Search This Website

Sunday, October 24, 2021

મામલતદાર બદલી list

 મામલતદાર બદલી list

Countless people, standing in neat, long queues, and waiting for just a single entry pass to sneak a peek of their favorite cricketer, all in front of them.


What is this?


This is the love, dedication, enchantment and devotion that is hard to be expressed in words. And it won't be an exaggeration if you term 'Cricket' to be a religion in India.


On a match-day, expect the roads to be vacant, the offices to be quiet, the students to be missing from the classes and most of the people glued to some digital score-provider.


Do not mind if you are watching the live streaming of the game on your digital device and any unknown person approaches you to ask, "Dude, what's the score?" Believe me, you tell him/her the score and you are doing a deed of kindness.


Such is the fever of cricket in Indians and this runs in their blood similar to any kind of normal cells of the life-liquid.


The God Of Cricket:


If we consider this as a religion, we have also a deity whom we worship as The God. And this God is none other than our very noble and popular 'Sachin Tendulkar'.


Synonymously known as the 'Little Master' and the 'Master Blaster', the God of cricket is a living inspiration for innumerable aspiring enthusiasts almost all across the globe.


If you ever approach an Indian kid that has a bat in his hand and ask him of what he dreams of for his future, do not be surprised if he says that he wishes to become 'Sachin Tendulkar' one day.


This little man is the uncrowned 'king of the hearts' of almost each and every Indian who worships cricket. And though the God has retired from all the formats of this game, he still keeps motivating others, not to become 'Sachin Tendulkar', but to earn a name of their own.


So, this is again a proof for the value of this sport among the Indian fans.


India-Pakistan Matches:


There are very less entertaining events in the world which could be compared to the entertainment, thrill, enchantment and enthrall offered by a cricket match between India and its ever-existing rival Pakistan.


Both the countries have a history of producing cricketing legends and when these two nations fight to win a match, even a non-cricketing-fan is bound to get lured. Each and every ball, almost every over and each inning of these kinds of matches is filled with countless emotions; the emotions that we bear for this sport.


And on the bottomline, cricket could undoubtedly be called as the lifeblood of the Indians which tends to engrave its roots better in the hearts.


 મામલતદાર પરિપત્ર લીસ્ટ જોવા અહીં ડાઉનલોડ કરો 

India is a secular country with due respect to each and every religion. And amongst the popular ones, cricket too stands one, with a head looking more towards the skies.

Read More »

Wednesday, October 20, 2021

તમારા કામનું / WhatsApp એ લૉન્ચ કર્યું કમાલનું ફીચર, જાણીને કહેશો વાહ!

તમારા કામનું / WhatsApp એ લૉન્ચ કર્યું કમાલનું ફીચર, જાણીને કહેશો વાહ!

how to join the ongoing whatsapp group call company launched an amazing feature know about it

કંપનીએ આ ફિચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધી છે. તેની ખાસિયત એ છે કે કોઈ ગ્રુપ કોલમાં તમે વચ્ચેથી જોઈન કરી શકો છો.

  • WhatsApp લઈને આવી રહ્યું છે શાનદાર ફિચર
  • ગ્રુપ વીડિયો કોલમાં હવે પછીથી પણ જોડાઈ શકશો 
  • જાણો ફિચર વિશે દરેક જાણકારી 

WhatsApp પોતાના યુઝર્સની સુવિધા માટે હંમેશા ફેરફાર અથવા અપગ્રેડ કરતું રહે છે. હવે WhatsAppએ એક નવુ ફિચર શરૂ કરવી દીધુ છે. જેના દ્વારા ગ્રુપ કોલમાં વચ્ચેથી જોડાઈ શકો છો. 

હકીકતે કંપનીએ આ એપમાં એક એવા ફિચરને જોડવાની જાહેરાત કરી છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિચરની મદદથી યુઝર્સ મિસ થયેલા ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલને બાદમાં પણ જોઈન કરી શકે છે.

તેનો મતલબ એ છે કે જો કોઈ કોલ આવે છે અને તે કોલ મિસ કોલ થઈ જાય છે અને જો કોલ ચાલી રહ્યો છે તો તે આ ગ્રુપ વીડિયો અથવા વોઈસ કોલની વચ્ચે જોઈન કરી શકાય છે. જો કોલ હજુ પણ ચાલી રહ્યો છે તો તમે ડ્રોપ ઓફ કરીને ફરી જોઈન કરી શકો છો. 

જણાવી દઈએ કે અમુક અઠવાડિયા પહેલા WhatsAppએ આ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. હવે આ ફિચર એ લોકોને ખૂબ ઉપયોગી રહી શકે છે જેમને ગ્રુપ વીડિયો કોલ અથવા વોઈસ કોલની સૌથી વધારે જરૂર હોય છે. ઘણી વખત વચ્ચે કોલ કટ કરવો પડે છે પરંતુ ફરી જોઈન કરવાનો કોઈ ઓપ્શન નથી મળતો. તેની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ ફિચરને લોન્ચ કર્યું છે યુઝર્સ હવે સરળતાથી કોલ ટેબમાં જઈને મિસ થયેલ વોઈસ અથવા વીડિયો કોલને જોઈન કરી શકે છે. 

કંપનીએ જણાવ્યું કે કોલ ઈન્ફો સ્ક્રીન પણ જોવા મળશે. જ્યાં તમે એ જાણી શકો છો કો કેટલા લોકો કોલ પર છે અને કોને ઈનવાઈટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને જોઈન ન કરી શકો. જો તમે Ignore પર ક્લિક કરો છો તો તમે કોલ ટેબ દ્વારા ફરી કોલ જોઈન કરી શકો છો. કંપનીએ જોઈનેબલ કોલને રોલઆઉટ કરવાની શરૂઆત કરી છે. 

ચાલું ગ્રુપ કોલમાં કઈ રીતે થઈ શકો છો શામેલ? 
જો તમે ગ્રુપ વોઈસ અથવા વીડિયો કોલને ઈગ્નોર કર્યો છે તો તમને વોટ્સએપ પર ગ્રુપ ચેટથી સીધા કોલમાં શામેલ થવાનો વિકલ્પ જોવા મળશે. યુઝર્સને એક નોટિફિકેશન જોવા મળશે. જેમાં તે ગ્રુપમાં કેટલા લોકો શામેલ છે તેમના નામની જગ્યા પર ગ્રુપનું નામ જોવા મળશે. સ્ક્રીન પર જોઈનનું બટન દેખાશે. જેના દ્વારા તમે તેની સાથે જોડાઈ શકે છે.

Your work / WhatsApp has launched an amazing feature, knowingly say wow!


 3


 The company has started rolling out this feature.  Its peculiarity is that in a group call you can join from the middle.


 WhatsApp is bringing cool feature


 You can now join a group video call later


 Learn all the information about the feature


 WhatsApp is always changing or upgrading for the convenience of its users.  Now WhatsApp has launched a new feature.  Through which you can join in between group calls.


 In fact, the company has announced the addition of a long-awaited feature to the app.  This feature allows users to view missed group videos or voice calls later.


 3


 This means that if a call comes in and that call is missed call and if the call is running it can be viewed between this group video or voice call.  If the call is still running you can drop off and rejoin.


 Let's say that WhatsApp made this feature available a few weeks ago.  Now this feature can be very useful to people who need group video call or voice call the most.  Sometimes the call has to be cut in between but there is no option to rejoin.  The company has launched this feature keeping in mind its need. Users can now easily view a missed voice or video call by going to the Call tab.


 3


 The call info screen will also be seen, the company said.  Where you can find out how many people are on the call and who were invited but can't see them.  If you click Ignore, you can see the call again through the Call tab.  The company has started rolling out visible calls.


 How can I get involved in an ongoing group call?

 If you have ignored group voice or video calls, you will see the option to call directly from group chat on WhatsApp.  Users will see a notification.  The name of the group will appear in place of the number of people in that group.  The Join button appears on the screen.  Through which you can connect with it


Read More »

Monday, October 18, 2021

Diwali vacation: શું દિવાળી વેકેશનમાં ફરવા જવું છે, તો આ સમાચાર મહત્વના છે

Diwali vacation: શું દિવાળી વેકેશનમાં ફરવા જવું છે, તો આ સમાચાર મહત્વના છે


જો આપ દિવાળીના વેકેશનમાં (Diwali vacation) ફરવા જવાનું  કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો આપે આ સમાચાર જાણવા જરૂરી છે. દીવાળી માં ફરવા જવું હશે તો હવે તમારે વેકસીનના બંને ડોઝ (two dose of corona vaccine) લેવા જરૂરી રહેશે. કારણ કે અમદાવાદના ટુર ઓપરેટર્સએ (Tour Operators of Ahmedabad) પણ વેકસીનેશનના બે ડોઝ લીધા હોય તેવા જ મુસાફરોના બુકિંગ લેવાનો નિર્ણય કર્યો છે. મુસાફરો પણ આ નિર્ણય સેફટી માટે લેવાયો હોવાનું જણાવી નિર્ણયની સરાહના કરી રહ્યા છે.


કોરોનાના કેસ હાલ ઘટ્યા છે છતાં ત્રીજી લહેરની (corona third wave) શક્યતાઓ જોવાઇ રહી છે. પણ કોરોનાને નાથવા વેકસીન એક માત્ર સંજીવની જડીબુટ્ટી સમાન છે.

ત્યારે હવે ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ ટુર પર જવા માંગતા લોકો માટે વેકસીન ના બંને ડોઝ ફરજીયાત કર્યા છે. વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોની જ પ્રવાસ માટે એન્ટ્રી થશે. જેથી જે લોકો હવે દિવાળી ના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તેઓએ હવે વેકસીન ના બંને ડોઝ લેવા પડશે. આ અંગે ઝીરો કિમિ ટ્રાવેલ્સના ટુર ઓપરેટર આલાપ મોદી જણાવી રહ્યા છે કે હાલમાં તમામ પ્રવાસના સ્થળો પર વેકસીન લીધી હોય તેવા જ લોકોને પ્રવેશ આપી રહ્યા છે.

માત્ર ભારત ના ડોમેસ્ટિક પ્રવાસન સ્થળો નહિ પરંતુ દુબઈ, યુરોપ સહિત જે પણ પ્રવાસના સ્થળો છે ત્યાં  વેકસીનેશન સર્ટિ ઉપરાંત RTPCR ટેસ્ટ પણ માંગી રહ્યા છે. જેથી મોટા ભાગના ટુર ઓપરેટર્સ તેમને ત્યાં ઇન્કવાયરી માટે પણ જે લોકો આવે છે તેઓને પહેલાથી જ વેકસીનના બંને ડોઝ લઈ લેવાનું જણાવવામાં આવે છે જેથી કરીને તેઓને જેતે પ્રવાસન સ્થળે પહોંચ્યા પછી કોઈ તકલીફ ન પડે.

આ નિયમના અમલથી તમામ પ્રવાસીઓ બેફિકર રહીને પ્રવાસનો આનંદ માણી શકશે. મહત્વનુ છે કે પ્રવાસન સ્થળો હોય જે સરકારી જાહેર સ્થળો જ્યાં વેકસીન સર્ટિ ફિકેટ ફરજીયાત કરાય છે ત્યારે એ આગામી દિવસોમાં હોટેલ્સ રેસ્ટોરન્ટમાં પણ આ નિયમ લાગુ પડે તેવું આયોજન થાય તો નવાઈ નહિ.

Read More »

Sunday, October 17, 2021

બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત


આજકાલ આખી દુનિયાની સાથે ભારતમાં પણ ઈલેક્ટ્રીક વ્હીકલની જોરશોરથી વાતો થઈ રહી છે, કેટલીક કંપનીઓએ ઈલેક્ટ્રીક કાર લોન્ચ પણ કરી દીધી છે. જોકે, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ હાલ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની ઉતાવળમાં નથી. કંપનીનું કહેવું છે કે તે આ સેગમેન્ટમાં ચોક્કસ આવશે, પરંતુ તેના માટે તે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે હાલમાં જ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ઈલક્ટ્રીક ગાડીઓ ગ્રાહકોને પરવડે તેવી કિંમતમાં વેચી શકાય તે સ્થિતિ ના આવે ત્યાં સુધી મારુતિ આ સેગમેન્ટમાં નહીં આવે.


શેરહોલ્ડર્સને સંબોધતા આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું કે કંપની ખોટ ખાઈને ઈલેક્ટ્રીક ગાડીઓ બનાવવા નથી માગતી. તેમણે કહ્યું હતું કે દેશમાં જ્યારે ઈલેક્ટ્રીક ગાડીઓ લોકોને પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ થશે ત્યારે જ તેનું મોટાપાયે ઉત્પાદન શક્ય છે. મારુતિ આ સેગમેન્ટમાં ચોક્કસ આવશે, ઈલેક્ટ્રીક કાર પણ બનાવશે પરંતુ તેના માટે યોગ્ય સમય આવે ત્યારે જ, તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં હાલ ઈલેક્ટ્રીક વાહનો માટે મોટાપાયે તૈયારીઓ થઈ રહી છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા, બજાજ, ટીવીએસ, એમજી જેવી કંપનીઓએ પોતાના ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર લોન્ચ પણ કરી દીધા છે. ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધારવા માટે સરકારે FAME સ્કીમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેક્ટ્રીક વ્હીકલ)ની મર્યાદા 31 માર્ચ 2024 સુધી લંબાવી છે. ક્રુડ ઓઈલની આયાતના વધતા જતા ખર્ચમાંથી રાહત મેળવવાનો તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવાનો એકમાત્ર ઓપ્શન ઈલેક્ટ્રીક વાહનો છે. ગુજરાત સહિતના કેટલાક રાજ્યોએ ઈલેક્ટ્રીક વાહનો પર સબસિડીની યોજનાઓ પણ અમલમાં મૂકી દીધી છે.

ઈલેક્ટ્રીક વ્હીકલની વાતો મોટાપાયે થઈ રહી છે, પરંતુ ઈલેક્ટ્રીક કારની કિંમત હજુય સામાન્ય માણસની પહોંચથી દૂર છે. વળી, ચાર્જિંગ માટેનું યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુય વિકસ્યું ના હોવાથી ઘણી કાર કંપની ઈલેક્ટ્રીક કારનું ઉત્પાદન કરવામાં અચકાઈ રહી છે. દેશમાં હાલ ટાટા નેક્સોન EV સૌથી સફળ ઈલેક્ટ્રીક કાર ગણવામાં આવે છે. ટાટા થોડા દિવસોમાં Tigor EV પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટાટાની ઈલેક્ટ્રીક કાર્સ સિંગલ ચાર્જમાં 300 કિમીની આસપાસની રેન્જ આપે છે. જોકે તેની કિંમત 10 લાખથી વધારે થાય છે.



સુઝુકી મોર્ટસ કૉર્પ ભારતમાં તેમની પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ 2025 સુધીમાં  કંપની ભારત પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરી શકે છે. સુઝુકી મારૂતિની સાથે મળીને  કામ કરી રહી છે. આ કારની કિંમતની વાત કરીએ તો 15 લાખથી માંડીને 10 લાખ સુધીની દર્શાવવામાં આવી છે. જો કે હાલ ભારતમાં ઇલેકટ્રિક વાહનનું વેચાણ ખૂબ જ ધીમું છે. ભારત સરકાર વર્ષ 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્કિ વાહનોનું લક્ષ્ય નિશ્ચિત કરી ચૂકી છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ વધારવા માટે સરકાર સબસિડી પણ આપી રહી છે. હાલ ગુજરાત સરકારની નવી EV પોલિસીના કારણે પણ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. સુજુકીની ઇલેક્ટ્રીક કારના લોન્ચિંગને હજુ સમય છે પરંતુ Maruti Suzuki Wagon R EV ઝડપથી લોન્ચ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.


Read More »

Saturday, October 16, 2021

BREAKING: Lokarakshak Recruitment | iCC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહાર


BIG BREAKING: Lokarakshak Recruitment

Source: Twitter



આઈસીસી વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.  


એમએસ ધોનીને મળી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.


અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો. તો ભારતે સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ નજરઅંદાજ કર્યો છે. 


ભારતીય ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે. 

Read More »

ગુજરાતમાં શિયાળાનું આગમન, મોડી રાત્રે ઠંડીનો ચમકારો


  ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. નવરાત્રી પુરી થઈ અને હવે થોડા દિવસમાં દિવાળીનો તહેવાર પણ આવશે. અટેલે શિયાળો ધીમે ધીમે જામવા લાગશે. હવે વરસાદે સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે.

હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. .

આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે.

આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

Read More »

આનંદો! ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત


CM Bhupendra Patel took an important decision for government employees

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત,દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે

  • સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે
  • દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 
  • પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે

ગુજરાતના 17માં મુખ્યમંત્રી બનતા જ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં રહ્યા છે, એક પછી એક મોટા નિર્ણયો લઈને સૌને ચોંકાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે.


દિવાળીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 

અહીં ઉલ્લેખનિય છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે,એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે, જેથી કર્મચારીઓ દિવાળી આનંદથી ઉજવી શકે, આ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. 

Read More »

Success Story: એક 22 વર્ષનો છોકરો MPથી અમદાવાદ આવ્યો અને ચા વેચી બન્યો કરોડપતિ



ફુલ્લે અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં નોકરી શરૂ કરી. અહીં પ્રફુલને 37 રૂપિયા પ્રતિ કલાકના દરે પગાર મળતો હતો, પપ્પા પાસે જુઠુ બોલી ભણવાના નામે 10,000 હજાર માંગ્યા અને...


નવી દિલ્હી : ટોચની IIM માંથી બિઝનેસ અને entrepreneurship અભ્યાસ એ લાખો ઉમેદવારોનું સ્વપ્ન હોય છે, જે દર વર્ષે CAT, XAT અને MAT સહિત MBA પ્રવેશ પરીક્ષામાં બેસે છે. મધ્યપ્રદેશના લબરાવાડા ગામના ખેડૂતના પુત્ર પ્રફુલ બિલોરે (Praful Billore) પણ આ જ સપનું જોયું હતું. પ્રફુલ્લ અમદાવાદ IIM અમદાવાદનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો. ત્યાં, સતત ત્રણ વર્ષ સુધી કોમન એડમિશન ટેસ્ટ (CAIT) ની તૈયારી કરવા છતાં, જ્યારે તે CATની પરીક્ષા પાસ કરી શક્યો નહીં, ત્યારે તેણે ચાની દુકાન ખોલીને તેનું નામ 'MBA ચાઇવાલા' રાખ્યું. આજે, એમબીએ ચાઇવાલાના દેશભરમાં 22 થી વધુ આઉટલેટ્સ છે અને હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય આઉટલેટ ખોલવા જઈ રહ્યો છે. હાલમાં પ્રફુલ્લ કરોડપતિ છે. આવો જાણીએ તેની સફળતાની કહાની.

ધારના એક નાનકડા ગામ લબરાવડાનો ખેડૂત પરિવારના પ્રફુલ્લ બિલૌર આઇઆઇએમ અમદાવાદમાંથી એમબીએ કરવા માંગતો હતો, પરંતુ જ્યારે સફળતા ન મળી ત્યારે તેણે દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરો તરફ વળ્યો પરંતુ દિલ લાગ્યું તેનું અમદાવાદમાં. પ્રફુલ્લને અમદાવાદ શહેર એટલું ગમ્યું કે તેણે ત્યાં સ્થાયી થવાનું વિચારવાનું શરૂ કર્યું. હવે તેને જીવવા માટે પૈસાની જરૂર પડે અને તેણે પૈસા માટે કંઈક કરવું પડશે, એમ વિચારીને પ્રફુલ્લે અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં નોકરી શરૂ કરી. અહીં પ્રફુલને 37 રૂપિયા પ્રતિ કલાકના દરે પગાર મળતો હતો અને તે દિવસમાં લગભગ 12 કલાક કામ કરતો હતો.

કામ શરૂ કરવા માટે પ્રફુલે તેના પિતા પાસે ખોટું બોલ્યું અને અભ્યાસના નામે 10 હજાર રૂપિયા માંગ્યા. આ પૈસાથી પ્રફુલે ચાનો સ્ટોલ ઉભો કરવાનું શરૂ કર્યું.


આજે એમબીએ ચાયવાલા એક બ્રાન્ડ બની ગઈ છે. દેશના 22 મોટા શહેરોમાં તેના આઉટલેટ્સ છે અને હવે ફ્રેન્ચાઇઝી વિદેશમાં પણ ખોલવા જઇ રહી છે. પ્રફુલ્લ બિલૌર કહે છે કે, તેના પરિવારે તેને ઘણો સાથ આપ્યો છે, તે માને છે કે જો તમે કોઈ પણ કાર્ય માટે નિષ્ઠાપૂર્વક કામ કરો છો તો સફળતા ચોક્કસ મળે છે


હવે આખા દેશમાં તેની પ્રશંસા થઈ રહી છે

પ્રફુલની સફળતાએ તેની મજાક ઉડાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો, પ્રફુલે કહ્યું કે, હવે લોકો મારી સલાહ માગે છે. હું તેમને કહું છું, ડિગ્રી હોય એ જરૂરી નથી. મને જે ગમે છે તે હું કરું છું. તમને જણાવી દઈએ કે, પ્રફુલે એમબીએ છોડી દીધું અને ચાનો સ્ટોલ કર્યો. ચાનો ધંધો શરૂ કર્યાના 4 વર્ષમાં જ તેણે 3 કરોડ રૂપિયાની કમાણી કરી અને દેશભરમાં પ્રશંસા મેળવી. પ્રફુલ્લ બિલારેની દુકાન એમબીએ ચાયવાલા આજે યુવાનોમાં લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે.

Read More »

Friday, October 15, 2021

IPL 2021 FINAL: ધોનીના સુપર કિંગ્સનો શાનદાર વિજય, ચોથી વખત જીતી ટ્રોફી

IPL 2021 FINAL: ધોનીના સુપર કિંગ્સનો શાનદાર વિજય, ચોથી વખત જીતી ટ્રોફી

ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચેની આજે ફાઈનલમાં ચેન્નાઈનો શાનદાર વિજય થયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી.

ચેન્નઈએ આપેલા સ્કોરને પુરો કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સે મજબૂત શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાવરપ્લેમાં 55 રન જોડી દીધા હતા. ગિલ અને વેંકટેશે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.

વેંકટેશ અય્યરે આ સીઝનની ચોથી અડદી સદી ફટકારતા 51 રન બનાવ્યા હતા. અય્યર 51 રન બનાવી ચાહરનો શિકાર બન્યો હતો. શુભમન ગિલ 50 રન બનાવી આઉટ થયો હતો. નીતિશ રાણા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. સુનીલ નારાયણ બે રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. મોર્ગનની વિકેટ હેઝલવુડને મળી હતી.

દિનેશ કાર્તિક 9 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. શાકિબ અલ-હસન શૂન્ય રને જાડેજાની ઓવરમાં LBW આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી માત્ર બે રન બનાવી શક્યો હતો. શિવમ માવી 13 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈને ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પારવપ્લેમાં 50 રન જોડી દીધા હતા. ચેન્નઈને પ્રથમ ઝટકો ઈનિંગની 9મી ઓવરમાં ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. ગાયકવાડ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સાથે 32 રન બનાવી સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો.

ચેન્નઈના સીનિયર ઓપનર ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈની ઈનિંગની કમાન સંભાળી હતી. ફાફે પ્રથમ વિકેટ માટે ગાયકવાડ સાથે 61 રન તો ઉથપ્પા સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મોઇન અલી અને ડુ પ્લેસિસે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 57 બોલનો સામનો કરતા 86 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં ત્રણ સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા રોબિન ઉથપ્પાએ ચેન્નઈની ઈનિંગને ગતિ આપી હતી. ઉથપ્પાએ માત્ર 15 બોલમાં ત્રણ સિક્સ સાથે 31 રનની ઈનિંગ રમી હતી. મોઇન અલીએ પણ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 190ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. મોઇન અલી 20 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો.

Read More »

યોગાસનોમાં આસનોના રાજા અને આસનોની રાણી વિશે

શીર્ષાસન ( આસનોનો રાજા )

શીર્ષાસનને

આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે
શીર્ષ એટલે મસ્તક, માથું અને આ આસનમાં માથા પર ઉભા રહેવાનું હોય છે, એટલે એને શીર્ષાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત શીર્ષનો બીજો એક અર્થ પણ છે-શ્રેષ્ઠ, ઉત્તમ. આસનોમાં આ આસન શ્રેષ્ઠ છે, આથી પણ એને શીર્ષાસન કહેવામાં આવે છે. એ સૌથી મહત્ત્વનું અને લાભકારી આસન હોવા સાથે જો એને ભુલભરેલી પદ્ધતીથી કરવામાં આવે તો નુકસાન પણ એટલું જ થાય છે. આથી એને યોગ્ય રીતે કરવું ખુબ મહત્ત્વનું છે.

શીર્ષાસન એક એવું આસન છે જેનો અભ્યાસ કરવાથી અનેક નાની બીમારીઓ દુર થઈ શકે છે. મનુષ્ય શરીરનાં બધાં જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (જ્ઞાનતંત્ર)ને ચેતનવંતું બનાવવા તથા શારીરીક અને માનસીક તનાવમાંથી મુક્તી મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસનથી આપણું પાચનતંત્ર સારું રહે છે, રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરને બળ પ્રાપ્ત થાય છે. તેનાથી મસ્તીષ્કમાં રક્ત સંચાર વધે છે, જેનાથી સ્મરણશક્તી વધી શકે છે. હીસ્ટીરીયા તથા અંડકોષ વૃદ્ધી, હર્નીયા, કબજીયાત વગેરે રોગો નથી થતા. તેનાથી વાળ કસમયે ખરતા નથી તથા સફેદ થતા અટકે છે. આ આસનથી આપણા આખા શરીરની માંસપેશીઓ સક્રીય થઈ જાય છે. આથી શારીરીક બળ મળે છે.જો કે આ આસન કંઈક મુશ્કેલ છે. તે સીદ્ધ કરવું બધાં માટે સહજ નથી.

આસનો કરતી વખતે શીર્ષાસન ક્યારે કરવું? શરુઆતમાં, મધ્યમાં કે અંતે? કેટલાક લોકો શરુઆતમાં, લોહી ગરમ ન થયેલું હોય ત્યારે કરવામાં માને છે, કેટલાક બધી કસરતના અંતે કરવાનું કહે છે. હું થોડી વૉર્મીંગ અપની કસરત કર્યા પછી શીર્ષાસન કરું છું. એમાં તાડાસન, કમરઝુક, તીર્યક તાડાસન અને કોણાસનનો સમાવેશ થાયછે. આથી મેં શરુઆત આ આસનો અને કસરતથી કરી છે.

શીર્ષાસનની વીધીઃ

સૌથી પહેલાં સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી નરમ આસન બનાવો. અહીં પરદેશમાં મોટા ભાગનાં ઘરોમાં લાકડાના ફ્લોર (ભોંયતળીયા) પર કારપેટ હોય છે. એની નીચે નરમ રબર જેવા પદાર્થનું પડ (અન્ડરલે) પાથરેલું હોય છે. તેના પર બીજો કારપેટનો ટુકડો હોય છે. આથી એના પર બીજું કશું જ પાથરવાની જરુર વીના શીર્ષાસન કરી શકાય. હું વર્ષોથી એ રીતે કરું છું. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી, કારણ કે એમાં માથાનો ભાગ આસન પર મુકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીતે પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ છે. લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાશવાળું આસન બનાવી શકાય.

પદ્ધતિ :

શીર્ષાસન કરવા માટે વજ્રાસનમાં બેસો. હવે આગળ તરફ ઝુકી બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીને માથાને બંને હથેળીની વચ્ચે રાખો. શ્વાસ સામાન્ય રાખો. હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મુકવો જોઈએ. આ સ્થીતીમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રીકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રીકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પુરું વજન માથા ઉપર છોડીને શરીરને ઉપર ઉઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. આ વખતે હજુ પગ ઘુંટણમાંથી વળેલા હશે. એને ધીમે ધીમે સીધા કરવુ

શરીર સીધું કરી લો એટલે શીર્ષાસન.


સર્વાંગાસન( આસનોની રાણી)



યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની અગત્યતા સમજાશે. સર્વ અંગો ઉપર અસર કરતું આસન એટલે સર્વાંગાસન. આ આસન આપણા શરીરને અદભૂત લાભ આપે છે. આ આસન માત્ર શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક અને માનસિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે.

મૂળ સ્થિતિ : પીઠ પર ચત્તા સૂઈ જવું.

પદ્ધતિ :

  • પીઠ પર ચત્તા સૂઈ જાઓ.
  • બંને પગ ભેગા કરી શ્વાસ અંદરની તરફ ભરી બંને પગને એકી સાથે ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરો.
  • પગ કમરના ભાગથી થોડા ઊંચા થાય ત્યારે બંને હાથ પીઠ પાછળ ગોઠવી શરીરને ટેકો આપો.
  • હાથની કોણીઓ જમીન ઉપર રહેવી જોઈએ. બંને પગ આકાશતરફ 90o ખૂણે ગરદન અને ખભા જમીનને અડકીને રહેશે.
  • શરીર હલે નહિ તે રીતે પગ સીધા રાખો.
  • પંજા આકાશ તરફ ખેંચાયેલા રાખી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસન કરી શકાય.
  • આ આસનમાંથી પાછા ફરતી વખતે પગને માથા તરફ વાળી શરીરને ઢીલું કરી જમીન તરફ લાવો.
  • કમર ઉપર હાથને સરકાવતાં ધીરે ધીરે બંને પગ અને પીઠ મૂળ સ્થિતિમાં લાવો.
  • ઓછામાં ઓછી 60 સેકન્ડ માટે વિશ્રામ કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પગને વાળવા નહિ.
  • પગને વધારે પડતા પાછળ ઝૂકાવી દેવા નહિ.
  • આસન દરમિયાન પગને જોડેલા રાખવા.
  • આસનમાંથી પાછા ફરતાં માથું જમીનથી ન ઉઠાવવું.
  • ઝટકા સાથે આસન ન છોડવૂં.
  • આ આસન દરમિયાન નજર પગની આંગળીઓ પર સ્થિર કરવી.

ફાયદા :

  • શરીરના તમામ તંત્રો જેવા કે ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શરીરના આંતરિક અવયવો ઉપર ખૂબ સારી અસર કરે છે.
  • સર્વાંગાસનથી થાઈરોઈડ ગ્રંથિના બધા કોષોને ઑક્સિજન અને પોષક તત્વો મળે છે.
  • સર્વાંગાસન થાઈરોઈડની ક્ષમતાને અને ક્રમશઃ આખા શરીરને સુધારવામાં સીધો ફાળો આપે છે.
  • આ આસનથી યાદશક્તી વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
  • આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. 
  • સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે.
  • કરોડના સર્વાઈકલ ભાગે ખેંચાણ આવવાથી કાર્યશક્તિ અને નમનીયતા વધે છે.
  • ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
  • મગજને વધારે  રક્તથી પોષણ આપે છે.
  • હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
  • કબજીયાતમાં સર્વાંગાસન ખૂબ જ લાભદાયી છે.
  • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
  • સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.

સાવચેતી :

  • ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
  • થોઈરોઈડના અતિવિકાસવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • ખૂબ જ નબળા હૃદયવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
  • જેમણે કમરની ગાદીની તકલીફ હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.
  • જેમની આંખોની નસો નબળી હોય તેવા લોકોએ પણ આ આસન કરવું જોઈએ નહિ.
  • કાનમાં રસી આવતી હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.





Read More »

આજે IPL 2021ની ફાઇનલમાં બે વિશ્વ વિજેતા ટીમના કપ્તાનની ટીમો વચ્ચે ટક્કર


IPL 2021નો ફાઇનલ મુકાબલો શુક્રવારે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડરની એકબીજા સામે ટકરાશે. ચેન્નાઇ આ પહેલા 3 વખત IPL માં ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે કોલકત્તાની ટીમ 2 વખત IPLમાં ચેમ્પિયન રહી ચુકી છે. આજનો મુકાબલો રોમાંચક બની રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંને ટીમોના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યાં છે. બંને ટીમો છેલ્લી 3 મેચથી જીત મેળવી ફાઇનલ મુકાબલા સુધી પહોંચી છે. ત્યારે ક્રિકેટ ચાહકોમાં આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેને લઇ ઉત્તેજના દેખાઇ રહી છે.

IPLની ફાઇનલમાં બે એવી ટીમો વચ્ચે ટક્કર થશે જેમણે શરૂઆતના ભાગમાં નબળું પ્રદર્શન છતાં જોરદાર વાપસી કરી ફાઇનલ સુધી પહોંચી. ચેન્નાઇ સુપર કિંગની ટીમ ગત સિઝનમાં છેલ્લા ક્રમે રહી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સે વર્તમાન સિઝનના પ્રથમ 7માંથી 5 મેચ હારી ચુકી હતી ત્યારબાદ બીજી સિઝનમાં જોરદાર વાપસી કરી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સને દુબઇ કિંગ્સ તરીકે ઓળખવામાં આવી રહી છે.

બંને ટીમના કપ્તાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોત-પોતાની ટીમને વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. બંને વિશ્વ વિજેતા ટીમના કપ્તાનો કોઇ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રથમ વખત આમને સામેને ટકરાઇ રહ્યાં છે. બંનેની પ્રકૃતિ એક સમાન છે. શાંત ચીત્તે તેઓ રમતને પોતાની તરફેણમાં લઇ જવા સક્ષમ છે. બંને ટીમનો બેટિંગનો મદાર ટોપ 4 પર આધારિત છે. સ્પીન બોલિંગમાં બંને ટીમો પાસે શાનદાર બોલર્સ ઉપલબ્ધ છે.

આજની ફાઇલન મેચ જીતવા માટે ધોની એટલે સુપર કિંગ્સને ફેવરિટ માનવામાં આવી રહી છે. પરંતુ કોલકત્તાનું જે પ્રમાણેનું બીજા ભાગમાં પ્રદર્શન રહ્યું તે જોતા કોલકત્તા પણ ફાઇલન જીતી ત્રીજી વખત IPL ચેમ્પિયન બનવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. મેચનો આધાર ટોસ પરથી નક્કી થશે. જે ટીમ ટોસ જીતશે તેના ભાગમાં IPLની ચેમ્પિયનશીપ જીતવાની સંભાવનાઓ વધી જશે.

Read More »

Thursday, October 14, 2021

દરરોજ 50 રૂપિયા બચાવીને બનો કરોડપતિ


you can become a millionaire by saving 50 rupees a day know more

જો તમે ક્યાય ઈન્વેસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. જેમાં દરરોજ 50 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકો છો

25 વર્ષની ઉંમરમાં રોકાણ 
જો તમે 25 વર્ષની ઉંમરથી રોજ 50 રૂપિયા બચાવવાનું શરૂ કરો છો અને તેમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા ઈન્વેસ્ટ કરી શકો છો. તો 60 વર્ષની ઉંમરમાં તમે સરળતાથી કરોડપતિ બની જશો. એટલે કે 35 વર્ષમાં તમારે ફક્ત 50 રૂપિયા દરરોજ સેવિંગ કરવાનું છે.

શું છે કરોડપતિ બનવાનું ગણિત 
જો તમે 50 રૂપિયા દરરોજ બચાવો છો તો મહિનાના 1500 રૂપિયા થશે. ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડ સરેરાશ  12થી 15 ટકા સુધી રિટર્ન આપે છે. આ હિસાબથી જો 35 વર્ષના લોન્ગ ટાઈમ પીરિયડ સુધી તમે ઈન્વેસ્ટ કરી શકો છો તો કુલ 6.3 લાખ રૂપિયા જમા થઈ જશે. તેના પર 12.5 ટકાનું રિટર્ન મળવા પર તેની વેલ્યુ 1.1 કરોડ રૂપિયા થઈ જશે. 

30 રૂપિયાની ઉંમરમાં રોકાણ 
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા 30 વર્ષની ઉંમરમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી શકો  છો. તો તમારે ઈન્વેસ્ટની સમય મર્યાદા 5 વર્ષ ઓછી થઈ જશે અને તમે 30 વર્ષનું રોકાણ કરી શકશો. તેમાં 1500 રૂપિયા મહિનાના હિસાબથી 30 વર્ષના સમયગાળામાં કુલ 5.4 લાખ રૂપિયા ઈન્વેસ્ટ થશે. તેમાં કુલ વેલ્યુ 59.2 લાખ રૂપિયા થઈ જશે. કુલ મળીને 5 વર્ષના રોકાણનો સમય ઘટવાથી તમારે લગભગ 40 લાખ રૂપિયાનું નુકસાન થશે. 

Read More »

વિશ્વના સૌથી સસ્તા અને મોંઘા પેટ્રોલ દર ધરાવતા દેશો પર એક નજર




વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ ખૂબ સસ્તું છે. અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું છે અને મોંઘું છે. આ દેશોમાં પેટ્રોલની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે


 સસ્તુ પેટ્રોલ ધરાવતા દેશો 

દેશ             પેટ્રોલ (રૂ./લિટર)


વેનેઝુએલા    1.49

ઈરાન           4.46

અંગોલા        17.20

અલ્જેરિયા     25.04

કુવૈત             25.97

નાઇજીરીયા    29.93

કઝાકિસ્તાન   34.20

ઇથોપિયા       34.70

મલેશિયા        36.62


 *મોંઘુ પેટ્રોલ ધરાવતા દેશો*
 દેશ                   પેટ્રોલ ( રૂ./ લીટર )

હોંગકોંગ              165

 આઇસલેન્ડ         160

 નોર્વે                   157

 નેધરલેન્ડ             149

 બાર્બાડોસ           149

  ગ્રીસ                 146

  ઈટલી               146

 ડેનમાર્ક               145

 ઇઝરાયેલ           144
Read More »