્રઉરીટુસ’, ન્યુરોડર્મેટિટિસ (ચેતા–ત્વફ કોપ), વગેરે આ યાદી સંપુર્ણ નથી

તણાવના કારણે થતી બીમારીઓને સમજવા માટે અને તણાવ તેમજ તેના કારણે થતી બીમારીના સંચાલન માટેનું આયોજન તૈયાર કરવા માટે ઉપરના ખ્યાલોની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. દવાખાનામાં વ્યક્તિમાં તણાવને વૈજ્ઞાનિક રીતે મૂત્રપિંડ ગ્રંથી દ્વારા ઉત્પન થનાર બે અંતઃસ્ત્રાવ (કૉર્ટિઝોલ અને ડી.એચ.ઈ.એ.)ને માપીને ઓળખવામાં આવે છે. હોલમેસ અને રાહે સ્ટ્રેસ સ્કેલ મુજબ તણાવ માપવા માટે “લાઇફ ચેન્જ યુનિટ”ની સંખ્યા કે જે છેલ્લા વર્ષમાં વ્યક્તિના જીવનમાં બનેલ ઘટનાઓને લાગુ પડતી હોય તેને ઉમેરવામાં આવે છે અને છેલ્લા ગુણ આપવામાં આવે છે. દા.ત. પતિ/પત્નિનું મૃત્યુ ૧૦૦ ગુણ આપે છે.
૩૦૦ +ગુણ: બીમારીના જોખમ માટે
૧૫૦-૨૯૯+ ગુણઃ બીમારીનું જોખમ મધ્યમ હોય (ઉપરના જોખમ કરતા 30% ઓછુ હોય)
150– ગુણઃ બીમારીનું બહુ જ નહિવત જોખમ હોય
તણાવનું સંચાલન

તણાવનું સંચાલન તણાવના ઉદભવસ્થાનોની ઓળખ કરીને શરૂ થાય છે. તે જેટલુ લાગે છે તેટલુ સરળ નથી.
તણાવનો આ ઉદભવસ્થાનોની ઓળખ કરવા માટે, તમારા સ્વભાવ, આદત અને બહાનાઓને નજીકથી જોવોઃ
છેલ્લા કયા સમયે તમે આરામ લીધો હતો તે તમને યાદ પણ ના હોવા છતા, શું તમે તણાવને થોડા વખત માટેના તરીકે સમજાવો છો?
શું તમે તણાવની કામના અથવા ઘરના જીવનના અવિભાજીત ભાગ અથવા વ્યક્તિત્વના જ એક હિસ્સા તરીકે વ્યાખ્યા કરો છો?
શું તમે તમારા તણાવ માટે બીજા લોકો અથવા બહારના પ્રસંગો ને જવાબદાર ઠેરવો છો અથવા તેને સંપૂર્ણ સમાન્ય અને નિરપવાદ તરીકે જોવો છો?
જ્યાં સુધી તમે તણાવને ઊભુ કરવામાં અને તેને જાળવી રાખવામાં તમારી ભૂમિકાને સ્વિકારો નહિ, તમારા તણાવની કક્ષા તમારા નિયંત્રણની બહાર રહે છે.
તણાવનું રોજનામું તૈયાર કરો

તણાવનું રોજનામું જીવનમાં તણાવ ઊભા કરનાર નિયમિત પરિબળોને ઓળખવામાં અને તેની સાથે વ્યક્તિ કેવી રીતે મેળ સાધે છે તે ઓળખવામાં મદદરૂપ થાય છે. વ્યક્તિ જ્યારે પણ તણાવ અનુભવે ત્યારે તણાવનો હિસાબ તણાવના રોજનામામાં રાખવો જોઈએ. વ્યક્તિ કાયમી નોંધ રાખતી હોવાથી, તે/તેણી તેનો નમૂનો અને તેના સામાન્ય થીમ જોવાની શરૂઆત કરે છે. નીચેની બાબતો લખોઃ
તમે શેનાથી તણાવ અનુભવો છો (જો તમને ખાત્રી ના હોય તો અંદાજ લગાવો)?
તમે શારીરિક અને લાગણીસભર રીતે કેવુ અનુભવો છો?
પ્રતિભાવમાં તમે કેવુ વર્તન કરો છો?
તમે સારૂ અનુભવવા માટે શું કરો છો?તમે તમારા જીવનમાં તણાવનું કેવી રીતે સંચાલન કરો છો અને તેનો સામનો કેવી રીતે કરો છો તેનો વિચાર કરો. તમારુ તણાવનું રોજનામું તેને ઓળખવામાં મદદ કરશે. શું તમારી ટકી રહેવાની રણનીતિઓ તંદુરસ્ત છે કે બિનતંદુરસ્ત છે, મદદરૂપ છે કે બિનઉપયોગી છે? કમનસીબે, ઘણા લોકો સમસ્યામાં વધારો થાય તેવી રીતે તણાવનો સામનો કરે છે.
તણાવનો સામનો કરવાની બિનતંદુરસ્ત રીતો

સામનો કરવાની આ રણનિતિઓ કદાચ કામચલાઉ રીતે તણાવમાં ઘટાડો કરે છે, પરંતુ લાંબાગાળે તે વધારે નુકસાની પહોંચાડે છે:
ધુમ્રપાન
વધારે પડતુ દારૂનું સેવન
વધારે પડતુ કે ઓછુ ભોજન લેવુ
કલાકો સુધી ટીવી કે કોમ્પ્યુટર સામે બેસી રહેવુ
મિત્રો, પરિવાર અને પ્રવૃતિઓથી દુર રહેવુ
હળવાશ અનુભવવા માટે ગોળીઓ કે નશીલી દવાઓનો ઉપયોગ કરવો
વધારે પડતી ઊંઘ કરવી
ઢીલ કર્યા કરવી
સમસ્યાનો સામનો કરવાથી દુર રહેવા માટે દિવસની તમામ મિનિટો ભરી દેવી (કાર્યશીલ રહેવુ)
તમારૂ તણાવ બીજા પર કાઢવુ (ઠપકો આપવો/નિંદા કરવી, ગુસ્સો પ્રદર્શીત કરવો, શારીરિક હિંસા કરવી)
તણાવનું સંચાલન કરવા માટે અને તેનો સામનો કરવાના ઘણા તંદુરસ્ત રસ્તાઓ પણ છે, પરંતુ તે બધા માટે બદલાવની જરૂર પડે છે. આપણે ક્યાંતો પરિસ્થિતિને બદલી શકીએ અથવા પ્રતિભાવને બદલી શકીએ. તણાવના કારણોની ઓળખ કરવા માટે અને તેને દૂર કરવા માટે, ઘટાડવા માટે અથવા તણાવગ્રસ્ત વ્યક્તિને તણાવ ઉભી કરનાર પરિસ્થિતિમાંથી હટાવવા માટે તમે ખરેખર ખૂબ જ ગંભીરતા પૂર્વક વિચારો અને અન્યો સાથે વાત કરો.
તણાવગ્રસ્ત વ્યક્તિને અસરકરનારા પરિબળો ના પ્રકારો અને તણાવની ગ્રહણ ક્ષમતાની સમજ મેળવો – એ જાણો કે જે તમે કરી રહ્યા છો તે તણાવ સંચાલનનો અભિગમ વિકસાવવા માટે જરૂરી છે.
તમારા પ્રતિભાવને બદલો
તણાવ ઊભુ કરનાર પરિબળ સાથે સુમેળ સાધી લો
તણાવ ઊભુ કરનાર પરિબળને સ્વિકારી લો
બિનજરૂરી તણાવથી દૂર રહો
કેવી રીતે “ના” કહેવી તે શીખો: તમારી મર્યાદાઓને જાણો અને તેને વળગી રહો. તમારા વ્યક્તિગત કે વ્યાવસાયિક જીવનમાં વધારાની જવાબદારીઓ સ્વીકારવાની મનાઈ કરી દો. તમે સંચાલન કરી શકો તેના કરતા વધારે પડતી જવાબદારી લેવી એ તણાવ ઉભુ થવાની ખાત્રી આપવા સમાન છે.
તમારામાં તણાવ ઉભુ કરનાર લોકોથી દૂર રહો: જો કોઇ તમારા જીવનમાં સતત તણાવ ઉભુ કરતુ હોય અને તમે સંબંધ બદલી શકતા ના હોય તો તમે તે વ્યક્તિ સાથે જેટલો સમય પસાર કરો છો તેને મર્યાદિત કરો અથવા સંબંધનો કાયમી માટે અંત લાવો.
તમારા વાતાવરણ પર નિયંત્રણ મેળવો: જો સાંજના સમાચાર તમને અસ્વસ્થ કરતા હોય તો ટી.વી. ને બંધ કરી દો. જો ટ્રાફિકને કારણે તમારી ચિંતા વધતી હોય તો ટુંકાને બદલે લાંબો રસ્તો પસંદ કરો. જો બજારમાં જવુ તમને પસંદ ના હોય તો તમારો માલસામાન ઓનલાઇન ખરીદો.
ગરમ મુદ્દાઓથી દૂર રહો: જો તમે ધર્મ અથવા રાજનીતિથી નિરાશ હોવ, તેને તમારી વાતચીતની યાદીમાંથી દૂર કરી દો. જો તમે એક જ મુદ્દા માટે એક જ વ્યક્તિ/ઓ સાથે વારંવાર દલીલો કરતા હોય તો તેને આગળ લાવવાનુ છોડી દો અથવા જ્યારે તે મુદ્દાની ચર્ચા થતી હોય ત્યારે તમારી જાતને માફ કરી દો.
તમારે કરવાના કાર્યોની યાદી તૈયાર કરો: તમારા દિનચર્યા, જવાબદારીઓ અને દૈનિક કાર્યોનું વિશ્ર્લેષણ કરો. જો તમે માથે લઇ લીધુ હોય તો જરૂરી અને ફરજીયાતને જુદા પાડો. જે કાર્યો કરવા ખરેખર જરૂરી નથી તેને યાદીમાં સૌથી નીચે જવા દો અથવા તેમને સંપૂર્ણ રીતે હટાવી દો.
પરિસ્થિતિને બદલો
તણાવ ઊભુ કરનાર પરિબળોને અવગણો
તણાવ ઊભુ કરનાર પરિબળોને બદલી કાઢો
તમારી લાગણીઓને દબાવવાને બદલે રજૂ કરો. જો કંઇ પણ અથવા કોઇપણ તમને ચિંતા કરાવતુ હોય, તમારી ચિંતાઓ ખૂલ્લી અને આદરણીય રીતે જણાવો. જો તમે તમારી લાગણીઓને વાચા નહિ આપો, લાગણીઓનો ભરાવો થશે અને પરિસ્થિતિ તેમની તેમ જ રહેશે.
જતુ કરવા માટે તૈયાર રહો. જ્યારે તમે કોઇને તેના વર્તનમાં બદલાવ માટે કહો ત્યારે તમે પણ તે કરવા માટે તૈયાર રહો. જો તમે બન્ને જણ થોડા પણ નમવાની તૈયારી રાખશો તો તમને વચગાળાનો ખૂશાલીમય બદલાવ જોવા મળશે.
વધારે હકારાત્મક બનો. તમારા જીવનમાં પીછે હઠ ના કરો. સમસ્યાઓનો સામનો કરો અને તેને અટકાવવા માટે તમારાથી થતુ તમામ કરો. જો તમારે પરિક્ષા માટે અભ્યાસ કરવાનો હોય અને જો તમારો વાતોડીયો સહપાઠી/રૂમસાથી ઘરમાં આવે, તેને તરત જ જણાવો કે તમારી પાસે તેની સાથે વાતો કરવા માટે માત્ર પાંચ મિનિટ જ છે.
તમારા સમયનું યોગ્ય રીતે સંચાલન કરો. સમયનુ નબળુ સંચાલન તણાવ ઊભુ કરે છે. જ્યારે તમારા કામની ખૂબ જ લાંબી યાદી થઈ ગઈ હોય અને તમે પાછળ ચાલતા હોવ તો તો શાંત અને ઘ્યાનકેન્દ્રિત રહેવુ ખૂબ જ મુશ્કેલ બને છે. પરંતુ જો તમે આગળથી જ યોગ્ય આયોજન કરો અને તમે એ બાબતની ખાત્રી કરો કે વધારે પડતા તમારા કાર્યોને લંબાવો નહિ તો તમે અનુભવનાર તણાવને બદલી શકો છો.
તણાવ ઊભુ કરનાર પરિબળો સાથે અનુકુલન સાધો
સમસ્યાને ફરીથી ગોઠવો. તણાવ ઊભી કરનારી પરિસ્થિતિઓને વધારે હકારાત્મક રીતે જોવાનો પ્રયત્ન કરો. ટ્રાફિક જામ પર ગુસ્સો કરવાને બદલે તેને અટકવા અને નવા જુથ બનાવવાની, તમારો પસંદગીના રેડિયો સ્ટેશનને સાંભળવાની અથવા અમુક એકાંતની પળો માણવાની તક તરીકે જુઓ.
બહોળા ચિત્ર તરફ જુઓ. તણાવ ઊભુ કરનાર પરિસ્થિતિને અલગ રીતે જુઓ. તમારી જાતને પુછો કે લાંબાગાળે તે કેવી રીતે મહત્વનુ બનશે. શું તેનાથી મહિના કે વર્ષ બાદ લાભ મળશે? શું તેના કારણે નિરાશ થવુ ખરેખર ઉપયોગી છે? જો જવાબ ના હોય તો તમારા સમય અને શક્તિને અન્ય જગ્યાએ કેન્દ્રિત કરો.
તમારા ધોરણોને વ્યવસ્થિત ગોઠવો. પરિપૂર્ણતાએ ટાળીના શકાય તેવા તણાવ માટેનું મુખ્ય ઉદભવ સ્થાન છે. વધારે પડતા આદર્શની માંગ કરીને તમારી જાતને નિષ્ફળ બનાવવાનું બંધ કરો. તમારી જાત માટે અને અન્યો માટે વિવેકી ધોરણો ગોઠવો અને જરૂરી એટલુ સારૂ હોય તેને ચલાવવાનુ શીખો.
હકારત્મક બાબત તરફ ધ્યાન કેન્દ્રીત કરો. જ્યારે તણાવ તમને નબળા પાડે, તમે તમારા જીવનની ગર્વ લેવા જેવી તમામ ક્ષણો તરફ ચિંતન કરો જેમાં તમારી હકારાત્મક લાક્ષણિકતાઓ અને ભેટોનો પણ સમાવેશ થાય. આ સરળ રણનીતિ તમને વસ્તુઓને યોગ્ય રીતે જોવામાં મદદ કરશે.
તમે જે વસ્તુઓને બદલીના શકો તેનો સ્વીકાર કરો

તણાવના અમુક ઉદભવસ્થાનો ટાળી ના શકાય તેવા હોય છે. તમે તણાવ ઊભુ કરનાર પરિબળોને અટકાવી કે બદલી ના શકો. જેમ કે તમારા પ્રિયજનનું મૃત્યુ, ગંભીર માંદગી અથવા રાષ્ટ્રીયસ્તરની મંદી. આવા કિસ્સાઓમાં, તણાવનો સામનો કરવાની ઉતમ રીત એ છે કે વસ્તુ/પરિસ્થિતિને જે છે તેવી જ રીતે સ્વિકારી લો. સ્વિકાર કદાચ મુશ્કેલ હશે, પરંતુ લાંબા ગાળે તમે જે પરિસ્થિતિને બદલી નથી શકતા તેની વાડ બનાવવા કરતા સરળ છે.
જે નિયંત્રણમાં નથી તેને નિયંત્રિત કરવાના પ્રયત્નો ના કરો. જીવનમાં ઘણી બધી બાબતો આપણા નિયંત્રણ બહાર હોય છે – ખાસ કરીને બીજા લોકોનું વર્તન. તેના કારણે તણાવ ઊભુ કરવાને બદલે તમે જેના પર નિયંત્રણ રાખી શકો તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરો જેમ કે સમસ્યાઓને તમે કેવી રીતે પ્રતિભાવ આપવાનું પસંદ કરો છો.
બીજી રીતે જૂઓ. એક કહેવત પ્રમાણે, “જે આપણને મારી શકતુ તેની તે આપણને મજબુત બનાવે છે.” મુખ્ય પડકારોનો સામનો કરતી વખતે તેને વિકાસની તક તરીકે જોવાનો પ્રયત્ન કરો. જો તમારી પોતાની નબળી પસંદગીઓના કારણે તણાવજનક પરિસ્થિતિઓનું નિર્માણ થયુ હોય તો, તેની સમીક્ષા કરો અને તમારી ભુલો પરથી શીખો.
તમારી લાગણીઓ બીજાને જણાવો. ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરો અથવા નિષ્ણાંત (થેરાપીસ્ટ)ની સાથે મુલાકત ગોઠવો. તમે જે અનુભવશો તે ખૂબ જ શુદ્ધિકારક હશે, આમ પણ જ્યારે તણાવગ્રસ્ત પરિસ્થિતિને બદલવા માટે તમે કશુ જ કરી શકો તેમ નથી.
માફ કરવાનું શીખો. એ હકિકતનો સ્વિકાર કરો કે આપણે અપરિપુર્ણ દુનિયામાં જીવે છીએ અને લોકો ભૂલો કરી શકે છે. ગુસ્સા અને મનદુ:ખને જતા કરો. તમારી જાતને માફી આપીને અને આગળ વધીને નકારાત્મક શક્તિથી મુક્ત કરો.જો તમે રમૂજ અને મનોરંજન માટે નિયમિત સમય કાઢો તો તમે જીવનમાં તણાવ ઊભુ કરનારા પરિબળોનું સંચાલન કરવામાં સારી સ્થિતિમાં હશો ખાસ કરીને જ્યારે તેઓ અનિવાર્ય રીતે આવી જાય.
આરામ કરવાના અને તાજા થવાના તંદુરસ્ત રસ્તાઓ
ચાલવા માટે જાઓ
કુદરત સાથે સમય પસાર કરો
તમારા સારા મિત્રને ફોન કરો
સારૂ કામ કરીને ચિંતાને દૂર કરો
તમારા રોજનિશીમાં લખો
લાંબા સમય સુધી સ્નાન કરો
સુગંધી મિણબત્તિઓ સળગાવો. હુંફાળી કોફી અથવા ચાનો કપ માણો
પાલતુ પ્રાણીઓ સાથે રમો
તમારા બગીચામાં કામ કરો
માલિશ મેળવો/કરાવો
સારી ચોપડીનું વાંચન કરો
સંગીત સાંભળો
વિનોદી શૈલી (કોમેડી) જુઓ
વિરામ માટેનો સમય અલગ રાખો. તમારા રોજીંદી દિનચર્યામાં આરામ અને મનોરંજન માટેનો સમય રાખો. બીજા બંધનોને અતિક્રમણ કરવા ના દો. આ તમારો એ સમય હશે જેમાં તમે તમારી તમામ જવાબદારીઓમાંથી વિરામ મેળવશો અને તમારી બેટરીને ફરી ચાર્જ કરશો.
બીજા સાથે જોડાવ. હકારાત્મક લોકો કે જે તમારા જીવનમાં સુધારો લાવે તેની સાથે સમય વિતાવો. મજબુત સહાયક વ્યવસ્થા તમને તણાવને નકારાત્મક અસરો સામે રક્ષણ આપશે.
તમે જેને કરવામાં આનંદ મેળવો છો તે રોજ જરો. ફુરસદના સમયમાં એવી પ્રવૃતિઓ માટે સમય ફાળવો કે જે તમને આનંદ આપે પછી તે પિયાનો વગાડવાનો હોય અથવા તમારી બાઇક ચલાવવાનો હોય.
તમારી વિનોદવૃતિ જાળવી રાખો. તેમાં તમારી જાત પર હસવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. હસવાથી તમારા શરીરને તણાવનો ઘણીરીતે સામનો કરવામાં મદદ મળે છે.
જીવનની તંદુરસ્ત રીતો
ખોરાકમાં સુધારો: બી ગૃપના વિટામિનો અને મેગ્નીશિયમ મહત્વના છે પરંતુ અન્ય તમામ વિટામિનો જરૂરી છે. વિટામિન સી તણાવ સામે રક્ષણ મેળવા માટે જરૂરી છે. વિટામિન ડી તંદુરસ્ત શરીર રાખામાં મદદરૂપ થાય છે ખાસ કરીને હાડકાઓ. યોગ્ય માત્રામાં ખનીજો પણ તંદુરસ્ત શરીર અને મગજ માટે જરૂરી છે, અને તેનાથી તણાવ ગ્રહણ ક્ષમતા પણ ઘટે છે. તમારા હાલના ખોરાકની ટેવોનું મુલ્યાંકન કરો અને ક્યાં સુધારાઓ કરવાની જરૂરીયાત છે તેને ઓળખો અને તે સુધારાઓ માટે દ્રઢનિશ્ચિય કરો. શેકેલી વસ્તુઓ, તૈયાર ખોરાકની સામગ્રી, વધારે પડતુ મીઠુ, ગોળીઓ અને દવાઓ ટાળો.
વ્યસનો કરવાનુ ઘટાડો: સામાન્ય રીતે તમાકુ, ખાસ કરીને દારૂ – તેનાથી કામચલાઉ મદદ મળે છે પરંતુ તેઓ શરીરના સમતોલપણા વિરુદ્ધ કાર્ય કરે છે અને તેનાથી તણાવની ગ્રહણક્ષમતામાં વધારો થાય છે અને તેથી તણાવમાં પણ વધારો થાય છે.
વધારે કસરત કરો: સામાન્ય રીતે, અને જ્યારે ખૂબ જ તણાવ અનુભવતા હોય ત્યારે – કસરત અધિવૃક્ક સ્રાવને બાળી નાખે છે અને મદદરૂપ રસાયણો અને હકારાત્મક લાગણીઓ ઉત્પન કરે છે.
કસરત આપણુ તણાવના કારણોથી ધ્યાન હટાવે છે.
તણાવ હૂંફ ઉત્પન કરે છે અને હળવાશ જન્માવે છે, સ્નાયુઓ અને કોષો કે જે તણાવની લાગણીમાં ફાળો આપે છે તેન સજ્જ્ડ કરે છે. કસરતથી લોહીનું મગજ તરફ પરીભ્રમણ વધે છે કે જે આપણા માટે સારૂ છે.
કસરત તંદુરસ્ત શરીર વિકસાવે છે અને તેને જાળવી રાખે છે કે જે સીધી રીતે તણાવ ગ્રણક્ષમતા ઘટાડે છે.
વ્યક્તિગત મિજાજ અને લાગણીઓ વિશે સ્વજાગૃતિ કેળવો: તણાવ ગંભીર બને તે પહેલા તેનો ઓળખો અને તેને ટાળો. વિશ્રાંત મેળવવાની રીતો ઓળખો અને તેનો ઉપયોગ કરો – તેને જો તક આપવામાં આવે તો ઉપયોગી થાય છે - યોગ, મેડીટેશન, સ્વયોગનિદ્રા, માલિશ, તાજી હવાનો શ્ર્વાસ, કંઇપણ કે જે ઉપયોગી બને અને જેતે પરિસ્થિતિમાં કરી શકાય.
તંદુરસ્ત અને સમતોલ જીવન માટે ઊંઘ અને આરામ જરૂરી છે. દિવસ દરમ્યાન ઝોંકુ લેવુ પણ તંદુરસ્ત છે. તેનાથી તાજા થવાય છે અને શક્તિ, આરામ મળે છે અને મગજને દબાણ અને બિનસુખકારક લાગણીઓમાંથી બહાર લાવવમાં મદદ મળે છે.
કામના સ્થળ પર ગુસ્સો એ તણાવનું લક્ષણ છે. ગુસ્સા (અને અન્ય કોઇપણ બિનતાર્કિક લાગણીસભર વર્તન)નું સંચાલન (તેના પર યોગ્ય કાબુ) અને તણાવ કે જેનુ કારણ છે તેમાં માત્ર સુધારો તો જ લાવી શકાય જો વ્યક્તિ બદલાવા ઇચ્છે – સ્વીકાર, ઘ્યાન, વચનબદ્ધતા. જાગૃતતા એ સૌપ્રથમ જરૂરીયાત છે. અમુક ગુસ્સાવાળા લોકો તેના ગુસ્સા પર ગર્વ કરતા હોય છે અને તેને બદલા ઇચ્છતા નથી; બીજાને તેના પર અને બીજા પર થનારી અસરો ની કિંમત ચુકવવી પડતી નથી. ગુસ્સા પર કાબૂ તો જ શક્ય છે જો ગુસ્સો ધરાવનાર વ્યક્તિ સ્વીકાર કરે અને બદલાવ લાવવા માટે વચનબદ્ધ થાય. સંપરામર્શ તેના ગુસ્સાના મૂળ સૂધી પહોંચવા માટે જરૂરી છે (તેના માટે અને બીજા માટે). ગુસ્સો ધરાવનાર લોકોને તેનુ વર્તન હાનિકારક અને નકારાત્મક છે તે એક અગત્યનું પ્રથમ પગલુ છે. ગુસ્સાની તેના આરોગ્ય અને તેના પરિવાર પર થતી અસરોની ચર્ચા કરો. વ્યક્તિને તેની જાતબહાર નીકળીને પરિસ્થિતિ જોવડાવો. પછીનું ગુસ્સા સંચાલન માટેનું અગત્યનું પગલુ એ છે કે તેના ગુસ્સાની વૃતીનું કારણ સમજવુ કે જે ગુસ્સો ઉભો કરનારા પરિબળો અને તણાવ ગ્રહણક્ષમતાનું સંયોજન હશે. સંપરામર્શ કર્તા (કાઉન્સેલર)ને જરૂરી વિશ્ર્વાસ સંપાદન અને વાતાવર નિર્માણ કરવા માટે અમુક સેશનો (બેઠકો) ની જરૂરીયાત રહે છે.
Read More »

ડિપ્રેશન દૂર કરવા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો




ડિપ્રેશન દૂર કરવા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો





‘ડિપ્રેશન' દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે

ડિપ્રેશન તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો.

હા, હું ડિપ્રેશનથી પીડાઉ છું, મારે મદદની જરૂર છે' સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે. અંદરો અંદર રીબાવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડિપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી' એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે!? માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ડિપ્રેશન અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને!?' પછી શરૂ થઈ જાય તેના ડિપ્રેશનનું એનાલિસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ એના લાગતા-વળગતા બધા માટે પરિસ્થિતી વધુ વિકટ અને અસહ્ય બને.

ડિપ્રેશનની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ ગંભીર છે. ડિપ્રેશન અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ આવનારા દસકામાં માનવજાતને રીબાવનારી બીમારીઓમાં ડિપ્રેશન પ્રથમ ક્રમે હશે. આ સંસ્થાના સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં પાંત્રીસ કરોડ લોકો ડિપ્રેશનથી પિડાય છે પરંતુ આ આંકડા હિમશીલાની ટોચ જેવા છે, અથાર્ત જેમ હિમશીલા બહાર દેખાય તેના કરતાં અંદર સાત ગણી મોટી હોય તેમ ડિપ્રેશનથી પીડાનારા લોકોની સંખ્યા આ આંકડાઓથી અનેકગણી મોટી છે. શરૂઆતમાં આપણે વાત કરીએ મુજબની અસ્વીકૃતિ આ પાથળનું મોટું કારણ છે.

એક સમયે જીવનની વિટંબણાઓ અને સમસ્યાઓ સાથે સાંકળવામાં આવતા ડિપ્રેશનને આજે તબીબી વિજ્ઞાન મગજના કેમિકલ સાથે સાંકળે છે. મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટર્સ (ચેતાઓ વચ્ચે સંવેદનાઓના વહન માટે જરૂરી એવા રસાયણો) તરીકે કામ કરતાં રિરોટોટનીન, નોર-એપીનેફ્રીન, ડોપામીન વગેરે જેવા ઘણાં રસાયણો વચ્ચેનું સંતુલન ખોરવાતા થતી જૈવિક બીમારીને તબીબી વિજ્ઞાન આજે ડિપ્રેશન તરીકે ઓળખે છે. એક જમાનામાં ફોન એટલે દોરડાવાળું મોટું કાળુ ડબલું પરંતુ આજે ફોન એટલે હથેળીમાં સમાઈ જાય એટલું ટચૂકડું વગર વાયરનું યંત્ર, બસ એ જ રીતે એક સમયે મનની નબળાઈ ગણાતું ડિપ્રેશન આજે રસાયણોના કુદરતી અસંતુલનને કારણે થતી જૈવિક બીમારી. જેમ ડાયાબિટીસ એટલે ઈન્સ્યુલીનનું અસંતુલન, હાયપો કે હાઈપર થાઈરોઈડ એટલે થાયરોક્ષીનનું અસંતુલન, તેમ ડિપ્રેશન એટલે ન્યુરો-ટ્રોન્સમીટર્સનું અસંતુલન. તમારી બુધ્ધી આ વાત સ્વીકારી શકે અને તેને સાચા અર્થમાં સમજી શકે તો તમે ડિપ્રેશનને એક બીમારી તરીકે સ્વીકારી શકો. એક એવી જૈવિક બીમારી કે જેની પાછળ વ્યક્તિ પોતે નહીં પણ તેના મગજના રસાયણો જવાબદાર છે. તમારી આ સ્વીકૃતિ ડિપ્રેશનને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અલબત્ત જેમ બેઠાડું જીવન જીવનારને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે તેમ ડિપ્રેશન સાથે જીવનશૈલી, વારસાગત પરિબળો, વ્યક્તિત્વ, વિચારસરણી એમ ઘણું બધું સંકળાયેલું રહે છે. સરવાળે દવાઓની સાથે બીજું ઘણું તમને મદદરૂપ નિવડી શકે છે, જેમ ડાયાબિટીસની દવાઓ સાથે આહારનું નિયમન કરસત વગેરે.

ડિપ્રેશનના દરેક દર્દીને પોતાની બીમારી સ્વીકાર્યા અને સારવાર શરૂ કર્યા બાદ દવાઓ બંધ કરવાની તાલાવેલી રાત-દિવસ રહેતી હોય છે. સહેજ સારું લાગ્યું નથી કે દવાઓ ઓછી કે બંધ કરી નથઈ. કેટલાક જાતે જ નક્કી કરી નાખે અને બીજા કેટલાક ડોક્ટરને દવાઓ ઘટાડવા કે બંધ કરવા દબાણ કરતાં રહે. પરિણામ એ એવા કે મૂળમાંથી ઠેકાણે ના પડેલો રોગ પાછો ઉથલો મારે અને દર્દી-સગાઓનાં મનમાં અનેક નકારાત્મક માન્યતાઓ મુકતો જાય. જેમ કે, દવાઓ લઈશ ત્યાં સુધી જ સારું રહેશે, દવાઓનું વ્યસન થઈ ગયું છે, આ તો જીવનભરનું લફરું ઘુસી ગયું, ડોક્ટર તો ક્યારેય બંધ કરવાનું નહીં કહે, આડઅસરો થશે તો ઉલમાંથી ચૂલમાં પડીશ વગેરે.

ડિપ્રેશનની સારવામાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમય માટે દવાઓ ખૂબ મહત્વની છે. પરંતુ તેની સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારી જાતને આ અવસ્થામાંથી બહાર લાવવામાં મદદ કરો. કમનસીબે મોટાભાગના જાતને મદદ કરવાને બદલે ડોક્ટરને દવાઓ ઓછી કરવા દબાણ કરતાં હોય છે. સાચો અભિગમ એ છે કે ડોક્ટરને એનું કામ કરવા દો, દવાઓ ગોઠવવી એ એનું કામ છે તેમાં માથું મારીને તમારી સારવારમાં અડચણ ના નાંખો, એ સરવાળે તમારા માટે નુક્સાનકારક છે. એના બદલે ડોક્ટર પાસેથી એ જાણવાની કોશિશ કરો કે તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો. તમારો આ અભિગમ તમને ઝડપથી સાજા કરશે અને ભવિષ્યમાં ઉથલાની સંભાવનાઓથી બચાવશે. ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને મદદરૂપ થઈ શકે તે માટેની વાતો આમ જોવા જશો તો ખુબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવસ્થા સામે લડવું એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠકે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તામારા કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મૂલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવવા પડે તે માટે માનસિક રીતે તૈયાર થાવ. તમે રાતોરાત આ પરિવર્તનો નહીં લાવી શકો પરંતુ ધીરજ પૂર્વક સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.

ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો. તમને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય લાગે પરંતુ એ માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું પડશે અને નાની નાની હકારાત્મકતાઓ ધ્યાનમાં રાખવી પડશે. યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ ત્યારે ડિપ્રેશન સામેનો તમારો જંગ જીતવાના પાયા નંખાઈ જાય છે. તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે અને દવાઓ ઉપરનું તમારું અવલંબન ઘટાડે છે.

નાના પ્રયત્નોથી તમારી જાતને મદદ કરવાનું ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે મક્કમતા પૂર્વક આગળ વધતા જવાનું છે. તમારી જાતને મદદ કરવાના તમારા નાના પ્રયત્નો સરવાળે તમને જલ્દી સાજા થવામાં મોટી સફળતા અપાવશે. ભલે ધીમે ધીમે આગળ વધો પણ રોજ રોજ તેની પાછળ લાગેલા રહો. તમારી જાતને મદદ કરવા માટે સૌથી જરૂરી અને પહેલી બાબત એ છે કે તમે ડિપ્રેશનને મનની નબળાઈ તરીકે નહીં પરંતુ એક બીમારી તરીકે સ્વીકારો. મોટાભાગની વ્યક્તિઓ અને તેમના સગાઓ આ બીમારીને સ્વીકારતા ખચકાય છે અને સરવાળે વધારે રીબાય છે. ડિપ્રેશનન મનની નબળાઈ નથી પરંતુ મગજના રસાયણોના સ્તરમાં ઊભી થતી ગરબડને કારણે થતો એક જૈવિક રોગ છે. આ સમજ તમને ઝડપથી સાજા થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમારી આ સ્વીકૃતિ તમારી જાતને મદદ કરવાનું પહેલું પગલું છે. ડિપ્રેશનમાં પોતાની જાતને મદદ કરવાનું બીજું પગલું એ સમજ છે કે તમે એકલા નથી કે જેને ડિપ્રેશન થયું હોય, દુનિયાના ખૂણે ખૂણે એવા અસંખ્ય લોકો છે કે જેઓ હતાશાથી પિડાય છે અને તેની સામે જંગ ખેલે છે. આ વાસ્તવિકતા વ્યક્તિને ડિપ્રેશન સામે ટક્કર ઝીલવા માટેનું એક નવું બળ આપે છે.

હતાશા દૂર કરવામાં તમારી જાતને મદદ કરવા માટે ત્રીજી અગત્યની સમજ એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનો છે તેવી સ્પષ્ટ સમજ તમારા મનમાં હોવી જોઈએ.

ડિપ્રેશન એ મનની નકારાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિનું મનોબળ નબળું પડતું હોય છે અને તેને અન્ય વ્યક્તિઓના સહારાની એક માનસિક જરૂરિયાત રહેતી હોય છે. તમારી સાથે સાચી લાગણીથી જોડાયેલા મિત્રો-સ્નેહીઓ તમને ખુબ જરૂરી એવો ટેકો ચોક્કસ આપી શકે છે અને તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ, આ તબક્કે એક બાબત બરાબર યાદ રાખવી પડે કે જે વ્યક્તિ તમારી લાગણીઓને સાચા અર્થમાં સમજી શકતી ના હોય અથવા જેને તમારી માનસિક અવસ્થા સાથે કોઈ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિઓ સાથે ક્યારેય તમારી મનોવ્યથાની ચર્ચા ના કરો. આવી વ્યક્તિઓને માત્ર સલાહો આપવા સિવાય બીજો કોઈ રસ નથી હોતો અને એ સરવાળે તમારી હતાશામાં વધારો કરતી હોય છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવામાં હંમેશા યાદ રાખો કે સાચી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વહેંચવાથી તમે ઝડપથી સાજા થાવ છો અને ખોટી વ્યક્તિઓ મનઘડત સલાહ સૂચનોથી તમારી તકલીફોમાં વધારો કરે છે. ઘણાં લેભાગુઓ (ભુવાઓ, તાંત્રિકો, જ્યોતિષો, કાઉન્સેલરો વગેરે) વ્યક્તિની હતાશ મનોદશાનો પોતપોતાની રીતે લાભ ઉઠાવવામાં માહેર હોય છે. વ્યક્તિની નકારાત્મક અવસ્થાનો લાભ ઉઠાવીને પોતાનો ધંધો કરતાં હોય છે કારણ કે હતાશ વ્યક્તિ પોતાની હતાશા દૂર કરવા ગમે તેવી અંધશ્રધ્ધામાં સહેલાઈથી દોરાઈ જતાં હોય છે અને સરવાળે સરળતાથી છેતરાઈ જતાં હોય છે. તમારા ડિપ્રેશનના ઈલાજ માટે માત્ર વૈજ્ઞાનિક રીતે સિદ્વ થયેલા ઉપચાર ઉપર જ વિશ્વાસ રાખો અને તમારી આ અવસ્થાનો ગેરલાભ ઉઠાવી શકે તેવા લેભાગુઓથી દૂર રહીને તમારી જાતને મદદ કરો.

વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો.

ઘણી વ્યક્તિઓના જીવનચરિત્રો તમને ડિપ્રેશન સામે લડવા માટે મનોબળ પૂરું પાડી શકે એમ હોય છે, તેમાંય ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જે પોતે હતાશ મનોદશામાંથી અથવા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા હોય. આ ઉપરાંત પ્રેરણાદાયક વાંચન-પ્રવચન વ્યક્તિને હતાશાની સામે લડવાનું બળ આપે છે. જો તમે તમારી જાતને મદદ કરવા માંગતા હોવ તો ફાલતું વ્યક્તિઓ દ્વારા અપાયેલી બોગલ સલાહો કરતાં સાચા અર્થમાં પ્રેરણા આપે તેવા વાંચનો કે પ્રવચનો વાંચવા-સાંભળવાનો આગ્રહ રાખો. યાદ રાખો સામાન્ય અવસ્થા કરતાં હતાશ અવસ્થામાં તમે તમારા મનને કેવા વિચારોનો ખોરાક આપો છો તે વધારે અગત્યનું છે.

હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો.
Read More »

ડિપ્રેશન વિશે જાણવા જેવું





ડિપ્રેશન વિશે જાણવા જેવું
 


એ વાત જાણીને આપને આંચકો લાગશે કે યુવાનોની આત્મહત્યાના સંદર્ભમાં ભારત પહેલો ક્રમ ધરાવે છે એવું WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે. એનો અર્થ એ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે જેના મૂળમાં મુખ્યત્વે ડિપ્રેશન હોય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૦૪-૨૦૧૪ના વર્ષ દરમિયાન દર વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ૨૦૦૪ની સરખામણીમાં ૨૦૧૪ આ આત્મહત્યા ૧૬ ટકા જેટલી વધી છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ ઓફિશ્યલ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૪માં ૧,૩૧,૬૬૬ સુધી પહોંચ્યા હતા. અલબત્ત, ભારતના સરકારી આંકડા જણાવે છે કે રોજે સરરેશા ૩૭૫ જેટલા આપઘાત થાય છે.

૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં જ ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતની હિસ્સેદારી ૫.૫ ટકા છે. ગયા વર્ષે ભારતમાં ૧૮ થી ૩૦ વર્ષની વય વચ્ચેના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી હતી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી માંડીને બેરોજગારી તેમજ રિલેશનશિપના બધા મુદ્દાઓ આવી જાય છે. આપઘાત માટેનો જે નિરાશાજનક વાતાવરણ સર્જાયું છે તે માટે આપણા સમાજથી લઇ સરકાર સુધી બધા કંઇક કરશે તો જ આનો ઉકેલ આવશે. મનોવિજ્ઞાન એવું માને છે કે, ડિપ્રેશનની ઉચ્ચતમ અવસ્થા એટલે આપઘાત. આપઘાતને નિવારવા ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જરૂરી છે.

એક ઉદાહરણ જોઈએ. ૪૧ વર્ષીય વિધવા મનિષાબેનને છેલ્લા કેટલાંય અઠવાડિયાથી એવું લાગતું હતું કે, જીવન જીવવા જેવું નથી. મારી કોઇને જરૂર નથી. એમને થયા કરતું કે તેમના કુટુંબના સભ્યો તેમને બરાબર સાચવતા નહીં હોય. સારવાર માટે સાયકોલોજીસ્ટ પાસે ગયા ત્યારે એમણે ક્લિનિકલ હિસ્ટ્રી લીધા બાદ કુટુંબના સભ્યોને-દીકરો, દીકરી, દીકરાની વહુ વગેરેને બોલાવ્યા. તેઓએ કહ્યું, અમે તેમને બહુ વધારે સાચવીએ છીએ. ખાવાપીવા સાથેતેમની તબિયત અને માનસન્માન બધાનું ઘણું ધ્યાન રાખીએ છીએ.

ફરી એકવાર મનિષાબેન સાથે સાયકોલોજીસ્ટની વાતચીત થઇ. તેમણે કહ્યું, મને એકલતા લાગે છે. સાચું કહું તો મને એક પુરુષની જરૂર છે. સમાજના લોકો શું કહેશે તેની બીક પણ લાગે છે. જો હું મારી મરજીથી બીજા કોઇ સાથે જીવન વિતાવું. હૂંફ મેળવું આ ઉંમરે, તો લોકો શું કહે? મનિષાબેનના દિલની વાત બે મહિને બહાર આવી. ધીરે ધીરે તેમના કુટુંબના સભ્યોને આ વિશે વાત કરી. બધા સંમત થયા અને આજે તેઓ ઘણી વ્યવસ્થિત રીતે, સ્વસ્થતાથી જીવન વ્યતીત કરે છે..

આ કેસમાં મનિષાબેનના મનમાં પતિને ગુમાવવાનો ખેદ હતો. તેમના વગર બાકીનું જીવન કેમ કરીને વીતશે તે માટે શંકા હતી. તેમના બાળકો પોતપોતાના જીવનમાં સુખી અને સેટલ થઇ રહ્યા હતાં. એટલે હવે તેમનું કોણ? એ પ્રશ્ન તેમને સતાવતો હતો. અને અંતમાં બીજાની (પુરુષ) હૂંફ મેળવવા આગળ વધતા તેમના બાળપણના સંસ્કારો અને લોકો શું કહેશે નો ડર બધું ભેગું હતું.તેથી તેઓ રડ્યાં કરતાં અને મનની વાત કોઇને કહી ન શકતાં.

આપણા સમાજમાં કેટલાય લોકો માનસિક રીતે ચિંતિત છે. મીનાકુમારી, મેરીલીન, મનરો, પ્રિન્સેસ, ડાયેના, વર્જીનીયા વુલ્ફ, વિન્સ્ટન ચર્ચિલ આ બધા વચ્ચે શું સામ્ય છે? જાણો છો? બધા ડિપ્રેશનના દર્દી હતા. લગભગ દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક હતાશાનો સામનો કરવાના પ્રસંગો આવે જ છે. પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે ડિપ્રેશન તરીકે ઓળખાય છે. આપણે હતાશ વ્યક્તિને સરળતાથી કહી દઇએ છીએ કે નિરાશા છોડી દો, ચિંતામુક્ત થાવ, સુખી થવાશે વગેરે વગેરે.. કંઇ કેટલાય કહેવાતા મસીહાઓ, મોર્ડન ગુરુઓ, સક્સેસ શિખવનારાઓ વગેરે આવા પ્રયત્નો કરતા હોય છે, પણ ડિપ્રેશન સરળ રીતે દૂર થાય તેવી તકલીફ નથી. દર ૨૦ પુખ્ત વ્યક્તિમાંથી ઓછામાં ઓછા એકને તો મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર પડે જ છે. મનોચિકિત્સા ક્ષેત્રમાં માનસિક બિમારીઓમાં ડિપ્રેશનનું શરદી-ખાંસી જેવું સ્થાન છે. વ્યક્તિની ઉંમર, જાતિ, જ્ઞાતિ, સંપત્તિ, ખ્યાતિ કાંઇ પણ હોય, ડિપ્રેશન નવજાત શિશુ સિવાય કોઇને પણ થઇ શકે છે. ક્યારેક તે વ્યક્ત થાય તો ક્યારેક નથી થતું.
ડિપ્રેશનની સારવાર

ડિપ્રેશનના બાયોલોજીકલ, સાયકોલોજીકલ, સોશિયો-કલ્ચરલ કે અન્ય કારણો હોઈ શકે. ડિપ્રેશનના નિદાન માટે કોઇ ટેસ્ટ નથી. આ માટે સાઇકોલોજિકલ ટેસ્ટ દ્વારા અને ક્લિનિકલ ડાયોગ્નોસિસથી ડિપ્રેશનને ઓળખી શકાય., ડિપ્રેશનની સારવાર જુદી જુદી રીતે શક્ય છે જેમાં:
એન્ટિડિપ્રેસન્ટ દવાઓ.
સાઇકોથેરાપી.
કોગ્નિટીવ થેરાપી.
બિહેવિયર થેરાપી.
હિપ્નોપ્સીસ થેરાપી.
ગ્રૂપ થેરાપી.
ફેમિલી થેરાપી વગેરેનો સમાવેશ થાય છે..

મોટાભાગના કિસ્સામાં દવાઓનું યોગ્ય પ્રમાણ અને સાયકોથેરાપીને સંતુલિત રીતે ચાલુ રાખવામાં આવે તો દર્દી ચોક્કસપણે રોગમુક્ત થઇ શકે છે. મનોવૈજ્ઞાનિક સારવાર કે મદદ કોઇપણ વ્યક્તિને ગમે ત્યારે જરૂરી બને છે. ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ માટે પણ લોકો જતા હોય છે. આપણા દેશમાં હવે મનોચિકિત્સા લેનાર પ્રત્યે દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઇ રહ્યો છે. માનસિક તકલીફ પ્રત્યે આપણે સૌએ પાળેલો સામાજિક સંકોચ દૂર કરીશું તો માનવતાના નાતે અનેકને નવજીવનનો આનંદ થશે.
ડિપ્રેશનને દૂર રાખવાના સૂચનો
નિયમિત અને સંતુલિત આહાર લેવો.
કેફીન અને ખાંડની માત્રામાં નિયંત્રણ મૂકવું.
દરરોજ ૨૦-૪૦ મિનિટ સુધી કસરત કરવી અથવા ચાલુ, દોડવું કે સાયક્લિંગ કરવું.
હંમેશા સ્વચ્છ અને સારા કપડાં પહેરવાં, વિવિધ લોકોને મળતાં રહેવું.
રમૂજવૃત્તિ વિકસાવો.
કોમેડી સિરિયલ્સ, નાટક કે ફિલ્મો જોવી.
નિરાશ વ્યક્તિને કેવી રીતે મદદ કરી શકો?
તેમના પર જે વીતતું હોય તે માટે સહાનુભૂતિ દર્શાવવી.
તેમનો આત્મવિશ્વાસ વધારતાં સૂચનો અને વાતો કરવી.
તેમને પોતાની શક્તિઓ અને મર્યાદાઓની જાણ કરવી.
શાંતિથી એ સક્રિય રીતે તેમને સાંભળવા.
દર્દી પાસે ધીરે ધીરે સ્વીકાર કરાવો કે એમના જેવી પરિસ્થિતિ બીજાને પણ હોઇ શકે, એટલે કે આ દુનિયામાં તેઓ એકલા નથી.
ક્યારે પણ આપઘાતના કે અન્ય ધમકીને સાવ અવગણશો નહીં.
જરૂરપડે તો નિષ્ણાતને મળવા સૂચન કરવું.
રોજિંદા જીવનક્રમને તેમજ બોડી ક્લોક ને ખલેલ ન પહોંચાડવી.
રિલેકસેશનની ટેકનિક શિખવી જેવી કે ધ્યાન, યોગ, સેલ્ફ હિપ્નોસિસ વગેરે.

માસ્ટર માઈન્ડઃ આપણે મનની વ્યથા કે ચિંતા દૂર કરવા માટે સ્પેશ્યાલિસ્ટ પાસે જઇએ તો ગાંડપણ છે તેવું ના કહેવાય. માથું દુઃખે તો ફિઝીશિયન પાસે નથી જતા તો પછી ચિંતા કે નિરાશામાં સાયકોલોજીસ્ટ પાસે કેમ ન જવાય?

ડિપ્રેશનની સારવાર

ડિપ્રેશનના બાયોલોજીકલ, સાયકોલોજીકલ, સોશિયો-કલ્ચરલ કે અન્ય કારણો હોઈ શકે. ડિપ્રેશનના નિદાન માટે કોઇ ટેસ્ટ નથી. આ માટે સાઇકોલોજિકલ ટેસ્ટ દ્વારા અને ક્લિનિકલ ડાયોગ્નોસિસથી ડિપ્રેશનને ઓળખી શકાય., ડિપ્રેશનની સારવાર જુદી જુદી રીતે શક્ય છે જેમાં:
એન્ટિડિપ્રેસન્ટ દવાઓ.
સાઇકોથેરાપી.
કોગ્નિટીવ થેરાપી.
બિહેવિયર થેરાપી.
હિપ્નોપ્સીસ થેરાપી.
ગ્રૂપ થેરાપી.
ફેમિલી થેરાપી વગેરેનો સમાવેશ થાય છે..

મોટાભાગના કિસ્સામાં દવાઓનું યોગ્ય પ્રમાણ અને સાયકોથેરાપીને સંતુલિત રીતે ચાલુ રાખવામાં આવે તો દર્દી ચોક્કસપણે રોગમુક્ત થઇ શકે છે. મનોવૈજ્ઞાનિક સારવાર કે મદદ કોઇપણ વ્યક્તિને ગમે ત્યારે જરૂરી બને છે. ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ માટે પણ લોકો જતા હોય છે. આપણા દેશમાં હવે મનોચિકિત્સા લેનાર પ્રત્યે દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઇ રહ્યો છે. માનસિક તકલીફ પ્રત્યે આપણે સૌએ પાળેલો સામાજિક સંકોચ દૂર કરીશું તો માનવતાના નાતે અનેકને નવજીવનનો આનંદ થશે.
ડિપ્રેશનને દૂર રાખવાના સૂચનો
નિયમિત અને સંતુલિત આહાર લેવો.
કેફીન અને ખાંડની માત્રામાં નિયંત્રણ મૂકવું.
દરરોજ ૨૦-૪૦ મિનિટ સુધી કસરત કરવી અથવા ચાલુ, દોડવું કે સાયક્લિંગ કરવું.
હંમેશા સ્વચ્છ અને સારા કપડાં પહેરવાં, વિવિધ લોકોને મળતાં રહેવું.
રમૂજવૃત્તિ વિકસાવો.
કોમેડી સિરિયલ્સ, નાટક કે ફિલ્મો જોવી.
નિરાશ વ્યક્તિને કેવી રીતે મદદ કરી શકો?
તેમના પર જે વીતતું હોય તે માટે સહાનુભૂતિ દર્શાવવી.
તેમનો આત્મવિશ્વાસ વધારતાં સૂચનો અને વાતો કરવી.
તેમને પોતાની શક્તિઓ અને મર્યાદાઓની જાણ કરવી.
શાંતિથી એ સક્રિય રીતે તેમને સાંભળવા.
દર્દી પાસે ધીરે ધીરે સ્વીકાર કરાવો કે એમના જેવી પરિસ્થિતિ બીજાને પણ હોઇ શકે, એટલે કે આ દુનિયામાં તેઓ એકલા નથી.
ક્યારે પણ આપઘાતના કે અન્ય ધમકીને સાવ અવગણશો નહીં.
જરૂરપડે તો નિષ્ણાતને મળવા સૂચન કરવું.
રોજિંદા જીવનક્રમને તેમજ બોડી ક્લોક ને ખલેલ ન પહોંચાડવી.
રિલેકસેશનની ટેકનિક શિખવી જેવી કે ધ્યાન, યોગ, સેલ્ફ હિપ્નોસિસ વગેરે.

માસ્ટર માઈન્ડઃ આપણે મનની વ્યથા કે ચિંતા દૂર કરવા માટે સ્પેશ્યાલિસ્ટ પાસે જઇએ તો ગાંડપણ છે તેવું ના કહેવાય. માથું દુઃખે તો ફિઝીશિયન પાસે નથી જતા તો પછી ચિંતા કે નિરાશામાં સાયકોલોજીસ્ટ પાસે કેમ ન જવાય?
સ્ત્રોત: ફેમિના, નવગુજરાત હેલ્થ
Read More »

Tuesday, December 7, 2021

મતદારની વિગતો અપડેટ માટે મતદાર હેલ્પલાઇન સત્તાવાર એપ ઘરેથી ડાઉનલોડ કરો | Updates Voter Details

મતદારની વિગતો અપડેટ માટે મતદાર હેલ્પલાઇન સત્તાવાર એપ ઘરેથી ડાઉનલોડ કરો | Updates Voter Details






મતદારની વિગતો અપડેટ માટે મતદાર હેલ્પલાઇન સત્તાવાર એપ ઘરેથી ડાઉનલોડ કરો | Updates Voter Details : વોટર હેલ્પલાઈન સત્તાવાર એપ અપડેટ માટે ઘરેથી મતદાતાની વિગતો, દેશમાં સક્રિય લોકશાહી નાગરિકતાના નિર્માણના સતત પ્રયાસોને આગળ ધપાવતા, ભારતીય ચૂંટણી પંચે ઉત્સુક ચૂંટણીલક્ષી સગાઈ અને નિર્માણની સંસ્કૃતિ વિકસાવવા માટે મોબાઈલ એપ્લિકેશન ડિઝાઇન કરીને નવી પહેલ હાથ ધરી છે. દેશના નાગરિકો વચ્ચે જાણકાર અને નૈતિક મતપત્ર નિર્ણયો. આ એપનો હેતુ દેશભરના મતદારોને સેવાનો એક જ મુદ્દો અને માહિતી પહોંચાડવાનો છે.

The App Provides Following Facilities To Indian Voters: Voter Helpline Official App

1) Electoral Search (#Go Verify Your Name In The Electoral Roll)

2) Submission Of Online Forms For New Voter Registration, Shifting To A Different The Constituency, For Overseas Voters, Deletion Or Objection In The Electoral Roll, Correction Of Entries & Transposition Within Assembly.

3) Register Complaints Related To Electoral Services And Track Its Disposal Status

4) The FAQ On Voter, Elections, EVM, & Results

5) Service & Resources For Voters & Electoral Officers

6) Find The Election Schedule In Your Area

7) Find All The Candidates, Their Profile, Income Statement, Assets, Criminal Cases

8) Find The Polling Officials And Call Them: BLO, ERO, DEO And CEO

9) Click A Selfie After Voting And Get A Chance To Be Featured In The Official Voter Helpline App Gallery.

10) Download The List Of Contesting Candidates In Pdf Format And Take The Print Out.
ઇ-ઇપીઆઇસી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું: મતદાર હેલ્પલાઇન સત્તાવાર એપ

ઇ-ઇપીઆઇસી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, ડિજિટલ વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો v nvsp.in, વોટર્સ ઇ-ઇપીઆઇસી કાર્ડ અથવા ડિજિટલ મતદાર આઇડી કાર્ડ ફોર્મ 25/01/2021 ડાઉનલોડ કરી શકશે.

બધા સામાન્ય મતદારો કે જેમની પાસે માન્ય EPIC નંબર છે. ખાસ સારાંશ પુનરાવર્તન 2021 દરમિયાન નોંધાયેલા તમામ નવા મતદારો (IE જેણે નવેમ્બર-ડિસેમ્બર 2020 દરમિયાન અરજી કરી હતી) અને જેનો મોબાઇલ નંબર અનન્ય હોય ત્યારે તેને SMS આપવામાં આવશે અને 25 અને 31 જાન્યુઆરી, 2021 ની વચ્ચે E-EPIC ડાઉનલોડ કરી શકશે. અન્ય સામાન્ય મતદારો 1 ફેબ્રુઆરી, 2021 થી E-EPIC ડાઉનલોડ કરો. (તેમ છતાં તેઓ કોઈ SMS પ્રાપ્ત કરશે નહીં).

ઇ-ઇલેકટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ ઇલેકટર ફોટો આઇડેન્ટિટી કાર્ડનું બિન-સંપાદનક્ષમ ડિજિટલ વર્ઝન છે અને તેને ડિજિટલ લોકર જેવી સુવિધાઓમાં સાચવી શકાય છે અને પીડીએફ ફોર્મેટમાં પ્રિન્ટ કરી શકાય છે.

મતદાર હેલ્પલાઈન એપ અને વેબસાઈટ https://voterportal.eci.gov.in/ અને https://www.nvsp.in/ દ્વારા મતદાર ફોટો ઓળખ કાર્ડનું ડિજિટલ વર્ઝન એક્સેસ કરી શકાય છે.
Follow This Steps For Download E-EPIC Card

A. Voters Can Download E-EPIC From http://voterportal.eci.gov.in/ or https://nvsp.in/ Or Voter Helpline Or Mobile App Using Below Steps:

B. Register/Login On Voter Portal

C. From Menu Navigation Click On Download E-EPIC

D. Enter The EPIC Number Or Form Reference Number

E. Verify With OTP Sent On Registered Mobile Number (If Mobile Number Registered With Eroll)

F. Click On Download E-EPIC

G. If Mobile Number Not Registered In Eroll, Click On E-KYC To Complete The KYC

H. Pass The Face Liveness Verification

I. Update Your Mobile Number To Complete KYC

J. Download E-EPIC
Voter Helpline Official App

Voter Helpline App Link : Download
Download E-Aadhar App / |Download E-Aadhar App
Read More »