Search This Website

Monday, May 31, 2021

કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર

 

કોરોનાની બીજી લહેરે તોડી નાખી સામાન્ય માણસની કમર, 1 કરોડથી વધારે લોકો થયા બેરોજગાર


- કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ

નવી દિલ્હી, તા. 01 મે, 2021, મંગળવાર

કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97 ટકા પરિવારોની આવક ઘટી ગઈ છે. 

સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12 ટકાએ પહોંચી શકે છે જે એપ્રિલમાં 8 ટકા હતો. 

આ દરમિયાન આશરે 1 કરોડ લોકો બેરોજગાર થયા જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર જ છે. મહેશ વ્યાસના મતે હવે જ્યારે આર્થિક ગતિવિધિઓ ખુલી રહી છે તો થોડીક પરેશાનીઓનો જ અંત આવશે, બધી નહીં.

ધીરે-ધીરે થશે રિકવરી

મહેશ વ્યાસે જણાવ્યું કે, જે લોકોએ નોકરીઓ ગુમાવી છે તેમને ભારે મુશ્કેલીથી ફરી રોજગાર મળી રહ્યો છે. ઈન્ફોર્મલ સેક્ટર અમુક અંશે રિકવર થઈ રહ્યા છે પરંતુ જે ફોર્મલ સેક્ટર્સ છે, સારી ક્વોલિટીની નોકરી છે તેવા ક્ષેત્રમાં વાપસીને સમય લાગશે.

મે 2020માં બેરોજગારીનો દર 23.5 ટકાએ પહોંચી ગયો હતો અને તે સમયે નેશનલ લોકડાઉન લાગ્યું હતું. પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો રાજ્યોએ ધીમે-ધીમે પોતાના સ્તરે પ્રતિબંધો લગાવ્યા અને જે કામો શરૂ થયા હતા તે ફરી બંધ થઈ ગયા.  

મહેશ વ્યાસના મતે જો બેરોજગારી દર 3-4 ટકા સુધીનો રહેશે તો તે ભારતીય અર્થતંત્ર માટે નોર્મલ માનવામાં આવશે. CMIEએ આશરે 17.5 લાખ પરિવારોનો સર્વે કર્યો હતો જેમાં પરિવારની આવક અંગેની જાણકારી લેવામાં આવી હતી. કોરોના કાળમાં અનેક પરિવારોની આવક પહેલાની સરખામણીએ ખૂબ ઘટી ગઈ છે. 

Read More »

જલ્દી કરો / ફક્ત 9 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, આ રીતે ઉઠાવી લો ફાયદો




જલ્દી કરો / ફક્ત 9 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, આ રીતે ઉઠાવી લો ફાયદો

ગેસ સિલિન્ડર સસ્તામાં મેળવવાનો મોકો
809 રૂપિયાનો સિલિન્ડર RS 9માં
સસ્તામાં સિલિન્ડર મેળવવાની ટ્રીક જાણો

PAYTM પરથી તમે આ ઓફરનો લાભ લઇ શકો છો પરંતુ યાદ રાખો આ ઑફર માત્ર 31 મે સુધી જ છે. એટલે તમે આજે ગેસ સિલિન્ડર બૂક કરાવશો તો જ સિલિન્ડર 9 રૂપિયામાં મળશે.





બેન્કોની દશા બેઠી, SBI માં અધધ 78,072 કરોડનો ફ્રોડ, ટોટલ આંકડો સાંભળીને ચોંકી જશો

809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં LPG બૂકિંગ અને પેમેન્ટ PAYTMએ પોતાના ગ્રાહકો માટે બંપર ઓફર મૂકી છે. આ ઓફરમાં ગ્રાહકોને 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં જ મળશે. તેમાં તમે કેશબેકનો ઉપયોગ કરી શકશો અને તમને 800 રૂપિયા કેશબેક મળશે.

કેવી રીતે કરાવશો બૂક
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા PAYTM એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. બાદમાં તમારે ગેસ એજન્સીથી સિલિન્ડર બૂક કરવો પડશે. પેટીએમમાં ગયા બાદ શો મોર પર ક્લિક કરીને રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો. બાદમાં તમારે book a cylinderનો વિકલ્પ હશે તેના પર ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. બૂકિંગ પહેલા FIRSTLPG પ્રોમો કોડ નાંખવો પડશે. બૂકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચકાર્ડ મળશે અને આ સ્ક્રેચકાર્ડને પણ 7 દિવસની અંદર જ યુઝ કરવુ પડશે.





કેવી રીતે મળશે કેશબેક
જો તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો 31 મેના રોજ તમારે સિલિન્ડર બુક કરાવી લેવો પડશે. એક વાતનુ ધ્યાન રાખજો કે આ ઓફર ફક્ત તેના માટે છે જે પહેલી વાર PAYTMથી સિલિન્ડર બુક કરી રહ્યાં છે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે.

809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં LPG બૂકિંગ અને પેમેન્ટ PAYTMએ પોતાના ગ્રાહકો માટે બંપર ઓફર મૂકી છે. આ ઓફરમાં ગ્રાહકોને 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં જ મળશે. તેમાં તમે કેશબેકનો ઉપયોગ કરી શકશો અને તમને 800 રૂપિયા કેશબેક મળશે.

કેવી રીતે કરાવશો બૂક
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા PAYTM એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. બાદમાં તમારે ગેસ એજન્સીથી સિલિન્ડર બૂક કરવો પડશે. પેટીએમમાં ગયા બાદ શો મોર પર ક્લિક કરીને રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો. બાદમાં તમારે book a cylinderનો વિકલ્પ હશે તેના પર ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. બૂકિંગ પહેલા FIRSTLPG પ્રોમો કોડ નાંખવો પડશે. બૂકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચકાર્ડ મળશે અને આ સ્ક્રેચકાર્ડને પણ 7 દિવસની અંદર જ યુઝ કરવુ પડશે.





કેવી રીતે મળશે કેશબેક
જો તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો 31 મેના રોજ તમારે સિલિન્ડર બુક કરાવી લેવો પડશે. એક વાતનુ ધ્યાન રાખજો કે આ ઓફર ફક્ત તેના માટે છે જે પહેલી વાર PAYTMથી સિલિન્ડર બુક કરી રહ્યાં છે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે.
Read More »

BEST SELLING BIKES: The 10 best selling bikes in Corona's second wave



BEST SELLING BIKES: The 10 best selling bikes in Corona's second wave





In the second wave of Corona, customers are liking these 10 motorcycles very much. Choose your bike in 2 minutes.











BEST SELLING BIKES: કોરોનાની બીજી લહેરમાં વેચાયા સૌથી વધુ આ 10 બાઈક







કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક.







કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક.







કોરોનાની બીજી લહેરમાં ગ્રાહકો આ 10 મોટરસાયકલને ખુબ પસંદ કરી રહ્યાં છે., 2 મિનિટમાં પસંદ કરો આપની બાઈક. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરીશું જેને ગ્રાહકોએ કોરોનાની બીજી લહેરમાં ખુબ પસંદ કર્યા છે. આજે આપને ગત મહિને વેચાયેલી 10 મોટર સાયકલની વાત કરીશું.




જો આપ આ મહિનામાં બાઈક ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ ખબર આપના માટે ઘણી મદદરૂપ રહેશે. આજે અમે આપને એ 10 મોટરસાયકલની વાત કરવાના છીએ જેનુ વેચાણ કોરોનાની બીજી લહેર દરમિયાન ખુબ વધુ હતું. તે પછી આપ ખુદ નક્કી કરી શક્શો કે કયુ બાઈક લેવું.







ટોપ 10 મોટરસાયકલના નામ, એપ્રિલ 2021માં કેટલા બાઈક વેચાયા:







1) Hero Splendor 1,93,508 યુનિટ્સ

2) Honda CB Shine 79,416 યુનિટ્સ

3) Hero HF Deluxe 71,294 યુનિટ્સ

4) Bajaj Pulsar 66,586 યુનિટ્સ

5) Bajaj Platina 35,467 યુનિટ્સ

6) TVS Apache 29,458 યુનિટ્સ

7) Hero Glamour 23,627 યુનિટ્સ

8) Royal Enfield Classic 350 23,298 યુનિટ્સ

9) Hero Passion 17,748 યુનિટ્સ

10) Honda Unicorn PRM 16,602 યુનિટ્સ







ગત મહિને Hero Splendor દેશની સૌથી વધુ વેચાનારી બાઈક છે. Hero Splendorના એક લાખ યુનિટનું વેચાણ થયું છે. આ મહિને Honda CB Shine દેશની બીજી સૌથી વધુ વેચાનારી બાઈક રહી છે. જેના 79,416 યુનિટ વેચાયા છે. આ દરમિયાન ટોપ 3 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Hero HF Deluxeએ પણ જગ્યા બનાવી છે.







ટોપ 10 બેસ્ટ સેલિંગ બાઈક્સમાં Heroની સૌથી વધુ 4 મોટરસાયકલ સામેલ છે. આ લિસ્ટમાં Honda અને Bajajની 2-2 મોટરસાયકલ સામેલ છે. જ્યારે Royal Enfield અને TVSની 1-1 બાઈક છે. એપ્રિલ મહિનામાં Hero Splendor, Honda CB Shine, Hero HF Deluxe અને Bajaj Pulsarના 50 હજારથી વધુ યુનિટ્સ વેચાયા છે.




કામની વાત / સસ્તામાં ગાડી ખરીદવાની સૌથી મોટી તક, માત્ર 3555 રૂપિયામાં આ કાર લઇ આવો ઘરે




કોરોનાકાળમાં લોકો પ્રાઇવેટ કાર લેવાનું પ્રીફર કરી રહ્યાં છે કારણકે પબ્લિક ટ્રાંસપોર્ટમાં કોરોના થવાની શક્યતાઓ રહે છે.


ટાટાની આ કાર મળે છે સસ્તામાં 
કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ
ટિયાગો કાર માત્ર 3555 રૂપિયામાં

લોકોનું અનુમાન હતું કે કોરોનાકાળને લીધે ગાડીઓનું વેચાણ બંધ થઇ જશે પરંતુ તે વધારે વધ્યું. ગાડીઓની માગ વધી અને લોકો સેકન્ડ હેન્ડ કાર લેવાનું પણ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારે જો તમે પણ પોતાની કાર લેવાનું વિચારી રહ્યાં છો પણ બજેટ તમારો પ્રોબ્લેમ છો તો ચિંતા ન કરશો, ટાટાની આ કાર માત્ર 3555 રૂપિયાની EMI પર મળે છે.

ટાટા મોટર્સે એક ખાસ ઓફર આપી છે જેના હેઠળતમે કંપનીની આ હેચબેક કારને ખરીદી શકો છો. આ કારનું બેઝ વેરિએન્ટ 4.99લાખ રૂપિયાનું છે અને ટોપ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે.

વેરિએન્ટ XE 4.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે. આ કારનું ટોપ મોડલ 6.14 લાખ રૂપિયા છે. આ કારમાં મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ માટે નેક્સ્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી લેસ છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર ડિસ્પ્લે આપવામાં આવ્યુ છ.

ટિયાગોમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે જે 85 BHP અને 113nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે જોડવામાં આવ્યુ છે.
Source : Vtv ન્યૂઝ

Read More »

1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે



1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે










Changes From 1st June: 1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.




1 જૂનથી વિવિધ સ્તરે ભારતમાં ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. કોરોના કાળમાં હવે લોકોના જીવનમાં આ બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેકિંગ સેક્ટરના નિયમો, પેમેન્ટની પદ્ધતિ, પૈસાની લેવડ-દેવડ, સોશલ મીડિયાના નિયમો, ઈનકમ ટેક્સના નિયમો અને છેક રાંધણ ગેસને પણ આવરી લઈને ઘણાં બધા બદલાવ થવા જઈ રહ્યાં છે. 1 જૂનથી બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે. તો ઇન્કમ ટેક્સ સંબંધિત કામ માટે પણ તમારે ધ્યાન રાખવું પડશે.



રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર:




1 જૂનથી એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવાનું પણ શક્ય છે. ઓઇલ કંપનીઓ સામાન્ય રીતે દર મહિને નવા એલપીજી સિલિન્ડરના ભાવ ઇસ્યુ કરે છે. કેટલીકવાર મહિનામાં બે વાર ફેરફાર પણ જોવા મળે છે. જરૂરી નથી કે નવી કિંમતો 1 જૂને જાહેર થશે જ કેટલીકવાર દરો સમાન પણ રહે છે.




Income Tax સંબંધિત કામોમાં થશે બદલાવઃ







જો તમે Income Tax ઇ-ફાઇલિંગની તૈયારી કરી રહ્યા છો આ માહિતી ઉપર ધ્યાન આપો. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે 1 જૂન, 2021 થી 6 જૂન 2021 સુધી, આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ સેવા કામ કરશે નહીં. આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પોર્ટલ પાછલી વેબસાઇટથી સંપૂર્ણપણે અલગ હશે. તે ઘણી નવી સુવિધાઓ મેળવશે જે પહેલાં ન હતી. આ નવું પોર્ટલ 7 જૂને એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે. Www.incometaxindiaefiling.gov.in થી નવા પોર્ટલ www.incometaxgov.in તરફ માઈગ્રેશન કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે 7 જૂનથી કાર્યરત થશે.




1 જૂનથી બદલાઈ જશે પેમેન્ટની પદ્ધતિ:





બેંક ઓફ બરોડા 1 જૂન 2021 થી ગ્રાહકો માટે ચેકથી ચુકવણીની પદ્ધતિ બદલવા જઈ રહી છે. ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા બેંકે Positive Pay Confirmation ફરજિયાત કરી દીધી છે. BOB અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોએ જ્યારે 2 લાખ કે તેથી વધુ રૂપિયાના બેંક ચેક આપે છે ત્યારે જ આ પ્રણાલી હેઠળ ચેકની વિગતોની ફરીથી પુષ્ટિ કરવામાં આવશે.






નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ફેરફાર:






PPF, NSC, KVP અને સુકન્યા સમૃધિ જેવી નાની બચત યોજનાઓના વ્યાજના દર પણ આ મહિનામાં બદલવાના છે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર નવા વ્યાજ દર જાહેર થાય છે. કેટલીકવાર જુના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. 31 માર્ચ નાણાકીય વર્ષ 2020-21 ના ​​અંતિમ ક્વાર્ટરના અંતે નવા વ્યાજ દર ઘટાડવામાં આવ્યા હતા જે 24 કલાકની અંદર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.








1 જૂનથી બદલાઈ જશે Gmail ના નિયમો:




ગૂગલ 1 જૂનથી મોટા ફેરફારો કરી રહ્યું છે. હવે તમે 1 જૂન પછી ગૂગલ ફોટોઝ પર અમર્યાદિત ફોટા અપલોડ કરી શકશો નહીં. ગૂગલ અનુસાર દરેક જીમેલ યુઝરને 15 જીબી સ્પેસ આપવામાં આવશે. આ જગ્યામાં Gmail ઇમેઇલ્સ તેમજ તમારા ફોટા અને ગૂગલ ડ્રાઇવ શામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો. જો તમે 15 જીબીથી વધુ જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.





1 જૂનથી ગૂગલની સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ થશે. અત્યારસુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી અર્થાત ફોટોઝના સ્ટોરેજ સિવાય 15GBનું સ્ટોરેજ મળતું હતું.








આ પોલિસી લાગુ થતાં કેવી રીતે ગૂગલનો ઉપયોગ બદલાઈ જશે? કેવી રીતે તમે ગૂગલ સ્પેસ મેનેજ કરી શકશો? એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને કેટલા પૈસા આપવા પડશે? આ તમામ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ...





પોલિસીમાં શું ફેરફાર થઈ રહ્યા છે?

ગૂગલ હવે તમને ડેટા સ્ટોરેજ માટે કુલ 15GBનું જ ફ્રી સ્ટોરેજ આપશે. એક અકાઉન્ટથી તમે જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને ગૂગલની અન્ય સર્વિસનો લાભ મેળવી શકો છે. હાલ ગૂગલ ફોટોઝ પર જે પણ કન્ટેન્ટ અપલોડ થાય છે એને 15GBના ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરવામાં આવતું નહોતું. 1 જૂનથી ફોટોઝ પર બેક-અપ કરેલા હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયોને પણ ગૂગલ 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરશે. જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને અન્ય ગૂગલ સર્વિસ મળી એક અકાઉન્ટ પર કુલ 15GB ડેટા જ સ્ટોર કરવાની સુવિધા મળશે.





1 જૂનથી સમગ્ર દેશમાં ઘણા ફેરફારો થવાના છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર અને તમારા જીવન પર પડશે, તેથી નિયમોની માહિતી પહેલાંથી જ તમારી પાસે રાખવી જરૂરી છે.





1 જૂનથી બેંક ઓફ બરોડામાં ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. અમે તમને એવા 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર તમારા પર પડશે.



બેંક ઓફ બરોડામાં 1 જૂનથી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે




બેંક ઓફ બરોડામાં 1 જૂનથી ચેકથી પેમેન્ટની રીત બદલાઈ જશે. છેતરપિંડીથી બચાવવા માટે બેંકે ગ્રાહકો માટે પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. આ સિસ્ટમને લાગુ કરવાનો હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડીને રોકવાનો છે. ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેકની ડિટેલ્સ રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તેઓ 2 લાખ રૂપિયા અથવા એનાથી વધુનો ચેક આપે છે.





પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક જારી કરનારને એ ચેકથી સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચુકવણી કરતી બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપવામાં આવી શકે છે.





ગેસ-સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે



દેશની સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. આવી સ્થિતિમાં 1 જૂનના રોજ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.







વધુ ગૂગલને સ્ટોરેજ માટે અલગથી પૈસા આપવા પડશે
ગૂગલ ફોટોમાં 1 જૂન બાદ અનલિમિટેડ ફોટો અપલોડ નહીં કરી શકાય. ગૂગલના જણાવ્યા અનુસાર, 15GBની સ્પેસ દરેક જીમેલ યુઝર્સને આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલનું ઈમેલ પણ સામેલ છે અને એ ઉપરાંત તમારા ફોટો પણ. એમાં ગૂગલ ડ્રાઈવ પણ સામેલ છે. જો 15GBથી વધારે સ્પેસ યુઝ કરવી હોય તો એના માટે પૈસા આપવા પડશે. અત્યારસુધી અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી હતું.








1 જૂનથી ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ બંધ રહેશે

1થી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે તેમજ 7 જૂનના રોજ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ડાયરેક્ટર ઓફ ઈન્કમ ટેક્સના અનુસાર, ITR ફાઈલ કરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021ના રોજ બદલાઈ જશે. 7 જૂનથી તે http://INCOMETAX.GOV.IN થઈ જશે. અત્યારે એ http://incometaxindiaefiling.gov.in છે.



અનલોક પ્રોસેસ શરૂ થશે.



કોરોનાના વધતા કેસોને કારણે દેશમાં જ્યાં લોકડાઉન છે ત્યાં 1 જૂનથી લોકડાઉનથી રાહત મળી શકે છે. દેશમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉનથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે જે શહેરોમાં વધારે કેસ છે ત્યાં રાહત મળે એવી સંભાવના ઓછી છે.




Read More »

નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર નું ફોર્મ તથા નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ના પુરાવા નું લિસ્ટ

 

નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર નું ફોર્મ તથા 

નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ના પુરાવા નું લિસ્ટ  

  
 નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ના પુરાવા નું લિસ્ટ 


1   ફોર્મ 
2   3 કોર્ટ ટિકિટ 
3   આવક નો દાખલો 
4   સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ
5  જતી નો દાખલો
6  પોતાનું ID PROOF
7  પિતા નું ID PROOF
8  રેશનકાર્ડ
9  વેરાબીલ ( ભાડે રહેતા હોય તો ભાડાકરાર)
10 બે સોસાયટી વાળા સાક્ષી ના ID PROOF
11 તલાટી ના સહિ-સિક્કા
12 નોટરી નો સિક્કો તથા TRUE COPY કરાવવું
13 20 ના સ્ટેમ્પ પર સોગંદનામું ( એફિડેવિટ)


Read More »

Sunday, May 30, 2021

ત્રીજી લહેરમાં વાયુ પ્રદુષણ ભળશે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે




ત્રીજી લહેરમાં વાયુ પ્રદુષણ ભળશે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે







કોરોનાથી બચવા વાયુ પ્રદુષણ કાબુમાં રાખવું અતિ જરૂરી

ઓક્ટોબરમાં સળગાવાતી પરાળી, વધી રહેલા પ્રદુષણ મુદ્દે વાયુ ગુણવત્તા આયોગની મહત્ત્વની બેઠક યોજાશે

નવી દિલ્હી : કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ પણ એલર્ટ થઇ ગયું છે. આયોગનું માનવું છે કે જો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન વાયુ પ્રદુષણ કન્ટ્રોલમાં ન રહ્યું તો માનવ સ્વાસ્થ્ય પર તેની બેવડી વિપરીત અસર જોવા મળી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આયોગે ચાર જૂનના રોજ વિશેષ બેઠક પણ બોલાવી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકનો એજંડા કોરોના કાળ તેમજ શીયાળામાં એનસીઆર સહિત પર્વતિય ક્ષેત્રોમાં હવા સાફ રાખવાની રણનીતિ તૈયાર કરવાનો રહેશે. પુનર્ગઠન બાદ આયોગની આ પહેલી બેઠક છે.

જેમાં દરેક 18 સભ્યો સામેલ થશે. જોકે પુનર્ગઠન બાદ 18 સભ્યો વાળા આયોગને વધારીને 21 સભ્યો વાળુ આયોગ બનાવી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી જ એનસીઆરના હવામાનમાં બદલાવ અને વાયુ ગુણવત્તા ખરાબ થવાની શરૂઆત થઇ જતી હોય છે.

ઓક્ટોબર મહિનામાં પરાળી સળગાવવાની ઘટના પણ જોર પકડવા લાગે છે. જે દરમિયાન વાયુ ગુણવત્તા ખરાબ થવા લાગે છે. આયોગનું માનવુ છે કે કોરોના સંક્રમણ સીધા ફેફસા પર અસર કરે છે. ઉપરથી પ્રદુષિત વાયુથી લોકોની પરેશાની વધવા લાગે છે.

એવામાં એ વાતને લઇને આયોગ મંથન કરશે કે કોરોના કાળમાં પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય. એવી ચર્ચા છે કે આ બેઠકમાં પરાળી સળગાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ વાયુ પ્રદુષણ ન વધે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
Read More »

કોરોનાથી ડર લાગી રહ્યો હોય તો આ નંબર પર કોલ કરો, અહીં તમારું મનોબળ વધી જશે




કોરોનાથી ડર લાગી રહ્યો હોય તો આ નંબર પર કોલ કરો, અહીં તમારું મનોબળ વધી જશે


કોરોનાને લઈ મનમાં કોઈ પણ અવઢવ હોય તો સરકારે જાહેર કરેલ નંબર પર ફોન કરો


નંબરની જાણકારી સતત તમને દરેક મીડિયામાં મળશે


કોરોના અંગે જાગૃતતા ફેલાવવા આ નંબર જાહેર કરવામાં આવ્યા



કોરોનાને લઈ મનમાં કોઈ પણ અવઢવ હોય તો સરકારે જાહેર કરેલ નંબર પર ફોન કરો

છેલ્લા કેટલાક મહિનામાં સરકારે પ્રિન્ટ, ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા સહિત અન્ય પ્લેટ્ફોર્મસ દ્વારા લોકોમાં જાગૃતતા વધારવાનું કામ કર્યું છે. ભારતના નાગરિકો માટે માત્ર હેલ્પલાઈન નંબર જ નહીં, પણ સાથે સાથે લોકોને મહામારી સામે કઈ રીતે લડવું તે અંગે જાગૃત પણ કરવામાં આવ્યા. તેથી જો કોરોનાને લઈ તમારા મનમાં કે તમારા પરિવારના સભ્યોને કોઈ પણ સવાલ હોય તો તેનો યોગ્ય જવાબ તમને નીચે આપેલ નંબર પરથી મળી રહેશે.






નંબરની જાણકારી સતત તમને દરેક મીડિયામાં મળશે

જો તમે આ નંબર યાદ રાખવાનું ભૂલી જશો તો ગભરાવવાની બિલકુલ જરૂર નથી, કારણકે હવે હવે તમને ઘણા બધા માધ્યમો દ્વારા આ નંબરની માહિતી સતત રીતે મળતી રહેશે. જેમ કે જો તમે કોઈ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છો તો થોડી થોડી વારના અંતરે કે પછી વિરામના સમયે અને ખાસ કરીને પ્રાઇમ ટાઈમના સમયે દરેક ન્યૂઝ ચેનલ પર આ નંબર લોકોને બતાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્તર પર જાહેર કરવામાં આવેલા આ નંબરો લોકો સુધી પહોંચાડી કોરોના મહામારી સામે જાગૃતતા ફેલાવવામાં પોતાનું યોગદાન અમારી સાથે તમે પણ આપજો. સરકાર દ્વારા ચાર હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. 1075 (કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય), 1098 (કેન્દ્રીય મહિલા એન બાલ વિકાસ મંત્રાલય), 14567(કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય), અને 08046110007 (માનસિક ચિંતામાં મદદ માટે)






કોરોના અંગે જાગૃતતા ફેલાવવા આ નંબર જાહેર કરવામાં આવ્યા

કેંદ્રએ રવિવારે દેશની બધી જ ખાનગી ચેનલો માટે એક દિશાનિર્દેશ જાહેર કર્યા છે અને કહ્યું છે કે દરેક ચેનલો પોતાની સ્ક્રીન પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઈન નંબર બતાવી કોરોના અંગે જાગૃતતા ફેલાવવા માટે સરકારની મદદ કરે. આ સાથે જ સરકારે કહ્યું કે કેન્દ્ર કોરોના મહામારીને લઈ માત્ર ત્રણ વાતોથી લોકોને જાગૃત કરવા માંગે છે. 1 કોવિડ સારવાર પ્રોટોકોલ 2. કોવિડ માટે યોગ્ય વ્યવહાર 3. રસીકરણ







Source link
Read More »

આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ




આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ




આફત / કોરોના મુક્ત થયેલા બાળકોમાં નવા રોગના લક્ષણ જોવા મળતા ચિંતા વધી, અમદાવાદમાં 10 કેસ



અમદાવાદમાં 10 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા, કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે.


બાળકોમાં વધ્યું MIS-Cનુ સંક્રમણ
અમદાવાદમાં MIS-Cના 10 કેસ નોંધાયા
18 વર્ષ સુધીના બાળકોમાં થાય છે MIS-C રોગ

અમદાવાદમાં બાળકોમાં નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ રોગ MIS-C ના નામથી જાણીતો છે.




સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આપ્યું નિવેદન







ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોષીએ આ મામલે VTV સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના હાલ આ રોગને લઈને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે બાળકો આ રોગનો ભોગ બન્યા છે તેમના કેસ પર સ્ટડી ચાલુ છે. જેમાં બાળકોમાં સામાન્ય રીતે 3 દિવસ સુધી તાવ આવે છે અને ડાયેરિયા થાય છે અને નબળાઈ પણ જોવા મળે છે. તો જે બાળકો ગંભીર છે તેમનું હૃદય પંપિંગ ઘટી જાય છે.

ક્યા બાળકોને થાય છે ?

જે બાળકોને કોરોના થયો છે અને મુક્ત થયાં છે તેવા બાળકો અને 18 વર્ષ સુધીના બાળકોમાં MIS-C રોગ થાય છે.




બાળકોમાં જોવા મળ્યો નવો રોગ

કોરોના બાદ બાળકોમાં નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે, જે અત્યારસુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો છે. અને એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જોવા મળતો હતો. પરંતુ કોરોનાકાળમાં ભારતમાં આ રોગે દસ્તક દીધી છે. અમદાવાદના બાળરોગ નિષ્ણાત હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામના આ રોગમાં બાળકોની આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા અચાનક વધી જાય છે. અને આ બધુ બાળકના શરીરમાં કોરોના પછી એન્ટિબોડી વધી જવાને કારણે સર્જાય છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતાં શરીરના દરેક કોષ પર અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરવા લાગે છે. ગુજરાતના ઘણા શહેરોના બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામનો રોગ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં 15 કેસ નોંધાયા

રાજકોટમાં બાળકોમાં નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકરમાઈકોસીસ જેવો મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. રાજકોટમાં 15 જેટલા મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે. કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં શરીર લાલ થવું, સોજો આવવો અને તાવ આવવો જેવા લક્ષણો પ્રાથમિક રીતે સામે આવી રહ્યા છે.

મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ


મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રનને મેડિકલની ભાષામાં MIS-C કહે છે
રોગ PIMS એટલે કે પીડિયાટ્રીક મલ્ટિસિસ્ટમ ઈન્ફલામેન્ટ્રી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય
કોરોના બાદ 4થી 6 અઠવાડિયા પછી અમુક બાળકોમાં આ રોગ જોવા મળ્યો છે

મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમના લક્ષણો
આંખો લાલ થવી, જીભ લાલ થવી, ઝાડા ઊલટી
શરીરમાં દાણા નીકળવા, સોજા ચડવા
પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા

એન્ટિબોડીને કારણે સર્જાય છે સમસ્યા?
બાળકોમાં કોરોના થયા બાદ 4થી 6 અઠવાડિયા રોગ જોવા મળે છે
બાળકોમાં કોરોના થયા બાદ શરીરમાં એન્ટિબોડી બને છે
બાળકોમાં એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતા શરીરના કોષ પર અસર કરે છે
એન્ટિબોડી શરીરનું રક્ષણ કરવાને બદલે બાળકોને નુકસાન કરવા લાગે છે
વાયરસ વિરુદ્ધ બનેલા એન્ટિબોડી વધુ સક્રિય થઈ ફેફસા, હૃદય, કિડની, લિવરને નુકસાન કરી શકે છે
Source : Vtv ન્યૂઝ
Read More »

બ્લેક ફંગસ’ બાદ હવે કોરોનાના દર્દીઓમાં નવી બીમારીનું સંકટ, ગુજરાતમાં ‘એસ્પરગિલોસિસ’ના 8 કેસ

બ્લેક ફંગસ’ બાદ હવે કોરોનાના દર્દીઓમાં નવી બીમારીનું સંકટ, ગુજરાતમાં ‘એસ્પરગિલોસિસ’ના 8 કેસ



નવી દિલ્હી/વડોદરા: સમગ્ર દેશ હાલ મહામારી કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાના કહેરથી હજું માંડ ઉગર્યા, ત્યાં બ્લેક ફંગસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજારથી વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. બ્લેક ફંગસ બાદ હવે કોરોનાના દર્દીઓ વધુ એક બીમારીમાં સપડાઈ રહ્યાં છે. આ નવી બીમારીનું નામ “એસ્પરગિલોસિસ” છે. બ્લેક ફંગસના જેમ જ એસ્પરગિલોસિસ પર કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓમાં જ જોવા મળે છે. 


ગુજરાતમાં એસ્પરગિલોસિસના 8 દર્દી 


દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસો અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. બ્લેક ફંગસના કેસ ગુજરાતમાં ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના 262 નવા કેસો સામે આવ્યાં છે. જે પૈકી 8 લોકો એક નવા ફંગસ એસ્પરગિલોસિસથી પીડિત જણાયા છે. કોરોના મહામારી વચ્ચે અન્ય અનેક પ્રકારના ફંગલ ઈન્ફેક્શન ચિંતાનો વિષય બન્યાં છે.
Read More »

Saturday, May 29, 2021

100ની નવી નોટ ચલણમાં મુકાશે, જલ્દી ફાટશે પણ નહીં અને પાણીથી નુકસાન પણ નહીં થાય




100ની નવી નોટ ચલણમાં મુકાશે, જલ્દી ફાટશે પણ નહીં અને પાણીથી નુકસાન પણ નહીં થાય




100ની નવી નોટ ચલણમાં મુકાશે, જલ્દી ફાટશે પણ નહીં અને પાણીથી નુકસાન પણ નહીં થાય






નવી દિલ્હી,તા.29 મે 2021,શનિવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે.

હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછી મોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે અને ફાટી પણ બહુ જલ્દી જાય છે. રિઝર્વ બેન્કે દર વર્ષે આવી લાખો કરોડો રૂપિયાની નોટો બદલવી પડતી હોય છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ હટાવવી પડે છે અને તેની પાછળ પણ મોટી રકમ ખર્ચાય છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દુનિયાના ઘણા દેશો પ્લાસ્ટિકની નોટોનો ઉયોગ કરે છે. વાર્નિશ કોટિંગવાળી નોટોની ટ્રાયલ સફળ રહેશે તો તબક્કાવાર 100 રૂપિયાની હાલની નોટોને બદલીને તેની જગ્યાએ આ નવી નોટો ચલણમાં મુકાશે. નવી નોટની વધારે સંબાળ રાખવાની જરૂર નહીં પડે. કારણકે તે જલ્દી ફાટશે પણ નહીં અને પાણીમાં પડવાથી તેને વધારે નુકસાન પણ નહીં થાય.

સામાન્ય રીતે વાર્નિશનો ઉપયોગ લાકડા અને લોખંડની વસ્તુઓ પર પેન્ટ કરતી વખતે થતો હોય છે. દુનિયાના બીજા દેશો ચલણી નોટોમાં તેનો ઉપયોગ કરી જ રહ્યા છે અને હવે ભારતમાં પણ તેનો ઉપયોગ કરવાનુ નક્કી કરાયુ છે. બેન્ક નવી નોટને એ રીતે ડિઝાઈન કરવા માંગે છે કે, નેત્રહીન લોકો પણ તેને હાથમાં લઈને ઓળખી શકે. નવી વ્યવસ્થાના ભાગરૂપે નોટો પર ટેક્સટાઈલ માર્ક, નોટોની અલગ અલગ સાઈઝ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે.

નોટોની ગુણવત્તા બહેતર બનાવવા માટે બેન્ક દ્વારા ક્વોલિટી એસ્યોરન્સ લેબોરેટરી પણ કાર્યરત કરવામાં આવી છે. દેશના અગ અલગ પ્રેસમાં નોટો છપાય છે અને તેનુ સ્ટાન્ડર્ડ એક સરખુ રહે તે માટે લેબોરેટરી કામ કરે છે.
Read More »

Friday, May 28, 2021

મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.

મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.



મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.
નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશ માં કોરોના એ હાહાકાર મચાવ્યો હતો અને કોરોના નાં કારણે ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ફરીથી એક મહામારી એ હાહાકાર મચાવ્યો છે અને આ મહામારી નું નામ છે મ્યુકરમાયકોસિસ આ મહામારી આપણા દેશ માં ખુબ જ ઝડપથી વધી રહી છે. મ્યુકરમાયકોસિસ બીમારીમાં આપણી આંખ માં ઇન્ફેક્શન થાય છે.આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કોરોના ની મહામારી માં પણ લોકો એ ઘરેલુ દેશી ઉપચાર કરી ને કોરોના નાં સામે રક્ષણ મેળવ્યું હતું. તેવી જ રીતે આપણે મ્યુકરમાયકોસિસ ને પણ ઘરેલુ દેસી ઉપચાર કરી ને તેની સામે રક્ષણ મેળવી સકીએ છીએ.

આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આપણે આર્યુવેદ સારવાર કરી ને કોઈ પણ રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું કે આપણે મ્યુકરમાયકોસિસ સામે રક્ષણ મેળવવા ઘરે બેઠા કેવી રીતે રક્ષણ મેળવી શકીએ.

• હળદર અને સુંઠ

ફંગળ ને અટકાવવા આયુર્વેદ માં ઉત્તમ ઉપચાર હળદર ,લીમડો તેમજ અજમો સૂંઠ ફંગલ ને અટકાવી સકે છે. હળદર અજમાં નો નાસ હળદર સૂંઠ કડવા લીમડા નાં પાણી નાં કોગળા કરવા ગરમ પાણી માં હળદર, સૂંઠ, લીમડાના પાન નાખીને પાણી અડધો કપ રહી જાય ત્યાં સુધી ઉકાળી ને નવશેકું પાણી પીવાથી ફગલ થતું અટકાવી શકે છે. ગંધક રસાયણ , આરોગ્ય વર્ધન ની ત્રિફલા જેવી વનસ્પતિ એન્ટી ફગલ તરીકે કામ કરે છે.

વાસી કે બગડી ગયેલા ખોરાક ને સુંઘવા બગડેલી વસ્તુઓ પર ફૂગ શ્વાસનળી સાથે શરીર માં જતાં ફાંગલ ને અટકાવી શકે છે.

• પાણી ને ઉકાળ્યા બાદ નવશેકા પાણીનો અડધો કપ પીવો

આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા મુજબ પાણીને પહેલા ગરમ કરવું જોઈએ અને તેમાં હળદર અને અજમો ઉમેરવા જોઈએ અને નવ સેકસ પાણી લેવું જોઈએ. હળદર અને અજમાના પાણીનો ઇન્હેલેશન ફૂગના વિકાસને રોકી શકે છે. હળદર, આદુ, કડવો લીમડાના પાણીથી કોગળા. જેના કારણે મૌખિક સ્વચ્છતા જળવાઈ રહે છે અને ફૂગથી બચી શકાય છે. શુદ્ધ પાણી ગરમ કર્યા પછી તેમાં હળદર, આદુ, કડવો લીમડાના પાન ઉમેરીને પાણી ઉકાળો, પછી નવ શેકેલા પાણીનો અડધો કપ પીવો જે ફૂગથી બચી શકે છે.
Read More »

ભારતમાં 70 કરોડને કોરોના, 42 લાખનાં મોત : ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો




ભારતમાં 70 કરોડને કોરોના, 42 લાખનાં મોત : ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો






સરકારના આંકડા કરતા 14 ગણા વધુ લોકો માર્યા ગયા


ન્યૂયોર્ક ટાઇમ્સે સીરો સરવે અને 12થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતોની મદદના આધારે એનાલિસિસ તૈયાર કર્યું

ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ જુઠો અને નિરાધાર, માત્ર ફોન પર તૈયાર કરાયો હોય તેમ લાગે છે : કેન્દ્ર

ન્યૂયોર્ક : અમેરિકાના પ્રખ્યાત સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો સરકાર દ્વારા જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી 14 ગણા વધુ લોકો માર્યા ગયા છે.

એટલે કે ન્યૂયોર્ક ટાઇમ્સે કેન્દ્ર સરકારના કોરોના અંગેના આંકડાઓ સાચા ન હોવાનો દાવો કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના એનાલિસીસના આધારે દાવો કર્યો છે કે ભારતમાં 70 કરોડથી પણ વધુ લોકોને કોરોના થયો છે જ્યારે 42 લાખથી પણ વધુ લોકો કોરોનાથી માર્યા ગયા છે.

જસ્ટ હાઉ બિગ કુડ ઇન્ડિયાસ ટ્રૂ કોવિડ ટોલ બી? નામના ટાઇટલ હેઠળ પ્રકાશિત આ અહેવાલમાં ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે અમે જે આંકડા જાહેર કર્યા છે તે મૃત્યુ અને કેસોની ગણતરીના આધારે નક્કી કર્યા છે. સાથે જ તેમાં ત્રણ નેશનલ સીરો સર્વે કે જેને ડઝનથી વધુ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેનો પણ સમાવેશ અમે કર્યો છે.

આ સીરો સરવેમાં એમોરી યૂનિવર્સિટીના એપીડેમીઓલોજિસ્ટ કાયોકો શીઓદા, યેલ સ્કૂલ એટ પબ્લિક હેલૃથના પ્રોફેસર ડેન વેનબર્જર, સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના ડાયરેક્ટર ડો. રમનાન લક્ષ્મીનારાયણનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટમાં ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકોના ઘરે જ મોત થયા છે કેમ કે હજારો લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા જ નહોતી મળી રહી.

આ આંકડા સરકારના કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડા સાથે મેળ નથી ખાઇ રહ્યા. એટલે કે તેને ગણતરીમાં લેવામાં નથી આવ્યા. ન્યૂયોર્ક ટાઇમ્સે નિષ્ણાંતોના અભિપ્રાયોના આધારે આ રિપોર્ટ પ્રકાશીત કરી હતી, જેને ત્રણ ભાગોમાં વહેચવામાં આવી હતી. જેમાં સામાન્ય સિૃથતિ, ખરાબ સિૃથતિ અને અત્યંત ખરાબ સિૃથતિનો સમાવેશ થાય છે.

અત્યંત ખરાબ સિૃથતિમાં અનુમાન લગાવાયુ કે કોરોના સંક્રમણનો આંકડો વાસ્તવિક આંકડાથી 26 ગણો વધુ છે, સાથે જ કોરોનાથી 70 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 42 લાખ લોકોના મોત નિપજ્યા છે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ન્યૂયોર્ક ટાઇમ્સના આ અહેવાલને ઉપજાવી કાઢેલો ગણાવ્યો હતો.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે ન્યૂયોર્ક ટાઇમ્સનું એનાલિસીસ અયોગ્ય રીતે કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ માત્ર ફોન પર તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં વાસ્તવિક્તા કઇ જ નથી. જ્યારે સ્વાસ્થ્ય મત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ નિરાધાર અને જુઠો છે.

Read More »

Thursday, May 27, 2021

વડીલો અને દિવ્યાંગ નાગરિકોને ઘર પાસે જ આપવામાં આવશે કોરોના વેક્સિન, દિશા-નિર્દેશ કરાયા જાહેર




વડીલો અને દિવ્યાંગ નાગરિકોને ઘર પાસે જ આપવામાં આવશે કોરોના વેક્સિન, દિશા-નિર્દેશ કરાયા જાહેર








- સામુદાયિક કેન્દ્ર આરડબલ્યુએ કેન્દ્ર, ગ્રુપ હાઉસિંગ સોસાયટી સેન્ટર, પંચાયત ઘર, સ્કુલ ભવન વગેરે જગ્યાએ વેક્સિનેશન કેન્દ્ર બનાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 28 મે, 2021, શુક્રવાર

કેન્દ્ર સરકારે વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન સરળ બનાવવા 60 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો માટે નિયર ટુ હોમ કોવિડ વેક્સિન સેન્ટર (NHCVC)

અંગે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કોરોના માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ (NEGVAC) એ વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે નિયર હોમ કોવિડ વેક્સિનેશન કેન્દ્રના દિશા-નિર્દેશો મુદ્દે કેન્દ્રીય મંત્રાલયની એક તકનીકી નિષ્ણાત સમિતિના પ્રસ્તાવની ભલામણ કરી છે.

NHCVC એક સમુદાય આધારીત, લચીલા અને જન-કેન્દ્રિત દૃષ્ટિકોણનું પાલન કરશે જેથી કોરોના વેક્સિનેશન કેન્દ્રોને ઘરની નજીક લાવી શકાય. તકનીકી નિષ્ણાત સમિતિનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોની શારીરિક સ્થિતિના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્યાં ખોલવામાં આવશે કોવિડ સેન્ટર

તેના અંતર્ગત સામુદાયિક કેન્દ્ર આરડબલ્યુએ કેન્દ્ર, ગ્રુપ હાઉસિંગ સોસાયટી સેન્ટર, પંચાયત ઘર, સ્કુલ ભવન વગેરે જગ્યાએ વેક્સિનેશન કેન્દ્ર બનાવવામાં આવશે. 60 વર્ષથી વધારે ઉંમરના તમામ નાગરિકો જેમણે હજુ સુધી કોરોનાની વેક્સિન નથી લીધી અથવા તો બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ અને દિવ્યાંગ નાગરિકો NHCVCમાં કોરોના વેક્સિનેશન માટે સામેલ થઈ શકશે. જ્યારે બાકીના લોકોએ વેક્સિન માટે નિયત કેન્દ્રો પર જ જવું પડશે.
Read More »

100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી




100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી


100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરીMini 

💥🌐🌀 100 થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી


➡️

અહીંથી ડાઉનલોડ કરો મીની લાયબેરી કાયદાઓની




Click here to download mini library

1. ભારતનું સંવિધાન

2. મામલતદાર કોર્ટ અધિનિયમ, 1906

3. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, 1948

4. વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, 1972

5. પ્રાણી ક્રૂરતા નિરારણ અભિનિયમ-1860

6. હિન્દૂ લગ્ન અધિનિયમ, 1955

7. પોલીસ મેન્યુઅલ

8. અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસીટી) - 1989

9. ગુજરાત જિલ્લા આયોજન સમિતિ અધિનિયમ, 2008

10. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005

11. એપેડેમીક ડિસીસ એકટ, 1897

12. લોકાયુક્ત આયોગ અધિનિયમ, 2013

13. પોસ્કો જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, ૨૦૧૨

14. ગુજરાત જુવેનાઈલ જસ્ટીસ(કિશોર ન્યાય) નિયમો-2011

15. વિકલાંગ(સમાન તકો-અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો,૧૯૯૫

16. આધાર અધિનિયમ, 2016

17. જેજે એકટ, 2015

18. ભારત સરકારનું અસાધારણ ગેઝેટ, 2007

19. ગ્રાન્ટ ઈન એઈડ કોડ - 1992

20. રાષ્ટ્રીય ન્યાસ અધિનિયમ, ૧૯૯૯

21. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006

22. ભિક્ષા પ્રતિબંધક ધારો,૧૯પ૯

23. ગુજરાતના ભીખ માંગવાનો પ્રતિબંધ કરવા બાબતના નિયમો, 1964

24. બાળકો દત્તક આપવાની માર્ગદર્શિકા-૨૦૧૫

તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003

25. અશક્ત વ્યક્તિ ( સમાન તક, અધિકાર સંરક્ષણ અને સંપુર્ણ ભાગીદારી) નિયમો- ૨૦૦૦

26. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ : ૧૯૫૬ (હિન્દી)

27. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

28. RTE બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ– ૨૦૧૨ (ગુજરાત રાજ્ય - ગુજરાતી)

29. ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ, ૧૯૮૪

30. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ : ૧૯૪૭

31. ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો : ૧૯૪૯

32. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ – ૧૯૭૨

33. ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમો, 2017

34. ગુજરાત વિધાનસભા ગ્રંથાલય નિયમો, 2012

35. ગુજરાત વિધાનસભાના નિયમો, 2012

36. ગુજરાત વિધાનસભા પગાર ભથ્થા અધિનિયમ, ૧૯૬૦

37. ગુજરાત વિધાનસભાના સભ્યોના પગાર તથા ભથ્થા બાબતનો અધિનિયમ તથા નિયમો - ૧૯૬૦ (૧૧ મી આવૃત્તિ-૨૦૦૭)

38. ધાર્મિક સંસ્થા(દુરુપયોગ નિવારણ) અધિનિયમ, 1988

39. ગુજરાત પંચાયત સેવા પ્રોવિડન્ટ ફંડ નિયમો, 1971

40. ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮

41. મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ - ૧૯૫૦

42. મુંબઈ સિંચાઈ અધિનિયમ, 1979

43. લવાદી (પ્રોટોકોલ અને કન્વેન્શન) અધિનિયમ, ૧૯૩૭

44. ગુજરાત અંદાજ પત્ર નિયમસંગ્રહ

45. ગુજરાત તિજોરી નિયમો, ૨૦૦૦

46. ગુજરાત સ્થાનિક ફંડ ઓડિટ નિયમો, ૧૯૭૪

47. ભારત સરકારની હિસાબી અને ઓડિટ પધ્ધતિ

48. પંચાયાત અને ગ્રામ ગૃહ નિર્માણ નિયમ સંગ્રહ

49. એડમિસ્ટ્રેટર જનરલ અધિનિયમ, 1963

50. પુરાતત્ત્વ અને ભૂમિગત ધનને લગતા અધિનિયમો, 51. સરકારી હુકમો, નિયમ સંગ્રહ (હેન્ડબુક)

52. સરકારી જામીનગીરી નિયમ સંગ્રહ

53. નોંધ લેખન પધ્ધતિ

54. સરકારી મધ્યસ્થ મુદ્રાલય નિયમો એસ.સી.એલ નિયમો, 2016

55. ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩

56. કચેરી કાર્ય પદ્ધતિ પુસ્તિકા(સચિવાલય માટે)

57. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો

58. મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો - ૧૯૫૯

59. નાણાંકીય સત્તા (સોંપણી) નિયમો, ૧૯૯૮

60. ગુજરાત રાજય સેવા (વર્તણૂંક) નિયમો, ૧૯૭૧

61. ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો, ૧૯૭૧

62. ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ (સરકારી ઠરાવો તથા સરક્યુલર્સ ની સાથે)

63. ગુજરાત રાજય સેવા આયોગ (વિચાર વિનિમયમાંથી મુક્તિ) વિનિયમો, ૧૯૬૦

64. ગુજરાત સરકારના કામકાજના નિયમો-૧૯૯૦

પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ-૧૯૭૩

65. ગુજરાત મુલ્કી સેવા ભરતી નિયમો, ૧૯૬૭

66. ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૬

67. ગુજરાત લોકાયુક્ત નિયમો, ૧૯૮૯

68. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો.૧૯૬૭

69. ગુજરાત મુલ્કી સેવા નિયમો : ૨૦૦૨ (મુસાફરી ભથ્થા)

70. ગુજરાત મુલ્કી સેવા (રહેણાકના મકાનોમાં વસવાટ) નિયમો, ૨૦૦૨

71. ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002

72. ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨

73. ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨

74. ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨

75. ગુજરાત સમાજ સંરક્ષણ ખાતાકીય પરીક્ષા(તાબાની સેવાની ખાતાકીય અને ઉચ્ચ કક્ષાની ખાતાકીય પરીક્ષાને લગતી નોકરીની શરતો)નિયમો-૧૯૭૨

76. ડિજિટલ પુરાવા અને પોલીસ તપાસ માર્ગદર્શિકા

77. એવિડન્સ એકટ, 1872

78. બાળ ન્યાય મોડલ નિયમો, ૨૦૧૬

79. સિનિયર સિટીઝન એકટ, 2007

80. ગુજરાતી જીએસટી એકટ, 2017

81. પ્રોફેશન ટેક્સ એકટ, 1976

82. સોસાયટી રજિસ્ટ્રેશન એકટ, 1860

83. ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949

84. કાયદા વિભાગનું અંદાજપત્ર

85. દફતર વર્ગીકરણની સમયસુચિ

86. નાગરિક હક રક્ષણ અધિનિયમ, 1955

87. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2003




નાગરિકો ના અભ્યાસ માટે અનિલભાઇ દ્વારા તૈયાર કરેલ ઉપયોગી માહિતી




ડો હિતેશ આર પટેલ

રાજનીતિ શાસ્ત્ર વિભાગ



ગુજરાત યુનિવર્સિટી
Read More »

Media News : વિદેશમાં રહીને પણ સાબિત કર્યો આ બાળકોએ પોતનો દેશ પ્રેમ ......ધન્ય છે... .. .




Media News : વિદેશમાં રહીને પણ સાબિત કર્યો આ બાળકોએ પોતનો દેશ પ્રેમ ......ધન્ય છે... .. .




Read More »

Wednesday, May 26, 2021

ભણતર સાથે ગણતર કોને કહેવાય

 ભણતર સાથે ગણતર કોને કહેવાય


તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો.

આ વર્ષે આમ જુઓ તો ઘણા સમયથી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય.

(1)  બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો. 
(2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો.
(3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો. 
(4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન  નો ઉપયોગ કરતા શીખવાડો. 
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો. 
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો. 
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો. 
(8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો.
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો. 
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો. 
(11) શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો.
(12)  ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો. 
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો. 
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા  સમજાવો. 
(15) શેરડીનો સાંઠો છોલતા, સૂડી દાતરડું, પકડ, પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો. 
(16) વણવપરાયેલ નોટ,ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો. 
(17) કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો 
(18) શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો. 
(19) પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો.
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે એ  જરૂરી છે. 
(21) કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો 
(22) ઇંચ ,ફૂટ , મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધ જાણે.
(23)  ગાતા, દોડતા ,ચિત્રકામ રંગોળી ,અક્ષરોનું પેન્ટીંગ ,સુંદર અક્ષર લેખનની તાલીમ આપો. 
(24) નળનાં આટા ,તેની કીટ પાણીની ઘરેલું વ્યવસ્થા ,ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્યક્ષ સમજાવો. 
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડામાંથી ઉપયોગી ઘરવસ્તુ બનાવતા આવડે.
(26) પાનું પકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી સ્ટીકર  બનાવરાવો.
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો.
(30) ઘરના જરૂરી કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો 
(31) કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની  તાલીમ આપો. 
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો  એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો.
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું , તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો  આવશે  
   આ  નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવાર લક્ષી, સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે........

Read More »

રાજ્ય સરકારનું રાહત પેકેજ:વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને સહાય, નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ મળશે

 

રાજ્ય સરકારનું રાહત પેકેજ:વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે ખેડૂતોને સહાય, નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ મળશે




બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય
બાગાયતી પાકો ખરી ગયા છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની મદદ
ઉનાળુ પાકમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય



રાજ્ય સરકારે તાઉ-તે વાવાઝોડાને કારણે નુકસાન પામેલા પાકને લઈ ખેડૂતો માટે રાહત આપતો નિર્ણય કર્યો છે. જે ઝાડો નાશ પામ્યા છે તેને એક હેક્ટર દીઠ રૂપિયા 1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપશે. જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જ્યારે ઉનાળુ પાકમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે.



કેરીના પાકને મોટું નુકસાન
એટલું જ નહીં બાગાયતી પાક એવા કેરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર નુકસાનીનું વળતર આપે અને ખાસ પેકેજ જાહેર કરે તે માટે વિપક્ષ કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા સરકાર સામે તબક્કાવાર માંગણી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના કૃષિ, બાગાયત, પશુપાલન અને મહેસૂલ વિભાગને સર્વે માટેના સીધા આદેશ કર્યા હતાં.



મગફળી, મગ, તલ, બાજરી જેવા પાકોમાં ભારે નુકસાન
જેના પગલે રાજ્યમાં હાલ કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત છે. તે પૈકી કેટલીક ટીમો વ્યાપક નુકસાન થયું છે, તેવા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન સંઘે પણ તાજેતરમાં ખેડૂતોના ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

Read More »

વધુ એક વાવાઝોડું કતારમાં: તાઉ-તે હજી ગયું નથી અને બંગાળની ખાડીમાં શરૂ થયું વધુ એક લો-પ્રેશર વાવાઝોડું, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

 

વધુ એક વાવાઝોડું કતારમાં: તાઉ-તે હજી ગયું નથી અને બંગાળની ખાડીમાં શરૂ થયું વધુ એક લો-પ્રેશર વાવાઝોડું, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

વધુ એક વાવાઝોડું કતારમાં: તાઉ-તે હજી ગયું નથી અને બંગાળની ખાડીમાં શરૂ થયું વધુ એક લો-પ્રેશર વાવાઝોડું, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

વીન્ડી વેબસાઈટ પ્રમાણે આ લો-પ્રેશર સિસ્ટમ 26મી મેના રોજ ભુવનેશ્વર ત્રાટકશે - Divya Bhaskar
વીન્ડી વેબસાઈટ પ્રમાણે આ લો-પ્રેશર સિસ્ટમ 26મી મેના રોજ ભુવનેશ્વર ત્રાટકશે


અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

IMDની આગાહી
IMDની આગાહી

ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. જોકે હજી આ વાવાઝોડાનું કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીક દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.

તાઉ-તેએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જી
તાઉ-તેએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જી

વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?

  • કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.
  • પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે, જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.
  • સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?
વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.
જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે
ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે

શું તાઉ-તે વાવાઝોડું એક ટ્રેન્ડ સેટર છે?
ચોમાસાનાં પૂર્વગાળા (એપ્રિલ-જૂન)માં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડું ફૂંકાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. 2018 પછી જેટલા પણ વાવાઝાડાં ફૂંકાયા છે તે 'ગંભીર ચક્રવાત' અથવા તો એનાથી પણ વધુ પ્રચંડ અને વિનાશક નોંધવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડું જો કિનારા સુધી પહોંચ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ દરિયાકિનારે આવેલા પ્રદેશો પર પ્રભાવ પાડી શકે છે.

ટાઈમ લાઈન
2018: મેકુનુ વાવાઝાડાંએ ઓમાનને પ્રભાવિત કર્યું હતું
2019: ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફુંકાયું હતું.
2020: મહારાષ્ટ્રને નિસર્ગ વાવાઝોડાંએ પ્રભાવિત કર્યું હતું.

Source : દિવ્યભાસ્કર ન્યૂઝ રિપોર્ટ

Read More »

Babaramdev updates

 Babaramdev updates




ऐलोपैथी को लेकर दिए गए बयान से नाराज आईएमए की उत्तराखंड यूनिट ने बाबा रामदेव को मानहानि का नोटिस भेजा है। 15 दिन के भीतर क्षमा न मांगने व बयान को सोशल मीडिया प्लेटफार्म से न हटाने पर बाबा के खिलाफ एक हजार करोड़ की मानहानि का दावा ठोकने की चेतावनी दी गई है। आईएमए उत्तराखंड के प्रदेश सचिव डॉ अजय खन्ना की ओर से मंगलवार को बाबा रामदेव को छह पेज का नोटिस भेजा गया। इस नोटिस में उन्होंने कहा कि विभिन्न सोशल मीडिया प्लेटफार्म पर बाबा के बयान से आईएमए उत्तराखंड से जुड़े दो हजार सदस्यों की मानहानि हुई है। उन्होंने कहा कि एक सदस्य (डॉक्टर) की पचास लाख की मानहानि के अनुसार कुल एक हजार करोड़ की मानहानि का दावा किया जाएगा।

नोटिस में कहा गया है कि बाबा रामदेव ने सोशल मीडिया पर वायरल वीडियो के जरिए ऐलोपैथी डॉक्टरों की छवि को धूमिल करने का प्रयास किया है। ऐसे में उनके खिलाफ मानहानि के दावे के साथ साथ एफआईआर भी कराई जाएगी। इसके साथ ही नोटिस में बाबा रामदेव को नोटिस मिलने के 76 घंटे के अंदर दिव्य श्वासारि कोरोनिल किट के भ्रामक विज्ञापन को भी सभी प्लेटफार्म से हटाने को कहा गया है। डॉ खन्ना ने कहा है कि बाबा ने भ्रामक विज्ञापन के जरिए कोरोनिल को कोरोना संक्रमण के विरुद्ध प्रभावि दवाई व कोरोना वैक्सीन के दुष्प्रभावों से बचाने वाली दवाई बताया है। उन्होंने कहा कि इस मामले में भी बाबा के खिलाफ आईपीसी की धाराओं के तहत एफआईआर दर्ज कराई जाएगी।

आईएम की उत्तराखंड यूनिट के सचिव डॉ अजय खन्ना ने बताया कि बाबा रामदेव के वायरल ऐलोपैथी के खिलाफ वायरल वीडियो के मामले में नोटिस भेजा गया है। 15 दिन के भीतर यदि क्षमा नहीं मांगी जाती और वीडियो सभी सोशल मीडिया प्लेटफार्म से नहीं हटाए जाते तो एक हजार करोड़ की मानहानि का दावा ठोका जाएगा। इसके अलावा कोरोनिल के भ्रामक विज्ञापन को नहीं हटाया गया तो मकदमा दर्ज कराया जाएगा। जल्द मुख्यमंत्री से मिलकर भी बाबा के खिलाफ मुकदमा दर्ज करने की मांग की जाएगी।
Read More »

Tuesday, May 25, 2021

વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી




વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી



વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી

મહત્વપૂર્ણ લિંક.














વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી

યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો

વિગતવાર માર્ગદર્શીકા પીડીએફ અહિથી ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સંપુર્ણ ડીટેઇલ અહિંથી વાંચો



મ્યુકોરમાઇકોસીસ બીમારી વિશે વધુ ગુજરાતીમાં અહિંથી વાંચો







વ્હાઇટ ફંગસ

વ્હાઈટ ફંગસના લક્ષણો સતત કફ રહેવો , તાવ અને ડાયરિયા થવા - ફેફસામાં ડાર્ક સ્પોટ દેખાય - દર્દીના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો - આખોમાં સતત લાલાશ - પગના ઉપરના ભાગમાં ખંજવાળ આવવી - કાનની અંદર સુકી પાપડી જામી જવી - પુરુષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો - ચામડી પર ચકામા અને ખંજવાળ આવવી શું છે વ્હાઈટ ફંગસ ? - વ્હાઈટ ફંગસને કેંડિડાયસિસ પણ કહેવાય - કોવિડ -૧૯ જેવા લક્ષણ - કોવિડની જેમ વ્હાઈટ ફંગસનો રિપોર્ટ નેગેટિવ આવી શકે - સીટી સ્કેન અથવા એક્સ - રે કરાવી સંક્રમણની પુષ્ટી કરવી જરૂરી ક્યા લક્ષણો પર એલર્ટ થવું જોઈએ ? - દર્દીઓમાં તાવ અને ધ્રુજારી જેવાં લક્ષણો જણાય - એન્ટિબાયોટિક્સ લીધા બાદ પણ લક્ષણોમાં કોઈ ફરક પડતો નથી - હાર્ટ , બ્રેન , આંખ , હાડકાં અને સાંધામાં લક્ષણ જણાય તો તબીબનો સંપર્ક કરવો.




આ લોકોને વ્હાઈટ ફંગસ થવાનું જોખમ વધારે ઓક્સિજન સપોર્ટ લઈ રહેલા કોરોનાના દર્દીઓ કેન્સરઅને ડાયાબિટીસના દર્દીઓ Ic ઇમાં લાંબા સમય સુધી સારવાર ચાલી રહી હોય તાજેતરમાં જ વધારે એન્ટિબાયોટિક્સ લેનારા કિડની ફેલ થઈ હોય અથવા નબળી હીમોડાયાલિસિસ હોય ઈમ્યુનિટીવાળા લોકો તાજેતરમાં જ સર્જરી અથનાઓર્ગન ટ્રાન્સપ્લાનટથયું હોય
Read More »

Monday, May 24, 2021

મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?

 

મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?


માનવીના શરીર માટે આવેગોનૉ ખૂબ જ મહત્વ છે તેમા ઊંઘ અને આરામ નો પણ સમાવેશ થાય છે જો તેને જરૂર મુજબ આપણે આપણા શરીરને ના આપીએ તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઇ શકે છે શરીર માટે ઉંઘ નુ ખૂબ જ મહત્વ છે પણ ઊંઘવા માટે ની સાચી રીત આપણે જાણતા નથી હોતા આજે અમે અહીં તમને કયા પડખે સુવું જોઈએ તેની માહિતી આપવાના છીએ  તો સમગ્ર બાબતો ધ્યાનથી વાંચવી.


દરેક માનવીની રાત્રે ઊંઘતી વખતે પડખા ફેરવવાની આદત હોય છે તો રાત્રે મોટાભાગના બધા વ્યક્તિઓ બંને પડખે સુતા હોય છે તો ડાબે પડખે  વધુ હિતાવહ કે જમણે પડખે વધુ હિતાવહ ? દરેક મિત્રોને જણાવી દઈએ કે ડાબે પડખે સુવાથી વધુ ફાયદો થતો હોય છે 


ડાબે પડખે સુવાથી થતા ફાયદા.


- ડાબે પડખે સુવાથી મોટો ફાયદો આપણી પાચન ક્રિયા પર થતો હોય છે આપણા શરીરનો બધો જ ખોરાક સૌપ્રથમ અન્નનળીથી જઠર માં ભેગો થતો હોય છે અને તેઓ વલોવાતો હોય છે અને આપણું જઠર આપણા શરીરમાં ડાબી બાજુ હોય છે જો ડાબા પડખે સુવામાં આવે તો તેમાં બધો જ ખોરાક વ્યવસ્થિત રીતે પાચન થતો  હોય છે માટે જો ડાબા પડખે સુવામાં આવે તો આપણે ભોજન બાદ ખોરાક પચાવવામાં સૌથી મોટી રાહત મળી રહે છે 


-   ડાબા પડખે સુવાથી આપણા શરીરમાં નાના આંતરડાંમાં રહેલો ખોરાક મોટા આંતરડામાં સરળતાથી જતો હોય છે જેથી કરીને સમગ્ર રાત્રી દરમિયાન આ પ્રક્રિયા ચાલતી હોય છે અને સવારે વહેલા  પેટ સાફ થઈ જાય છે 

- આપણા શરીરમાં હૃદય નું સ્થાન ડાબી બાજુ છે તે તમામ મિત્રોને ખબર જ છે માટે જો ડાબા પડખે સુવામાં આવે તો હૃદયમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થતું જોવા મળે છે અને તે લોહી આપણા મગજ સુધી પૂરેપૂરો સ્વસ્થ હોય છે માટે હૃદયની તકલીફો પણ આવી નાની-નાની બાબતોથી દૂર થતી હોય છે અને ભવિષ્યમાં કોઇ મોટી તકલીફ ન આવે તે માટે મદદ મળતી હોય છે 


- આપણા શરીરમાં જો એસિડિટીની તકલીફ હોય ગેસની તકલીફ હોય કબજિયાતની તકલીફ હોય તો ડાબા પડખે સુવું જોઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ના નિયમ મુજબ આપણા શરીરની ક્રિયા એવી રીતે થતી હોય છે કે આ તમામ રોગોમાં રાહત મળતી હોય છે અને સવારે પેટ સાફ થતું હોય છે માટે જો એસિડિટીની તકલીફ હોય ગેસની કે કબજિયાતની તકલીફ હોય તો તેવા વ્યક્તિ હંમેશા ડાબા પડખે સુવાની ટેવ પાડવી જોઈએ 


- રાત્રે સુતા હોય કે દિવસે સુતા હોય એક જ પડખે સૂઈ રહેવું એ હંમેશા શક્ય નથી માનવીનું શરીર ચંચળ હોય છે માટે આપણે વારાફરતી પડખાં ફેરવતા હોય છે પણ જો દરેક વ્યક્તિ ધ્યાન રાખે તો જમણા પડખા કરતા ડાબા પડખે સુવાની ટેવ વધુ રાખે તો ફાયદો થતો હોય છે વધુમાં વધુ ડાબા પડખે સુવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ આપતી હોય છે એક જ પડખે સૂઈ રહેવું શક્ય નથી પણ વધુ સમય જો ડાબા પડખે સુવામાં આવે તેવું આપણે પોતે જ ટેવ પાડી શકીએ છીએ 




https://www.anjonews.com/2021/05/ratre-suva-ni-rit.html



મોટાભાગના લોકો નથી જાણતા રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ? ડાબે કે જમણે ?

Read More »

મહામારી / શું લૅબમાં બનાવાયો છે કોરોના વાયરસ, સૌથી મોટા ઍક્સપર્ટનું જાણો નિવેદન

 

Read More »

ગુજરાતમાં કોરોનાના 3,187 નવા કેસ સાથે આ 17 જિલ્લામાં એક પણ મોત નહીં

 

Read More »