
ગુજરાતમાં આજે 695 નવા કેસ, આ 4 જિલ્લામાં 24 કલાકમાં નથી નોંધાયો એકપણ નવો કેસ
posted on at
- ગુજરાતમાં ઘટ્યું કોરોના સંક્રમણ
- ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા
- આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 695 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,955 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,122 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,93,028 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 351 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 14,724 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,58,797 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 108 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 79 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 99 કેસ, જ્યારે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 32 કેસ અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
No comments:
Post a Comment