*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*.
*આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે*
*મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે*.
*આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે*
………
સીએમ રુપાણીએ રાજયના સરકારે એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ કોરોના સંક્રમિત થશે તો તેઓને ખાસ 10 દિવસની રજા આપવામાં આવશે. જો કે, તેઓની કોઈ રજા જમા નહીં પણ હોય તો પણ તે લોકોને ખાસ રજા આપવામાં આવશે. આ 10 દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.
No comments:
Post a Comment