Search This Website

Wednesday, June 30, 2021

📚શિક્ષણ વિભાગમાં એક જ દિવસે 27 જેટલા અધિકારીઓ નિવૃત્ત


📚શિક્ષણ વિભાગમાં એક જ દિવસે 27 જેટલા અધિકારીઓ નિવૃત્ત





સાગમટે બદલી કે બઢતી નહિ બલ્કે નિવૃત્ત થયા

નિવૃત અધિકારીઓના ચાર્જ મોડીરાત સુધીમાં સોંપવાની કવાયત હાથ ધરાઈ

ગાંધીનગર: સાગમટે બદલી અથવા તો નિમણુંક કે પછી બઢતીના હુકમો થયા હોવાનું સાંભળ્યું છે. પરંતુ સાગમટે નિવૃત થયાની ઘટના રાજ્યના શિક્ષણ વિભાગમાં આજે બની છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં બુધવારના રોજ 27 જેટલા અધિકારીઓ એક સાથે નિવૃત્ત થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સહિત અન્ય કેટલાક ડીઈઓ અને ડીપીઈઓ બુધવારે નિવૃત્ત થતા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ જગ્યા પર હવે વિભાગ દ્વારા અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવાની શરૂઆત થઈ ગઈ છે.

આજે 30 જૂનના રોજ રાજ્યના શિક્ષણ વિભાગમાંથી કુલ 27 જેટલા અધિકારીઓ એક સાથે નિવૃત્ત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામક બી.એમ. નિનામા, આણંદના જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી. પટેલ, પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, પાટણના ડીઈઓ અર્જુનસિંહ ઝાલા બુધવારે નિવૃત્ત થયા છે.

આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગના હિસાબી અધિકારી, શ્રેયાન અધિક્ષક, ઓડીટર ગ્રુપ-1, હેડ ક્વાર્ટર, સિનિયર ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક સહિત 27 જેટલા અધિકારીઓ નિવૃત્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ અધિકારીઓનો બુધવારે નોકરીનો છેલ્લો દિવસો હોવાથી તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. અધિકારીઓને મળવા લોકોનો ભારે ધસારો દિવસ દરમિયાન જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેર ડીઈઓ પણ નિવૃત્ત થયા હોવાથી તેમને મળવા પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તમામ અધિકારીઓ નિવૃત્ત થયા બાદ હવે તેમની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધીમાં આ જગ્યાઓ પર અન્ય અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.




Read More »

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી

 

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી


પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી આપી દેવાઈ છે.




બુધવારે પીએમની આગેવાનીમાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક
ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી અપાઈ
નેટ યોજનાામાં દરેક ગામને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે


બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયોની માહિતી આપી.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કેન્દ્રિય કેબિનેટે 19 હજાર કરોડના ભારત નેટ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દરેક ગામમાં બ્રોડબેન્ડ સિસ્ટમ પહોંચાડવાનું કામ શરુ કરશે.


19 હજાર કરોડના ખર્ચવાળી ભારત નેટ યોજના શરુ કરાઈ

દેશના 16 રાજ્યોમાં ભારત નેટ પીપીપી મોડલ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. કુલ પ્રોજેક્ટ 29 હજાર કરોડનો છે જ્યારે ભારત સરકાર 19 હજાર કરોડનો હિસ્સો છે. 3 લાખ કરતા પણ વધારે ગામડાઓને બ્રોડબેન્ડની જોડવામાં આવશે. આ પેકેજમાં કુલ 9 પેકેજ આવશે, એક પ્લેયરને વધારેમાં વધારે 4 પેકેજ આપવામાં આવશે.

પાવર સેક્ટર માટે થઈ આ જાહેરાત
વીજળી ક્ષેત્રમાં પણ સુધારા અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો વતી પ્લાન માંગવામાં આવશે અને કેન્દ્ર સરકાર પૈસાની ફાળવણી કરશે. તે ઉપરાંત મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમ પણ લાગુ કરાવની સરકારની તૈયારી છે.

સોલર સિસ્ટમને પણ મજબૂત કરવાનો પ્લાન છે. જુની એચટી-એલટી લાઈન્સને બદલી નાખવામાં આવશે જેથી કરીને 24 કલાક વીજળી મળી રહે. સાથે ગરીબો માટે દરરોજના ધોરણે રિચાર્જ સિસ્ટમ પણ લાવવામાં આવશે.

Read More »

ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા CCTV ધરાવતી શાળાને જ કેન્દ્ર અપાશે

ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા CCTV ધરાવતી શાળાને જ કેન્દ્ર અપાશે





સ્ટ્રોંગરૂમ રેકોર્ડીંગની પણ અલગ ફાઈલ બનાવવાની રહેશે, માર્ગદર્શક સુચનાઓ પણ ડીઈઓને મોકલી




ગાંધીનગરઃ આગામી 15 જુલાઈથી શરૂ થનારી ધો.10 અને 12ની રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાર્થી પર CCTVથી નજર રખાશે. તેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરીક્ષા કેન્દ્રોના CCTV ચાલુ હોવા અંગેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો છે.

જે સ્કૂલોને પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં કેમેરાની વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી કરી બોર્ડને અહેવાલ સુપરત કરાશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા CCTV કેમેરા અંગેની માર્ગદર્શક સુચનાઓ પણ ડીઈઓને મોકલી આપી છે. કેમેરામાં વિડીયોની સાથે ઓડીયો રેકોર્ડીંગની પણ સુવિધા હોવી જોઈએ તે માટે પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ જિલ્લાની સીડી વ્યુઈંગ તેમજ કોપી કેસ તૈયાર કરવા અંગેની કામગીરી વધારે સારી રીતે કરવા માટે તાકીદ કરી છે.

આગામી જુલાઈ 2021માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ-12ના ખાનગી, રિપીટર અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા દરમિયાન CCTV કવરેજ અસરકારક રીતે કરવા માટે બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. જે સ્કુલોને છેલ્લા 3 વર્ષ દરમિયાન મંજુરી મળી હોય અને તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યો હોય તો તેવી શાળાની નોંધણીની શરત મુજબ CCTVની વ્યવસ્થા ફરજિયાત હોવી જરૂરી છે.
આ પણ વાંચોઃ 31 જુલાઈ સુધી આવશે CBSE ધો 12નું પરિણામ, સરકારે કોર્ટમાં મુસદ્દો રજૂ કર્યો

તમામ પરીક્ષા કેન્દ્રો CCTVના ઈન્સ્ટોલેશનથી સજ્જ હોય, CCTV કેમેરા કાર્યરત હોય તેમજ CCTVમાં ઓડીયો રેકોર્ડીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે અને ફુટેજની ડીવીડીમાં ઓડીયો વિડીયો રેકોર્ડીંગ તૈયાર કરીને મોકલવા માટે સુચના અપાઈ છે.

વધુમાં તમામ વર્ગખંડમાં CCTV કેમેરા મુકાય તે ઉપરાંત બિલ્ડીંગ કંડકટરની રૂમમાં પણ CCTV કેમેરા ચાલુ હાલતમાં રાખવા માટે બોર્ડ દ્વારા તાકીદ કરાઈ છે. જિલ્લાના તમામ જુના અને નવા પરીક્ષા કેન્દ્રો ખાતે CCTV કેમેરા ચાલુ હોવા અંગેનો અહેવાલ તાત્કાલીક મોકલવા માટે બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

બિલ્ડીંગ ખાતે પરીક્ષા માટે ઉપયોગમાં લેવાતા તમામ બ્લોકના CCTV કેમેરા ચાલુ હોવા જોઈએ. ફુટેજ પણ સ્પષ્ટ હોવું જોઈએ અને સમગ્ર બ્લોકને આવરી લે તે રીતે કેમેરાના એન્ગલ ગોઠવવાના રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. જો કેમેરા ચાલુ હાલતમાં ન હોય અથવા તો ખામી હોય તો પરીક્ષા અગાઉ કેમેરા રીપેર કે રિપ્લેસ કરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા માટે પણ જણાવાયું છે.

પરીક્ષા સમય દરમિયાન જો રૂમમાં શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સ્થળ સંચાલક દ્વારા પગલા લેવાના રહેશે. કેન્દ્ર સંચાલક દ્વારા સમગ્ર પરીક્ષા માટે એક કમ્પ્યુટર જાણકાર કર્મચારીને CCTV અંગેની કામગીરી સોંપવાની રહેશે.

દરેક બ્લોકમાં કેમેરાની સામેની બાજુની દિવાલ પર પરીક્ષાનો બ્લોક નંબર દર્શાવતો કાગળ લગાડવાનો રહેશે. કેમેરાની સામે દરેક બ્લોકમાં સ્ટાન્ડર્ડ સમય પ્રમાણમાં ઘડીયાળ ગોઠવવાની રહેશે. કેમેરામાં સુપરવાઈઝર વ્યવસ્થિત દેખાય તે રીતે ગોઠવવાનું રહેશે. વર્ગખંડ નિરીક્ષકે CCTVની સામે ઉભા રહીને પોતાનું નામ અ વિષયનું નામ તથા વિષય નંબર અને પરીક્ષા કેન્દ્રનો કોડ નંબર દર્શાવવાનો રહેશે.

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સ્થળની અલગ ફાઈલ બનાવવાની રહેશે અને તે જ રીતે સ્ટ્રોંગરૂમ રેકોર્ડીંગની પણ અલગ ફાઈલ બનાવવાની રહેશે. પરીક્ષા ખંડનું પરીક્ષા સમયથી 15 મિનીટ પહેલા અને 15 મિનીટ પછી સુધીનું રેકોર્ડીંગ કરવાનું રહેશે.
Read More »

Tuesday, June 29, 2021

પરિણામ:ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલ ટેમ્પરરી માર્કશિટ આપવામાં આવી, ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે




પરિણામ:ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલ ટેમ્પરરી માર્કશિટ આપવામાં આવી, ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે





કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતાં.



હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશિટ અપાશે
આ માર્કશીટ માત્ર એડમીશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશિટ અપાશે. પરંતુ ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી.વહેલી સવારે રીઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.



ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે
વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં શાળામાં બોલાવવામાં આવશે. હાલમાં શાળા કક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટની હાર્ડકોપીનું વિતરણ શાળા કક્ષાએ જુલાઈના બીજા સપ્તાહમાં કરાશે. પરિણામ પત્રકમાં વિવાદ બાદ “માસ પ્રમોશન” નો ઉલ્લેખ નહીં.માર્કશીટમાં “qualified for secondary school certificate” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે
સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા છે. શિક્ષણ વિભાગ દ્વારા મોડી સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકશે.તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ જોઈ શકશે. પરંતુ મોડી જાહેરાતને પગલે સ્કૂલો પણ મુઝવણમાં મુકાઈ છે. મોટા ભાગની સ્કૂલો અત્યારે 3-4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે અને સાંજે જાહેરાત કરાતા સ્કૂલો બંધ હોવાથી પરિણામ કેવી રીતે જોઈ શકશે? આવતીકાલે સવારે સ્કૂલો શરૂ થશે ત્યારે જ સ્કૂલો પરિણામ જોઈ શકશે. અત્યારે સ્કૂલ દ્વારા પણ પરિણામ માટે વેબસાઇટ પર તપાસ કરવામાં આવી ત્યારે વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે.



10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.



Source link
Read More »

બાળકોમાં ફેલાઈ રહ્યો છે કોરોના:સીરો સર્વેમાં મુંબઈનાં 50% બાળકોમાં કોરોના વાયરસના એન્ટિબોડી મળી આવ્યા, મોટા ભાગનાં બાળકો 10થી 14 વર્ષની વયનાં




 🔥બાળકોમાં ફેલાઈ રહ્યો છે કોરોના:સીરો સર્વેમાં મુંબઈનાં 50% બાળકોમાં કોરોના વાયરસના એન્ટિબોડી મળી આવ્યા, મોટા ભાગનાં બાળકો 10થી 14 વર્ષની વયનાં







ત્રીજી જોખમ વચ્ચે મુંબઈથી એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. અહીં લગભગ 50% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે. આ ખુલાસો BMCના ચોથા સીરો સર્વે રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર, જે બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા છે તેમને ક્યારેક ને ક્યારેક તો કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે આ પણ એક રાહતની વાત છે. એન્ટિબોડીની રચનાને કારણે ત્રીજી લહેર દરમિયાન આ બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ ઓછું થઈ ગયું છે. સર્વે અનુસાર, 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સંક્રમણ લાગ્યું છે.



24 વોર્ડનાં 2,176 બાળકોનાં લેવામાં આવ્યાં સેમ્પલ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના આદેશો પર મુંબઈમાં 1 એપ્રિલ 2021થી 15 જૂન 2021 વચ્ચે ચોથો સીરો સર્વે BYL નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક તરફથી કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં કુલ 2,176 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.



મુંબઇના કુલ 24 વોર્ડમાં કરાયેલા આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકોમાં અગાઉની તુલનામાં એન્ટિબોડીમાં વધારો થયો છે. સર્વેક્ષણ માટે નમૂનાઓને 1-4, 5-9, 10-14 અને 15થી 18 વય જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. સર્વેમાં બહાર આવ્યું છે કે 10થી 14 વર્ષની વયનાં 53.43% બાળકોને સૌથી વધુ સંક્રમણ લાગ્યું છે. રિપોર્ટ અનુસાર, સીરો સર્વેમાં કુલ 51.18% પોઝિટિવિટી રેટ મળી આવ્યો છે.



BMCના જણાવ્યા મુજબ, 2,176 સેમ્પલમાંથી 1,283 નાયર હોસ્પિટલના આપલી ચિકિત્સા નેટવર્ક દ્વારા અને 893 કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવ્યાં હતાં.



સર્વેના મુખ્ય મુદ્દાઓ



ત્રીજા સીરો સર્વે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરનાં 39.4% બાળકોમાં એન્ટિબોડી મળી આવ્યા હતા.



Source link
Read More »

Sunday, June 27, 2021

મહામારી / સ્કૂલો ખોલવાને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થઈ શકે




મહામારી / સ્કૂલો ખોલવાને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો ક્યારથી શરુ થઈ શકે




એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બાળકો માટેની કોરોના વેક્સિન આવ્યા બાદ સ્કૂલો ખોલી શકાય છે.

બાળકો માટેની કોરોના વેક્સિન આવ્યાં બાદ સ્કૂલો ખોલી શકાય
જુલાઈ-સપ્ટેમ્બરમાં બાળકો માટેની કોરોના વેક્સિન આવી શકે
તે પછી સ્કૂલો ખોલવાનો વિચાર કરી શકાય-રણદીપ ગુલેરિયા

બાળકો માટેની બે વેક્સિન ટ્રાયલના માર્ગે

ગુલેરિયાએ કહ્યું કે ભારત બાયોટેકની 2-18 વર્ષના લોકો પર થયેલી વેક્સિનના ટ્રાયલના ડેટા સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે. સપ્ટેમ્બરની આસપાસ આ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ જો આ પહેલા ફાઈઝરની વેક્સિનની મંજૂરી મળી ગઈ તો તે પણ એક મોટો વિકલ્પ બની શકે છે.




ગુલેરિયાએ જણાવ્યું કે જો ઝાયડસની વેક્સિનની મંજૂરી મળી તો ત્રીજો વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું કે સ્કૂલોને ફરી વાર ખોલવી પડશે અને તેમાં વેક્સિનેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મહામારીમાંથી બેઠા થવાનો એકમાત્ર માર્ગ વેક્સિનેશન છે.

આવતા મહિને 10 જગ્યાએ થશે ટ્રાયલ
અદાર પુનાવાલાએ જણાવ્યું કે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી મળ્યા બાદ અમે આવતા મહિનાથી 10 સ્થળોએ 920 બાળકોમાં પીડિયાટ્રિક ટ્રાયલ શરુ કરવાની યોજના છે. 920 બાળકો પર કોવોવૈક્સ વેક્સિનની 2-3 ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે કંપની ટૂંક સમયમાં ડ્ગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાની મંજૂરી માટે અરજી કરશે.

તેમણે જણાવ્યું કે પુણેમાં ભારતી હોસ્પિટલ તથા કેઈએમ હોસ્પિટલના વાડુ શાખામાં 10 જગ્યાએ પીડિયાટ્રીક ટ્રાયલ શરુ કરવામાં આવશે. જે બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે તેમની ઓછા ઓછા 6 મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

આવી રીતે શરુ થશે ટ્રાયલ
પુનાવાલાએ જણાવ્યું કે પહેલા 12-17 વર્ષની વયના બાળકો પર ત્યાર બાદ 2-11 વર્ષની વયના બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું અમે પહેલા મોટા અને પછી નાના બાળકો પર ટ્રાયલ કરીશું. પહેલા 12-17 વર્ષના તથા પછી 2-11 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે અને તેમની છ મહિના સુધી દેખરેખ રાખવામાં આવશે.

કેટલી હદ સુધી છે અસરકારક
બ્રિટનમાં થયેલી ટ્રાયલ અનુસાર, બીજા ડોઝના એક અઠવાડિયા બાદ આ વેક્સિન 90 ટકા સુરક્ષા પ્રદાન કરે છે. આ વેક્સિન બાળકોને ગંભીર બીમાર થતા પણ બચાવે છે. નીતિ આયોગના સભ્ય પોલે પણ કહી ચૂક્યા છે કે આ વેક્સિનના પરિણામ ઉત્સાહજનક છે.

Source of VTV
Read More »

Saturday, June 26, 2021

વિશ્વના 85 દેશોમાં આગની જેમ પ્રસરી ગયો ડેલ્ટા વેરિએન્ટ, WHOએ આપી ચેતવણી




વિશ્વના 85 દેશોમાં આગની જેમ પ્રસરી ગયો ડેલ્ટા વેરિએન્ટ, WHOએ આપી ચેતવણી઼  




કોરોના વાઇરસ કરતાં વધારે પ્રમાણમાં ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. જો આ પ્રવાહ આવી રીતે જ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક રિપોર્ટમાં આપી છે.


22 જૂને જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક મહામારી રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બેટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં ફેલાયો છે.


ચારે કોરોના વેરિઅન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિઅન્ટસ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે.




જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિઅન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે તે જોતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં જ છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પંદર ટકા કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે.

યુએસમાં વોલ સ્ટ્રીટની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગને તેના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવાની સલાહ આપી છે. બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે.

ઇંગ્લેન્ડમાં 12 સપ્તાહ કરતાં વધારે રહેતાં કોરોનાના લક્ષણોથી પરેશાન થતાં લોકોની સંખ્યા વીસ લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાયું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોને લોંગ કોવિડ ગણવામાં આવે છે.

યુએસમાં સિયેટલના એક સંશોધકે જે ગુમ થયેલી મનાય છે તે કોરોના વાઇરસની 13 જેનેટિક સિકવન્સ ગૂગલ ક્લાઉડમાંથી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે.

એક વર્ષ અગાઉ વુહાનમાં કોરોનાના શરૂઆતના કેસોના 200થી વધારે સેમ્પલ્સમાંથી મેળવવામાં આવેલી જેનેટિક સિકવન્સ તેના ઓનલાઇન સાયન્ટિફિક ડેટાબેઝમાંથી ગાયબ થઇ ગઇ હતી. હવે ગૂગલ ક્લાઉડમાં સંગ્રહાયેલી ફાઇલ્સને રૂટ કરતાં સંશોધકને આ સિકવન્સ મળી ગઇ છે. જેના કારણે કોરોના વાઇરસ ક્યા અને કેવી રીતે ચામાચિડિયા કે અન્ય પ્રાણીમાંથી માનવોમાં ફેલાયો હશે તેની ચોક્ક્સ માહિતી મળવાની આશા છે.



Read More »

રાજયની શાળાઓમાં વ્યાયમ શિક્ષકોને મૂળ જગ્યા પર પરત આવવાની તક મળી




રાજયની શાળાઓમાં વ્યાયમ શિક્ષકોને મૂળ જગ્યા પર પરત આવવાની તક મળી









ગાંધીનગર: રાજયના જુદા જુદા જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી વ્યાયમ શિક્ષકોની જગ્યા પર ફાજલ થયેલા શિક્ષકોને નિમણૂંક આપવા માટે 29 જુનના રોજ ગાંધીનગર ખાતે કેમ્પ યોજાશે. આ, માટે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરી વ્યાયામ શિક્ષકોને કેમ્પમાં હાજર રહેવા માટે સુચના અપાઈ છે. આ સૂચનાથી રાજ્યની સ્કૂલોમાં ગ્રંથપાલ અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને ફરી વ્યાયામ શિક્ષક બનવાની તક મળશે.




રાજયની શાળાઓમાં ગ્રંથપાલ તથા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને રાજ્યના અન્ય જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ખાલી જગ્યા પર સમાવવા ફાજલ વ્યાયામ શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી હતી. ઉપરાંત કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ફાજલ વ્યાયામ શિક્ષકો નિયમાનુસાર નિમણુંક પામેલા છે તે બાબતોના પ્રમાણપત્રો મગાવવામાં આવ્યા હતા. જેથી રાજ્યની વિવિધ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ દ્વારા તે વિગતો કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ મોકલી દેવામાં આવી હતી.

રાજયની વિવિધ ડીઈઓ કચેરી દ્વારા મોકલવામાં આવેલી વિગતોને ધ્યાને લઈ શિક્ષણ વિભાગની જોગવાઈઓ અનુસાર અન્ય જિલ્લામાં સમાવવા માટે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ કામગીરીનો ઓપન કેમ્પ દ્વારા રાખવામાં આવ્યો છે. જેથી જે તે જિલ્લાના ગ્રંથપાલ અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ફાજલ વ્યાયામ શિક્ષકોને કેમ્પમાં મોકલવા માટે સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પત્ર લખી સુચના અપાઈ છે. 29 જુનના રોજ ગાંધીનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે આ કેમ્પ સવારે 11 વાગ્યે યોજાશે. જેમાં જિલ્લામાં કામગીરી સંભાળતા શિક્ષણ નિરીક્ષકને પણ ફાજલ વ્યાયામ શિક્ષકોની તમામ વિગતો સાથે કેમ્પમાં હાજર રહેવા માટે જણાવાયું છે.


















Read More »

શિક્ષણ વિભાગ / મોટા સમાચાર : ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણમંત્રી ચુડાસમાનું યુ-ટર્ન, ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાય તેવી શક્યતા




શિક્ષણ વિભાગ / મોટા સમાચાર : ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણમંત્રી ચુડાસમાનું યુ-ટર્ન, ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાય તેવી શક્યતા



ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન લીધો છે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરેવી તોડી છે




ગઇ કાલે શિક્ષણમંત્રીએ એક નિવેદનમાં શાળાઓમાં ફી માફી યથાવત રહેશે તેવું જણાવ્યું હતું પરતું આજે ફરી ફેરવી તોડી આજે ફરી પોતાના નિવેદનથી યુ ટર્ન લીધો છે અને ફી માફી નવો નિર્ણય ન આવે ત્યા સુધી જ રહેશે તેવું જણાવ્યું છે.
25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનો યુ ટર્ન

શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા વાલીઓ એ હાસકારો અનુભવ્યો હતો પરતું આજે ફરી વાલીઓમાં ફીને લઈને ચિંતા જોવા મળી રહી છે ફી વધારા મુદ્દે સરકાર નવો નિર્ણય લે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે 25 ટકા ફી માફીની જાહેરાત કરાતા શાળા સંચાલક મંડળોએ વિરોધ કર્યો હતો પરતું શિક્ષણમંત્રીએ આ વિરોધ વચ્ચે પણ 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી પરતું આજે ફરી ફેરવી તોડી ફી વધારો નવા નિર્ણય સુધી જ માન્ય રહેશે તેવું જણાવ્યું છે જેથી હવે વાલીઓમાં ફીને લઈ ચિંતા વધી ગઈ છે.






ફી માફી મુદ્દે શાળા મંડળ સંચાલકોએ કર્યો વિરોધ

મહત્વનું છે કે ગયા વર્ષે ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફી અપાઈ હતી જેને લઈ ખાનગી શાળા સંચાલકોએ ફી માફી સામે વિરોધ ઉઠાવ્યો હતો સમગ્ર મામલે ખાનગી શાળા સંચાલક મંડળનું નિવેદન આપતા જણવ્યું હતું કે 50 ટકા વાલીઓએ ફી ભરવામાં ઉદાસિનતા દર્શાવી રહ્યા છે જે વાલીઓ નોકરી કરે છે તેમને પગાર આવે છે તો ફી માફી શું કામ આપવામાં આવે તેમજ જે વાલીઓની પરિસ્થિતિ ખરાબ છે તેને સ્કૂલો સામેથી મદદ કરે છે આમ 25 ટકા ફી માફીને કારણે સ્કૂલોની વ્યવસ્થા ખોરવાઈ છે છેલ્લા બે વર્ષથી ફી ન આવવાને કારણે સ્કૂલોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતા શાળા સંચાલક મંડળે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

Sour VTV 
Read More »

જલ્દી કરો / પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે આ 6 CNG કાર પર મળી રહી છે બમ્પર છૂટ, ફીચર્સ અને કિંમત જાણીને આજે જ કરાવી લેશો બૂક





જલ્દી કરો / પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે આ 6 CNG કાર પર મળી રહી છે બમ્પર છૂટ, ફીચર્સ અને કિંમત જાણીને આજે જ કરાવી લેશો


પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવ વચ્ચે લોકો પરેશાન થઇ રહ્યાં છે ત્યારે આ CNG કાર તમારા માટે સારા ઓપ્શન સાબિત થઇ શકે છે.



આ 6 કાર છે તમારા માટે બેસ્ટ
બજેટમાં કાર લેવા માટે બેસ્ટ ઓપ્શન
પેટ્રોલના વધતા ભાવની ચિંતા નહી

અલ્ટો
ભારતીય બજારમાં CNG કારમાં સૌથી પોપ્યુલર છે. મારુતિ સુઝુકીની CNG કાર સૌથી વધારે વેચાણવાળુ મૉડલ છે.આ એક એન્ટ્રી લેવલ હેચબેક કાર છે જેમાં 0.8 લિટર એન્જીન મળે છે. CNGથી ચાલવા પર અલ્ટો 40 પીએસનો પાવર અને 60 NMનો ટોર્ક જનરેટ કરે છે.








શું છે ઓફર
આ કારને જૂનમાં ખરીદવા પર કુલ 24000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેમાં 5000 રૂપિયાની કૅશ છૂટ, 15000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

સિલેરીયો
મારુતિ સુઝુકી સિલેરીયો લાંબા સમયથી વેચાઇ રહી છે અને સક્સેસફૂલ કાર છે. તેના CNG વર્ઝનમાં 1.0 લીટર એન્જીન મળે છે જે 57 પીએસનો પાવર અને 78 એનએમનો
ટોર્ક જનરેટ કરે છે.

શું છે ડિસ્કાઉન્ટ
આ કારના CNG મૉડલ પરક 18000 રૂપિયા સુધીની છૂટ મળે છે. કંપની આ કાર પર કોઇ કૅશ છુટ આપતી નથી પરંતુ 15000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

સેન્ટ્રો
હ્યુન્ડાઇની આ કાર સક્સેસફૂલ કાર છે અને તે મેગ્ના તેમજ સ્પોર્ટ્સ એમ 2 ઓપ્શનમાં આવે છે. તેમાં 1.2 લીટર 4 સિલિન્ડર મળી રહ્યાં છે. નવી સેન્ટ્રો CNG વર્ઝનવમાં 60 પીએસનો પાવર અને 85 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

શું છે ઓફર
હ્યુન્ડાઇની આ કારના CNG મૉડલ પર જુન મહિનામાં 25000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. તેમાં 10000 રૂપિયાની કૅશ છૂટ, 1000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

i10 Nios
હ્યુન્ડાઇની ગ્રાન્ડ આઇ10 કંપનીની લોકપ્રિય અને સ્ટાઇલિશ મૉડલ છે. આ મૉડલ CNG સિવાય પેટ્રોલમાં પણ અવેલેબલ છે.

શું છે ઓફર
હ્યુન્ડાઇની આ કારને જૂન મહિનામાં ખરીદવા પર 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડેમાં 1000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે.

હ્યુન્ડાઇ Aura
આ કારને જૂન મહિનામાં ખરીદવા પર કુલ 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં કોઇ કેશ છૂટ નથી મળી રહી પરંતુ 1000 રૂપિયા સુધી એક્સચન્જ બોનસ અને 5000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. શું છે ઓફર

આ કાર પર ઓફર છે કે તેને જૂન મહિનામાં ખરીદવા પર કુલ 34000 રૂપિયા સુધીનો ફાયદો થાય છે. 15000 રૂપિયા કેશ છૂટ અને 15000 રૂપિયા એક્સચેન્જ બોનસ તેમજ 4000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

વૅગન આર
મારુતિ સુઝુકી વૅગન આર પર સારી છૂટ મળી રહી છે. વૅગન આર કંપનીની સૌથી લાંબા સમય સુધી વેચાણ થયુ હોય તેવી કાર છે. CNG વૅગન આરમાં 1.0 લીટર 3 સિલિન્ડર મળે છે. આ એન્જીન 57 પીએસનો પાવર અને 78 એનએમનો

Read More »

કામની વાત / માત્ર 10 રૂપિયા ઘરે બેઠા મળી રહ્યા છે LED બલ્બ, જાણો કઈ રીતે મોદી સરકારની યોજનામાં મળશે લાભ




કામની વાત / માત્ર 10 રૂપિયા ઘરે બેઠા મળી રહ્યા છે LED બલ્બ, જાણો કઈ રીતે મોદી સરકારની યોજનામાં મળશે લાભ

ગ્રામ ઉજાલા યોજના ગ્રામજનોને માત્ર 10 રૂપિયામાં સસ્તો LED બલ્બ પ્રદાન કરે છે. ગામમાં વિજળી રહે તે માટેના તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે
LED બલ્બ મળશે માત્ર 10 રૂપિયામાં
2015માં પ્રધાનમંત્રી ઉજાલા યોજનાની શરૂઆત
5 રાજ્યોમાં વહેચાયા સૌથી વધુ બલ્બ

આ યોજના હેઠળ નિયુક્ત કરેલા કર્મચારીઓ પ્રત્યેક ગામમાં જશે અને તેમની પાસેથી 5 જૂના બલ્બ લઇને 10 રૂપિયામાં નવો LED બલ્બ આપશે.

આ યોજનાની શરૂઆત માર્ચ 2021માં ભોજપુર જિલ્લાના આરામાં કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી RK સિંહે કરી હતી. હાલ ત્યાંના ગ્રામીણ વિસ્તારમાં LED બલ્બ આપવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર સતત પોતાના કામથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ ક્રમમાં બિહારમાં પટના સહિત 12 જિલ્લામાં ગ્રામીણ વીજળી ઉપભોક્તાઓને આવતા મહીને કેન્દ્ર સરકાર, ગ્રામ ઉજાલા યોજના હેઠળ 10 રૂપિયામાં LED બલ્બ આપશે. તેમાં પટના, ભાગલપુર, બાંકા, ભભુઆ, બેગૂસરાય, મુંગેર, નાલંદા વગેરેનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર સતત પોતાના કામથી સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ ક્રમમાં બિહારમાં પટના સહિત 12 જિલ્લામાં ગ્રામીણ વીજળી ઉપભોક્તાઓને આવતા મહીને કેન્દ્ર સરકાર, ગ્રામ ઉજાલા યોજના હેઠળ 10 રૂપિયામાં LED બલ્બ આપશે. તેમાં પટના, ભાગલપુર, બાંકા, ભભુઆ, બેગૂસરાય, મુંગેર, નાલંદા વગેરેનો સમાવેશ થાય છે.



ભોજપુરમાં 25 લાખ LED બલ્બ આપવામાં આવશે. બીજા ચરણમાં રાજ્યના એક કરોડ ગ્રામીણ લોકોને બલ્બ આપવામાં આવશે. આ યોજનાનો હેતુ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્ર સરકારે 1 મે 2015માં પ્રધાનમંત્રી ઉજાલા યોજનાનું એલાન કર્યુ હતું. જેના હેઠળ ઓછા ભાવમાં LED ઉપબલ્ધ કરાવવામાં આવતા હતા, જેના કારણે વીજળીની બચત થઇ શકે. પીએમ મોદીએ દેશને પ્રકાશના પથ પર લઇ જવાનું અચુક સાધન આ યોજનાને ગણાવ્યું હતુ.

યોજનાના શરૂઆતી વર્ષોમાં 125 શહેરોમાં લગભગ 9 કરોડ LED બલ્બ આપવામાં આવ્યા હતા. જેનાથી લગભગ 550 કરોડ રૂપિયાની બચત થઇ હગતી. જાણકારી માટે જણાવી દઇએ કે આ યોજના વીજળી મંત્રાલયની સંયુક્ત ઉપક્રમ કંપની EESL તરફથી કરવામાં આવી રહ્યું છે.

મળતી માહીતી અનુસાર 24 જૂન સુધી કુલ 36,74,41,809 કરોડ LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. ઓડીસા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વિતરણ કરવામાં આવ્યુ છે.

SOURCE of VTV

Read More »

Thursday, June 24, 2021

JioPhone NEXT / દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે રિલાયન્સ, જાણો બજારમાં ક્યારથી મળશે?




JioPhone NEXT / દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે રિલાયન્સ, જાણો બજારમાં ક્યારથી મળશે?




JioPhone NEXT માટે કંપનીએ Googleની સાથે હાથ મિલાવ્યો છે.



JioPhone NEXTની જાહેરાત
10 સપ્ટેમ્બરે થશે લોન્ચ
Googleની મળીને ફોન બનાવવાની જાહેરાત

આજે Reliance કંપનીના 44માં AGMનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે JioPhone NEXTની જાહેરાત કરવામાં આવી. AGM વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે JIO દુનિયાની સૌથી સસ્તી 4G સર્વિસ છે. જીયો ફોન નેફ્સ્ટ 10 સપ્ટેમ્બરે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ફેન અત્યાર સુધીનો માર્કેટમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ફક્ત ભારતમાં જ નહીં આખી દુનિયામાં પણ. JioPhone NEXT માટે કંપનીએ Googleની સાથે હાથ મિલાવ્યો છે. AGMમાં સુંદર પીચાઈએ પણ વર્ચ્યુએલી ભાગ લીધો હતો.


ફોનની શું છે ખાસિયતો?
JioPhone NEXT ફીચર સ્માર્ટફોન છે જેમાં ગુગલ અને જીયોની એપ્લિકેશન મળશે. સાથે જ તેમાં પ્લે સ્ટોર પણ મળશે જેનાથી યુઝર્સ એપ ડાઉનલોડ કરી શકશે. JioPhone NEXTમાં વોયસ આસિસ્ટન્ટ અને લેંગવેજ ટ્રાન્સ્લેશનનું ફીચર પણ આપવામાં આવશે.

જીયોનો સસ્તો સ્માર્ટફોન ક્યારે આવશે?
મુકેશ અંબાણીએ એજીએમમાં 'જીયો ફોન નેક્સ્ટ'ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એન્ડ્રોયડ પર બેસ્ટ આ સ્માર્ટફોન ગુગલ અને જીયોએ મળીને બનાવ્યો છે. કંપનીનો આ સસ્તો સ્માર્ટફોન ગણેશ ચતુર્થીએ એટલે કે 10 સપ્ટેમ્બરે બજારમાં આવશે.

જીયો દુનિયાનું બીજી સૌથી મોટુ ડેટા કેરિયર 
રિલાયન્સ જીયો વિશે જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો દુનિયાનું બીજી સૌથી મોટુ ડેટા કેરિયર નેટવર્ક બની ગયું છે. તે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. 

ગ્રીન એનર્જીને લઈને મોટુ એલાન 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ન્યૂ અને ગ્રીન એનર્જી પ્લાન્સની જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે હજુ આપણો દેશ દુનિયામાં સૌથી મોટા ઈંધણ આયાત કરતા દેશોમાંથી એક છે. હવે આપણું લક્ષ્ય દેશને દુનિયાના સૌથી મોટા ગ્રીન એનર્જી આયાતકારોમાંથી એક બનાવવાનું લક્ષ્ય છે. 

રિલાયન્સ બનશે ગ્લોબલ
મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્લોબલ હોવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના ગ્લોબલ પ્લાન્સની ઘોષણા આવનાર સમયમાં કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સાઉદી અરામકોના યાસિર અલ રૂમાયનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવશે. આ રિલાયન્સના ગ્લોબલ બનવાની શરૂઆત હશે. 

જામનગરમાં 5000 એકર જમીન પર બનશે આ પ્લાન્ટ 
મુકેશ અંબાણીએ કંપનીના ગ્રીન એનર્જી પ્લાનની ઘોષણા કરી છે. જામનગરમાં ઘીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવામાં આવશે. કંપની હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે સોલન ગ્રીન એનર્જી પર જોર આપવાની વાત કરી છે. તેના માટે રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવ્યું છે જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે.જામનગરના ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ 5000 એકર જમીન પર આ પ્લાન્ટ બનાવવામાં આવશે. 

Source of VTV

Read More »

શિક્ષણમાં ફેરફાર / ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક




શિક્ષણમાં ફેરફાર / ગુજરાતની આશરે 5 હજાર શાળાઓ અંગે કરાશે મહત્વનો નિર્ણય, ગાંધીનગર ખાતે શિક્ષણ સચિવોની યોજાશે બેઠક



ગાંધીનગર ખાતે આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે
ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા
શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક
આગામી સપ્તાહે મળશે બેઠક


રાજ્ય સરકાર દ્વારા ધો.1થી 8ની શાળાઓ મર્જ કરવા વિચારણા ચાલી રહી છે. આગામી સપ્તાહે શિક્ષણ સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં 60થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું મર્જ કરવા અંગે વિચારણા કરાશે. એક કિમીની અંદર 2 શાળાઓ હોય તેની યાદી પણ માગવામાં આવી છે. ધો. 6થી 8માં 45થી ઓછા વિદ્યાર્થીવાળી શાળાઓનું લિસ્ટ મગાવવામાં આવ્યું છે. ધો. 6થી 8ની 2 શાળા 3 કિમી સુધીમાં હોય તેની પણ યાદી માગવામાં આવી છે.




શિક્ષણ વિભાગે 6 જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી
ગુજરાતમાં 4500થી 5000 શાળાઓમાં મર્જ થવાની શક્યતા
28મી અને 29મી જૂને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક
બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરને શાળાઓનું પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
ધોરણ 1થી 8માં 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તો શાળા મર્જ કરવાનો નિયમ
1 કિમીની અંદર બીજી શાળા હોય ત્યાં મર્જ થાય શાળા
ધો.6થી 8મા 45થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાનું લીસ્ટ મંગાવાયુ
ધો. 6થી 8મા બીજી શાળા 3 કિમીની અંદરની શાળામાં મર્જ કરવાનો નિયમ
BRC કો-ઓર્ડિનેટર તાલુકાકક્ષાએ કામ કરતા શિક્ષણ વિભાગના અધિકારી હોય છે
6 જિલ્લાના BRC કો-ઓર્ડિનેટરને શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને પ્રેઝેન્ટેશન લાવવા કહેવાયું
ઓછા વિદ્યાર્થીઓવાળી કેટલીક શાળાઓ પર બંધ થવાનું જોખમ
મે મહિનામાં સરકારે ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના કરાર આધારિત શિક્ષકો માટે જાહેરાત આપી હતી
11 મહિના કરારના આધારે ગણિત,વિજ્ઞાનના શિક્ષકોની ભરતી માટે અરજીઓ મગાવાઈ હતી
અમદાવાદ, બોટાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના અધિકારીઓની મિટિંગ
6 જિલ્લાના અધિકારીઓની ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

Source of VTV
Read More »

Wednesday, June 23, 2021

ખુશખબર / લોકોને સસ્તી વીજળીનું ગિફ્ટ આપશે મોદી સરકાર! જાણો શું છે નવો પ્લાન




ખુશખબર / લોકોને સસ્તી વીજળીનું ગિફ્ટ આપશે મોદી સરકાર! જાણો શું છે નવો પ્લાન





કેન્દ્ર સરકાર હવે ગ્રીન ટેરિફને લઈને ખાસ પોલિસી પર કામ કરી રહી છે. તે હેઠળ ગ્રીન એનર્જીની ખપતને વધારવામાં આવશે.

ભારત હવે વિજળી વિતરણને લઈને ગ્રીન ટેરિફ પર કામ કરી રહ્યું
સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા યુનિટ્સને વધુ મજબૂત કરવામાં મદદ મળશે
ટૂંક સમયમાં જ તેના નિયમ જાહેર કરવામાં આવશે

ભારત હવે વિજળી વિતરણને લઈને ગ્રીન ટેરિફ પર કામ કરી રહ્યું છે. તે હેઠળ વિજળી કંપનીઓ દ્વારા સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ માટે તૈયાર કરવામાં આવતી વિજળી કોલસા અથવા અન્ય પારંપરિક ઈંધણથી તૈયાર કરવામાં આવેલી વિજળીની તુલનામાં સસ્તી હશે. આ પ્લાન વિશે કેન્દ્રીય વિજળી અને રિન્યૂવેબલ ઉર્જા મંત્રી રાજ કુમાર સિંહે મંગળવારે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે તેનાથી ભારતમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરતા યુનિટ્સને વધુ મજબૂત કરવામાં મદદ મળશે. તેને દુનિયાનું સૌથી મોટું સ્વચ્છ ઉર્જા પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યું છે.

સિન્હાએ કહ્યું, "ટૂંક સમયમાં જ તેના નિયમ જાહેર કરવામાં આવશે." સિન્હાએ જણાવ્યું કે આ પ્લાનને અમલમાં લાવ્યા બાદ વિજળી વિતરણ કંપની એક્સક્લુઝીવ રીતે ગ્રીન એનર્જી ખરીદીને તેને 'ગ્રીન ટેરિફ' પર સપ્લાય કરવામાં આવશે.



શું છે હાલની સ્થિતિ
હાલમાં જો કોઈ કંપની વિજળી કંપનીઓ પાસેથી ગ્રીન એનર્જી ખરીદે છે તો તેમને તેના માટે ક્લીન એનર્જી ડેવલોપર સાથે કોન્ટ્રેક્ટ કરવવો પડે છે. કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સેગ્મેન્ટમાં આ પ્રક્રિયા પુરી થાય છે. વર્તમાનમાં વિજળી વિતરણ કંપનીઓ જરૂરીયાતના હિસાબથી રિન્યુએબલ એનર્જી ખરીદે છે

સોલર ટેરિફ ન્યૂનતમ સ્તર પર
કેન્દ્ર સરકારની તરફથી આ પગલું એવા સમય પર ભરવામાં આવ્યું છે જ્યારે સોલર એન્ડ પવન ઉર્જા ટેરિફ અત્યાર સુધીના સૌથી ન્યૂનતમ સ્તર પર ગગડી ગયો છે. સોલર ટેરિફનો ભાવ હવે 1.99 રૂપિયા પ્રતિ યુનિટ અને પવન ઉર્જાનો ભાવ 2.43 રૂપિયા પ્રતિ યુનિટ પર છે. ભારતમાં 2022 સુધી 175 ગીગાવોટની રિન્યૂએબલ ક્ષમતા વધારવાનું લક્ષય રાખવામાં આવ્યું છે. તેમાં 1000 ગીગાવોટ સોલર પાવર છે.

15 દિવસની અંદર ઓપેન એક્સેસ એપ્લીકેશન પ્રોસેસ થશે
પ્રસ્તાવિત ગ્રીન ટેરિફ પરંપરાગત ઈંધણના સોર્સથી સસ્તી પડશે. સિંહે જણાવ્યું કે નવા નિયમોથી સુનિશ્ચિત થઈ શકશે કે જો કોઈ ઈન્ડસ્ટ્રી ફક્ત ગ્રીન પાવરની માંગ કરી રહી છે તો એર પખવાડીયાની અંદર ઓપન એક્સેસ એપ્લીકેશનને પ્રોસેસ કરવાની રહેશે. ઓપન એક્સેસ દ્વારા 1 મેગાવોટ અથવા તેનાથી વધારે ક્ષમતા વાળા એનર્જી ખપત કરનારને ઓપન માર્કેટમાં ખરીદીની સુવિધા આપે છે. તેમણે વધારે ખર્ચીલા ગ્રિડ પર નિર્ભર નહીં રહેવું પડે.



2030 સુધી 817 ગીગીવોટ સુધી થશે ભારતની વિજળી ખપત ક્ષમતા
જોકે રાજ્યની વિજળી વિતરણ કંપનીઓ પોતાના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા ક્લિન એનર્જી ડેવલોપર્સને નિરાશ કરી રહ્યા છે. પોતાના એક્સેસ સુનિશ્ચિત કરવાનો મતલબ છે કે ગ્રીન ઈલેક્ટ્રિસિટીની ખપત કરનાર કેપ્ટિવ ગ્રીન એનર્જી પ્લાન્ટ્સ સેટઅપ કરી શકે છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના અનુસાર, 2030 સુધી ભારતની કુલ વિજળી ખપત વધીને 817 ગીગાવોટ સુધી થશે. તેમાં અડધાથી વધારે ક્લીન એનર્જી હશે.

Read More »

ગાંધીનગર / ચોપડા-દફતર કાઢી રાખજો : ગુજરાતમાં ઓફલાઈન શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર




ગાંધીનગર / ચોપડા-દફતર કાઢી રાખજો : ગુજરાતમાં ઓફલાઈન શાળાઓ શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર





ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે અને જનજીવન ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે ત્યારે આગામી નજીકના સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી



શાળા શરૂ કરવા સરકારની વિચારણા
ઓગસ્ટ સુધીમાં શાળા શરૂ કરવા વિચારણા
કેસ ઘટતા સરકાર કરી રહી છે વિચારણા

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી 2 મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય

તો સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, કોરોના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે અને આગામી 2 મહિનામાં જ શાળા કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાઈ છે. તો આજની બેઠકમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને ગાઈડલાઈન પણ તૈયાર કરાશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના નિધન થયા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર

ગુજરાતમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક 10037 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં સૌથી વધારે કેસ

ગુજરાતમાં 135 કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં 30 જ્યારે સુરત શહેરમાં 14 કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 10 કેસ જ્યારે વડોદરા શહેરમાં 8 કેસ સામે આવ્યા છે.

રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે ઘટાડો

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક આર્થિક ગતિવિધીઓને છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના વેપારીઓએ રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવા માટે માગ કરી હતી. વેપારીઓએ જણાવ્યુ કે રાત્રી કફર્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવે તો તેમનો ધંધો ફરીથી પૂર્વવ્રત થવામાં રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓના ધંધા રોજગારને ભારે અસર થઈ રહી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજોર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા 50 દિવસમાં સંક્રમણના 1 કરોડ કેસ નોંધાયા છે.



જેમાં 50 લાખ કેસ તો છેલ્લા 36 દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી 3.9 લાખ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજી લહેર દરમિયાન દેશમાં 2.33 લાખ લોકોના મૃત્યુ થયા છે..

Source of VTV 

Read More »

Tuesday, June 22, 2021

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ લાવી શકે છે કોરોનાની ત્રીજી લહેર: વૈજ્ઞાાનિકો ચિંતિત

 


ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ લાવી શકે છે કોરોનાની ત્રીજી લહેર: વૈજ્ઞાાનિકો ચિંતિત








દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાયા છે. તે ઉપરાંત 79 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ 7 લાખથી નીચે ગયા છે. જોકે, સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું પ્રસરાવનાર કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ભારતમાં 22 કેસ નોંધાતા વૈજ્ઞાાનિકો ચિંતિત થઈ ગયા છે અને તેમનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવે તેવું જોખમ છે. જ્યારે સરકારે કહ્યું હતું કે લોકોએ હાલ ચિંતા કરવાનું કારણ નથી. આ વેરિઅન્ટ હજી ત્રણ જ રાજ્યમાં જોવા મળ્યો છે. જોકે, વૈજ્ઞાનિકો અનુસાર ભારત માટે હાલ ડેલ્ટા વેરિઅન્ટ ચિંતાનું કારણ છે.




સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટ ભારત સહિત 80 દેશોમાં ફેલાયેલો છે અને તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રખાયો છે. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ ભારત સહિત માત્ર નવ દેશોમાં છે. ભારતમાં ડેલ્ટા પ્લસના 22 કેસ નોંધાયા છે. આથી હાલ તેને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ની શ્રેણીમાં રખાયો છે.

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 22 કેસ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળમાં નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 16 કેસ મહારાષ્ટ્રમાં છે. આ મુદ્દે ત્રણેય રાજ્યોને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો સામનો કેવી રીતે કરવો તે જણાવાયું છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધે તેમ અમે ઈચ્છતા નથી. બીજી તરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 21 કેસ નોંધાયા છે, જેમાંથી બે મુંબઈમાં અને એક થાણેમાં જોવા મળ્યા છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ નવ કેસ રત્નાગીરીમાં જ્યારે જાલનામાં સાત તથા પાલઘર અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના નિવેદન મુજબ ભારતમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 27 કેસ નોંધાયા છે

દરમિયાન નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. તેથી સરકારે આ બાબતે ચિંતા કરવાની અને તેનો પ્રસાર અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ વધ્યા છે અને વડાપ્રધાન બોરીસ જોન્સને 21મી જૂને પૂરું થઈ રહેલું લોકડાઉન 19મી જુલાઈ સુધી લંબાવવાની ફરજ પડી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ અંગે નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે કોરોના વાઈરસ ફરી રહ્યો હોવાથી નવી લહેર આવે છે. આપણે રસીથી સુરક્ષિત ન હોઈએ તો આપણે વાઈરસ ફેલાવી શકીએ છીએ. એવામાં વાઈરસ સ્વરૂપ બદલે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અંગે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. અનેક દેશોમાં તો કોરોનાની ચોથી લહેર પણ આવી ગઈ છે.

દરમિયાન દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે 91 દિવસ પછી કોરોનાના દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાયા છે. આ સાથે કુલ કેસ 2.99 કરોડ થયા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,167નાં મોત થયા છે, જે છેલ્લા 68 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 3.89 લાખ થયો છે. એક્ટિવ કેસ વધુ ઘટીને 6.62 લાખ થયા છે જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 96.49 ટકા થયો છે. વધુમાં પોઝિટિવિટી રેટ સતત 15 દિવસથી પાંચ ટકાથી નીચે રહ્યો છે. સતત 40મા દિવસે કોરોનાના નવા દૈનિક કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. દેશમાં કુલ 2.89 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા મફત રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 88.09 લાખ ડોઝ અપાયા હતા, પરંતુ બીજા દિવસે લોકોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 29.16 કરોડ ડોઝ અપાયા છે. 21મી જૂને રસીકરણ અભિયાનના 88.09 લાખ ડોઝમાંથી 64 ટકા ડોઝ ગ્રામીણ વિસ્તારોમાં અપાયા હતા. દેશમાં સોમવારે રસીના સૌથી વધુ 17 લાખ ડોઝ મધ્ય પ્રદેશમાં અપાયા હતા. ત્યાર પછી કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનનો નંબર આવે છે.
Read More »

UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફોનમાં કરી લો સેવ અને તમામ મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર




UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફોનમાં કરી લો સેવ અને તમામ મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર


UIDAI એ ટ્વિટ કરીને કહ્યું છે કે આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાને માટે હવે એક ફોન કરી લેવાથી તે દૂર થશે. આ સુવિધા 12 ભાષામાં મળશે. આ માટે તમારે ફક્ત 1 નંબર પર ફોન કરવાનો રહેશે.



UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર
મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર
ફોનમાં કરી લો સેવ


જો તમને પણ આધાર સાથેની કોઈ સમસ્યા છે તો તમે તેને ચપટીમાં અને એક ફોનની મદદથી દૂર કરી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ માટેની જાણકારી આપી છે. આ હેલ્પ લાઈન નંબર 1947 છે. આ નંબરને યાદ કરવો સરળ છે કેમકે તે એ આંકડો છે જ્યારે દેશ આઝાદ થયો હતો. આ નંબર પર ફોન ફ્રીમાં કરી શકાય છે. આખું વર્ષ આઈવીઆરએસ મોડ પર 24 કલાક સુવિધા આપે છે. આ હેલ્પ લાઈન નંબર લોકોને આધાર નામાંકન કેન્દ્રો, નામાંકન કર્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારી આપે છે. આ સિવાય જો કોઈનું કાર્ડ ખોવાઈ જાય છે કે પોસ્ટથી મળ્યું હોતું નથી તો આ સુવિધાની મદદથી તેની જાણકારી મળી રહે છે.




UIDAIએ કર્યું છે ટ્વિટ

UIDAIએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી મેળવી છે. આધારે કહ્યું કે આધાર હેલ્પલાઈન અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાકની સેવા આપે છે. 1947 પર કોલ કરીને આ સુવિધાનો લાભ લઈ શકાય છે. એજન્ટથી વાત કરવા માટે સોમવારથી શનિવારે સવારે 7થી રાતના 11 સુધી અને રવિવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી સુવિધા મળે છે.

12 ભાષામાં મળે છે આ સુવિધા
આધાર સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે UIDAIએ 1947 નંબર જાહેર કર્યો છે. અહીં ફોન કરીને તમે મુશ્કેલીનો હલ મેળવી શકો છો. આ સેવા 12 ભાષા હિંદી, અંગ્રેજી, તેલૂગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, અસામી અને ઉર્દૂમાં મળી રહી છે.
Read More »

માસ પ્રમોશનની આડ અસર:શિક્ષણ વિભાગનો નિર્ણય, ધોરણ 9 અને 11માં એક ક્લાસમાં 60ના બદલે હવે 75 વિદ્યાર્થીઓ બેસાડી શકાશે




માસ પ્રમોશનની આડ અસર:શિક્ષણ વિભાગનો નિર્ણય, ધોરણ 9 અને 11માં એક ક્લાસમાં 60ના બદલે હવે 75 વિદ્યાર્થીઓ બેસાડી શકાશે

ફાઈલ તસવીર

ધો.10માં માસ પ્રમોશન બાદ ધો.11માં વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ઊભી થઈ હતી

કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવશે પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે તમામ નિયમિત વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટેની સમસ્યા ઉભી હતી. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરીને 60ના વર્ગમાં હવે 75 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યસ્વ્થા કરવામાં આવી છે. જેથી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે.

60ના વર્ગમાં 75 વિદ્યાર્થી બેસાડવાની મંજૂરી
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, એટલે કે 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉભો હતો. જેના નિવારણના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા 60ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી છે. શૈક્ષણિક વર્ષ 2021-22, ધોરણ 9 અને 11 તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 10 અને 12 માટે આ મંજૂરી માન્ય રહેશે.

ફાઈલ તસવીર

8.60 લાખ પાસ થયા હોવાથી પ્રવેશ સમસ્યા
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું હતું.

10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે રાજ્ય સરકારે 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળ્યો હતો.

Source of Divya bhaskar

Read More »

માસ્કનાં દંડને લઈને ગુજરાતની પ્રજા માટે મહત્વના સમાચાર, જો આવું થયું તો મળશે મોટી રાહત

માસ્કનાં દંડને લઈને ગુજરાતની પ્રજા માટે મહત્વના સમાચાર, જો આવું થયું તો મળશે મોટી રાહત



માસ્કના દંડમાં થશે ઘટાડો


સરકાર દ્વારા 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે


મુખ્યમંત્રી રૂપાણી કરશે હાઈકોર્ટમાં રજૂઆત



ગુજરાત સરકાર દ્વારા હવે સામાન્ય પ્રજાને રાહત મળી રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા સરકાર દ્વારા હવે માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ઘટાડો કરવામાં આવશે. દંડની રકમ હાલમાં 1 હજાર રૂપિયા લેવામાં આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ હવે 500 કરવામાં આવી શકે છે.

હાઈકોર્ટમાં રજૂઆત

દંડની રકમમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારની આ પહેલને કારણે લોકોને ઘણી રાહત મળી રહેશે. કારણકે હાલ માસ્કના દંડને કારણે મોટા ભાગના લોકોમાં રોષનો માહોલ છે. સામાન્ય માણસ માટે માસ્કના દંડની રકમ 1 હજાર ઘણી વધારે છે. પરંતુ તે દંડના રકમ એટલા માટેજ રાખવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત પહેરે.

નવી રકમ 500 રૂપિયા રાખવામાં આવશે

સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રજૂઆત કરવામાં આવશે જેમા તેઓ દંડની રકમ 1 હજાર રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા રાખવામાં આવે તેવી તેઓ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવાના છે. આ સમાચાર સામે આવ્યા બાદ એકદંરે લોકોમાં ક્યાકને ક્યાક હાશકારો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ દંડની રકમ ઘટી નથી.

જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીનેજ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા તેમણે દંડની રકમમાં ઘટાડો કરવા માટે સરકાર સંબધિત વિભાગોને સૂચના આપી છે. જોકે રાજ્ય સરકારની આ રજૂઆતનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુ જવાબ આપવામાં આવશે તે પણ મહત્વનું છે.

માસ્ક માટે ગંભીરતા જરૂરી

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના સામે લડવા માટે માસ્ક, સેનેટાઈઝર, અને સોશિયલ ડિસટન્સીંગ આ ત્રણ મહત્વના હથિયાર છે. પરંતુ તેમ છતા અમુક લોકો માસ્કને લઈને તો ગંભીર નથી જેના કારણે 1 હજાર રૂપિયાનો દંડ ફટકરાવામાં આવે છે. પરંતુ હવે દંડની રકમમાં ઘટાડો થઈ શકે છે.





Source link
Read More »

રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસિડી




રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસિડી





દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી
મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપનીઓ પ્રોડક્શન શરુ કરી દેશે
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી અપાઈ છે
હોટેલો પાસે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે




ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી

ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
આજે નવી પોલિસી શરૂ કરીએ છે
ઇલેક્ટ્રિક વહિકલ વધારે લોકો વાપરતા થાય
પેટ્રોલ ડીઝલ ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી
ઇલેક્ટ્રિક વહિકલથી પ્રદુષણ ઓછું થાય છે.
ગુજરાત પહેલુ રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે અમલ બનશે
 ​​




લોકો માટે ઈલેકટ્રીક વ્હીકલ બને તે ઉદ્દેશ્ય મહત્વનો છે.
સરકાર 2 વ્હિલર, 3 વ્હિલર અને ફોર વ્હીલર પર ભાર આપે છે
આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે
2 વ્હીલર માટે 20 હજાર, 3 વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખની સબસીડી મળશે
વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસીડી આપશે
આ માટે અલગ અલગ હોટેલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે
500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર, 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે
સબસીડીમાં પ્રતિ કિલો વોટ સબસીડાઈઝ કરાશે
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે અને આગળ જતાં 250ને અપાશે
બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે
રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતા પૂર્વક જાહેરાત કરી છે.
સબસીડી આપનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે
Read More »

Monday, June 21, 2021

દેશમાં 91 દિવસમાં 50 હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 1167 લોકોના મોત

 

Read More »

ધો.12ના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો


  ધો.12ના પરિણામથી સંતુષ્ટ ન હોય      તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા         યોજવાનો નિર્ણય કરાય








ગાંધીનગર: ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પેટર્ન મુજબ વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાશે. આ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પોતાના ગુણ સુધારવાની તક મળી રહે તે માટે તેમની પુનઃ પરીક્ષા યોજવાનું બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. જે મુજબ ધોરણ-12નું પરિણામ જાહેર થયા બાદ 15 દિવસમાં વિદ્યાર્થીએ બોર્ડ સમક્ષ પોતાનું પરિણામ જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓની અલગથી પરીક્ષા લેવામાં આવશે. જોકે, પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળે છે.




રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાયા બાદ તેમના પરિણામ જાહેર કરવા માટે કમિટીની રચના કરી હતી. આ કમિટી દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ પોતાની ફોર્મ્યુલા રજૂ કરી હતી અને ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના પરિણામ તૈયાર કરવા માટે ધોરણ-10નું 50 ટકા વેઈટેજ, ધોરણ-11નું 25 ટકા વેઈટેજ અને ધોરણ-12નું 25 ટકા વેઈટેજ નક્કી કરી પરિણામ તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે મુજબ શાળાઓ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થીઓ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પરિણામ પ્રસિધ્ધ થયા બાદ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ 15 દિવસમાં પોતાનું પરિણામ શિક્ષણ બોર્ડની કચેરીમાં જમા કરાવી શકશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. જે અંગેનો કાર્યક્રમ હવે પછીથી જાહેર કરાશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. આમ, ધોરણ-12ના પરિણામ બાદ વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારી શકે તે માટેની તક આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-10માં પણ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ પણ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ પોતાનુ પરિણામ 15 દિવસની અંદર બોર્ડની કચેરીમાં જમા કરાવી પુનઃ પરીક્ષા આપી શકે તે મુજબની જોગવાઈ કરવામાં આવી હતી. આ જ રીતે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પણ બોર્ડ દ્વારા તે જ પેટર્ન મુજબ પરિણામ જમા કરાવ્યા બાદ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હોવાથી હવે વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ પણ પોતાના ગુણ વધારવા માટે ફરી પરીક્ષા આપી શકશે.
Read More »

મોંઘવારી ભથ્થું / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર, આવતા મહિને બેન્ક એકાઉન્ટમાં જમા થશે આટલા લાખ, જાણો કેવી રીતે

 

Read More »

હવે ગુજરાતમાં સરકારી શાળા બહાર વધુ લાઈન, AMCની સ્કૂલમાં છેલ્લા 15 દિવસમાં 16,000થી વધુ એડમિશન

 

Read More »

મેઘરાજાએ બનાસકાંઠા અને ખેડાને ઘમરોળ્યું, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ




મેઘરાજાએ બનાસકાંઠા અને ખેડાને ઘમરોળ્યું, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ





રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી


રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ અઢી ઈંચ થી વધુ વરસાદ


મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ, પાલનપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ



રાજ્યમાં આજે પણ રહેશે વરસાદી માહોલ યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદ આગાહી કરવામા આવી છે પડી શકે છે જો કે આવતી કાલથી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ અઢી ઈંચ થી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે રવિવારે રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ, ખેડામાં સાડા ત્રણ ઈંચ, ખેડા જિલ્લાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે સીઝનનો 8.09

ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ



ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે યથાવત ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં 26 તાલુકામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે તો અત્યાર સુધીમાં ગુજરાતમાં 33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ પડી ચુક્યો છે

રાજ્યમાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સિઝનનો 9.50 ટકા વરસાદ નોંધાયો, 102 તાલુકામાં 0 થી 2 ઈંચ, 104 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ, 36 તાલુકામાં 5થી 10 અને 9 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે તો પાટણના સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે પાલનપુર અને ખેડામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. કાલાવડ અને માતરમાં 3-3 ઈંચ વરસાદ , વડગામ અને માંડલમાં 2.5 ઈંચ વરસાદ આ તરફ ઊંઝા, ઘોઘંબા અને ઉમરપાડામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે

મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો

મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાનપુર, લુણાવાડા, વિરપુર, કડાણામાં વહેલી સવારથી જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે મહીસાગરના અંતરિયાળ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે આ તરફ બનાસકાંઠામાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું છે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તો વરસાદને કારણે પાલનપુર-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે.

પાલનપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

બનાસકાંઠાના પાલનપુર, દાંતા, વડગામમાં વરસાદ, પાલનપુરમાં ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી, પહેલા વરસાદમાં જ લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી, એક દિવસમાં પાલનપુરમાં 4 ઈંચ, વડગામમાં અઢી ઈંચ વરસાદ, બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

Read More »

આંતરાષ્ટ્રીય યોગા-ડે: ભારતે ‘M-Yoga એપ’ લોન્ચ કરીને વિશ્વને આપી ભેટ




આંતરાષ્ટ્રીય યોગા-ડે: ભારતે ‘M-Yoga એપ’ લોન્ચ કરીને વિશ્વને આપી ભેટ











સાતમા આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતે સમગ્ર વિશ્વને એક ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધન દરમિયાન M-Yoga એપ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવવામાં આવશે. ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળીને આ એપ્લિકેશન તૈયાર કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘જ્યારે ભારતે યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે તેના પાછળ એવી ભાવના હતી કે, આ યોગ વિજ્ઞાન સમગ્ર વિશ્વ માટે સુલભ બને.’

વડાપ્રધાને કહ્યું કે, ‘આજે તે દિશામાં ભારતે યુનાઈટેડ નેશન્સ, WHO સાથે મળીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે વિશ્વને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે.’ આ એપમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયોઝ વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે M-Yoga એપમાં યોગ અંગેના સરળ પ્રોટોકોલ સમજાવવામાં આવશે જેથી અલગ-અલગ દેશોમાં યોગનો પ્રસાર થઈ શકે. આ એપમાં યોગ અંગેના વીડિયો શેર કરવામાં આવશે જે અલગ-અલગ ભાષાઓમાં હશે.

ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલ બાદ જ્યારથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા મળી છે ત્યારથી સમગ્ર વિશ્વમાં યોગને લઈ ઉત્સાહ વધ્યો છે. અલગ-અલગ દેશોમાં યોગ હવે દૈનિક જીવનનો હિસ્સો બન્યો છે અને સાથે જ એક પ્રોફેશનલ ચોઈસ પણ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હજુ પણ યોગના વીડિયો શેર કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ઘણી વખત 3-ડી અવતારમાં યોગના વીડિયો શેર કરે છે જેમાં તેઓ અલગ-અલગ આસનોનો ઉલ્લેખ કરે છે







Read More »

Sunday, June 20, 2021

International Yoga Day: યોગ દિવસ નિમિત્તે PM મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો





International Yoga Day: યોગ દિવસ નિમિત્તે PM મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો








- મેડિકલ સાયન્સે પણ અપનાવ્યો યોગ, ડૉક્ટર્સે તેને પોતાનું સુરક્ષા કવચ બનાવ્યુંઃ PM મોદી

નવી દિલ્હી, તા. 21 જૂન, 2021, સોમવાર

આજે એટલે કે 21 જૂન, 2021ના રોજ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે આ વખતે કોઈ વિશાળ કાર્યક્રમનું આયોજન નથી કરવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, 'આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યું છે. 2 વર્ષથી સમગ્ર વિશ્વના દેશોમાં અને ભારતમાં ભલે મોટા સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસ પ્રત્યેના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો નથી થયો.' વડાપ્રધાને આશરે 16 મિનિટના ભાષણમાં વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા.

આશાનું કિરણ બન્યો યોગ

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 'આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું કિરણ બન્યું છે. 2 વર્ષથી સમગ્ર વિશ્વના દેશોમાં અને ભારતમાં ભલે મોટા સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય પરંતુ યોગ દિવસ પ્રત્યેના ઉત્સાહમાં કોઈ જ ઘટાડો નથી થયો. કોરોના કાળમાં આ વખતની યોગ દિવસની થીમ યોગા અને વેલનેસ દ્વારા કરોડો લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. આજના યોગ દિવસે હું દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ બને તેવી કામના કરૂ છું. બધા એક સાથે મળીને એકબીજાની તાકાત બને.'

મહામારીમાં પણ લોકો યોગ ન ભૂલ્યા

આપણા ઋષિમુનિઓએ યોગ માટે 'સમત્વમ યોગ ઉચ્યતે' એવી પરિભાષા આપી છે. તેમણે સુખ-દુખમાં સમાન રહેવા, સંયમને એક રીતે યોગનું પેરામીટર બનાવ્યો હતો. આજે આ વૈશ્વિક ત્રાસદી દરમિયાન યોગે તે સાબિત કરી આપ્યું છે. કોરોનાના 1.5 વર્ષ દરમિયાન ભારત સહિત અનેક દેશોએ મોટા સંકટનો સામનો કર્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે યોગ તેમનો સદીઓ જૂનો પર્વ નથી. આ મુશ્કેલ સમય દરમિયાન, આટલી પરેશાની વચ્ચે લોકો યોગને સરળતાથી ભૂલી શકેત અને તેની ઉપેક્ષા કરી શકેત પરંતુ તેનાથી વિપરિત લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને યોગ માટેનો પ્રેમ વધ્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં વિશ્વના ખૂણેખૂણામાં લાખો નવા યોગ સાધકો બન્યા છે. યોગનો જે પહેલો પર્યાય સંયમ અને અનુશાસનનો છે તેને સૌ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.

યોગ આત્મબળનું માધ્યમ બન્યો

જ્યારે કોરોનાના અદૃશ્ય વાયરસે વિશ્વમાં દેખા દીધી ત્યારે કોઈ પણ દેશ સાધનો, સામર્થ્ય અને માનસિક રીતે તેના માટે તૈયાર નહોતો. આપણે બધાએ જોયું કે, આવા આકરા સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું. યોગના કારણે લોકોને વિશ્વાસ બેઠો કે આપણે આ બીમારી સામે લડી શકીશું.

ડૉક્ટર્સે પણ યોગનો ઉપયોગ કર્યો

જ્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ, ડૉક્ટર્સ સાથે વાત કરૂ છું ત્યારે તેઓ જણાવે છે કે, કોરોના સામેની લડાઈમાં તેમણે યોગને જ પોતાનું સુરક્ષા કવચ બનાવેલું. ડૉક્ટર્સે યોગ વડે પોતાની જાતને પણ મજબૂત બનાવી અને પોતાના દર્દીઓને જલ્દી સ્વસ્થ કરવા માટે પણ તેનો ઉપયોગ કર્યો. આજે હોસ્પિટલ્સની અનેક એવી તસવીરો સામે આવે છે જેમાં ડૉક્ટર્સ, નર્સ વગેરે દર્દીઓને યોગ શીખવતા દેખાય છે. પ્રાણાયામ, અનુલોમ-વિલોમ જેવી બ્રીથિંગ એક્સરસાઈઝથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી શક્તિ મળી છે તે પણ વિશ્વના નિષ્ણાતો પોતે જણાવી રહ્યા છે.

આજે સમગ્ર વિશ્વના નિષ્ણાતો યોગ પર અનેક પ્રકારના રિસર્ચ કરી રહ્યા છે અને યોગમાં ફિઝિકલ હેલ્થ ઉપરાંત મેન્ટલ હેલ્થ પર પણ જોર આપવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એમ-યોગ એપ્લિકેશન લોન્ચ કરી હતી. યુએન અને ડબલ્યુએચઓ સાથે મળીને તૈયાર કરવામાં આવેલી આ એપ્લિકેશનમાં કોમન યોગ પ્રોટોકોલના આધાર પર યોગ પ્રશિક્ષણના અનેક વીડિયોઝ વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

Read More »

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી




રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી








રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર સાથે જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે, જો કે હવામાન વિભાગે 23-24 જૂનના ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત અનેક પંથકોમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.



હવામાન વિભાગે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે 23-24 જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.


આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે. રાજ્યના અનેક પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેથી અમદાવાદ, સુરત, આણંદ સહિતના વિસ્તારોમાં તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સતત વરસાદ વરસ્યો.


અમદાવાદનાં વિવિધ વિસ્તારો જેવા કે બોપલ, ઘૂમા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, વેજલપુર, શિવરંજની, જીવરાજપાર્ક, થલતેજ, સોલા, ગોતા, મણિનગર, સેટેલાઈટ, કાંકરિયામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આજે રાજ્યનાં વિવિધ જિલ્લા અને તાલુકામાં મેઘ મહેર થતા ક્યાંક પાણી ભરાવાનાં તો કેટલાક વિસ્તારોનું વરસાદી પાણી કેનાલમાં ઠલવાતા કેનાલ અવોરફ્લો થવાની સમસ્યા સર્જાઇ હતી, પાટણમાં પડેલા વરસાદનાં કારણે પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે, આવી સ્થિતી કડી અને પાલનપુરમાં પણ જોવા મળી છે.

રાજ્યનાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં આગામી 2 દિવસમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. પવનની ગતિ 50થી 60 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.



Read More »