Search This Website

Tuesday, June 8, 2021

હેલ્થ / એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર



હેલ્થ / એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર



ગુજરાતીઓ થેપલા, ફાફડા, ગાંઠીયા જેવી વસ્તુની સાથે મમરા પણ સાથે રાખે જ છે પરંતુ શું તમને ખબર છે મમરાના કેટલા ફાયદા છે?


મમરા ખાવાના છે ઘણા ફાયદા
વજન કંટ્રોલમાં રહે છે
રોજ એક મૂઠ્ઠી મમરા ખાઇ લેવા જોઇએ

ભેળપૂરી, ભેળ, મમરાના લાડવા જેવી વસ્તુઓ તમે ખાઓ છો તેમાં મમરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, પોટેશિયમ જેવા તત્વો હોય છે. જેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે.

એનર્જી વધે છે
મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. મમરામાં ઘણી માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. શરીરના કાર્બ્સને તે ગ્લુકોઝમાં બદલે છે અને તેના કારણે એનર્જી લેવલ વધે છે.

પાચનતંત્ર સારુ રહે છે
મમરા ખાવાથી પાચનતંત્ર સારુ રહે છે. સાથે જ કબજીયાતની તકલીફો દૂર થાય છે. મમરામાં ડાઇટરી ફાઇબર હોય છે જેનાથી પાચનતંત્ર સારુ રહે છે.



ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે
મમરા વિટામિન, મિનરલ્સ, ફાઇટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. જેનાથી જલ્દી બિમાર થવાનો ખતરો ઓછો થઇ જાય છે.

વજન કંટ્રોલમાં રહે છે
મમરામાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે જેથી જે વ્યક્તિ ડાયટ કરી રહ્યું છે તે વારંવાર મમરા ખાય તો તેનું શરીર વધતુ નથી અને ભૂખ પણ સંતોષાય જાય છે. જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.

No comments:

Post a Comment