Search This Website

Friday, April 30, 2021

કોરોના સંકટ વચ્ચે CM રૂપાણીનો મોટો નિર્ણય, આ લોકોને થશે મોટો ફાયદો

 

Read More »

મહામારી / કોરોના સંકટમાં મોદી સરકારે આપી આ મોટી છૂટ, ઘણાં દર્દીઓના જીવ બચી જશે

 

Read More »

CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે

 


CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે




કોરોના સામે રસીકરણને લઈને મહત્વનો નિર્ણય


આવતીકાલથી ગુજરાતના 10 જિલ્લામાં મળશે રસી


18 વર્ષથી વધુ વયજૂથનાને મળશે રસી








કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યાર બાદ




 આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈ કાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈ કાલે કહ્યું હતું કે હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે. પરંતુ આજે ફરી એક વખત CM રૂપાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે.

18+ ઉંમરવાળાનું રજિસ્ટ્રેશન આજથી શરુ, રસીકરણનો આ નિયમ બદલાઈ ગયો,


1. કચ્છ

2. મહેસાણા

3. ગાંધીનગર

4. ભરૂચ

5. રાજકોટ

6. જામનગર

7. અમદાવાદ

8. સુરત

9. વડોદરા

10. ભાવનગર
Read More »

કોરોનાની દેશમાં રોજ 4 લાખ નવા કેસ નોંધાવવા તરફ દોટ, મૃત્યુ પણ 3500ને પાર




કોરોનાની દેશમાં રોજ 4 લાખ નવા કેસ નોંધાવવા તરફ દોટ, મૃત્યુ પણ 3500ને પાર








વિશ્વમાં 24 કલાકમાં 9 લાખ નવા કેસમાં આશરે અડધા ભારતના, ભારે ચિંતાનો વિષય


નવી દિલ્હીઃ ભારતમાં હવે સમગ્ર વિશ્વના કોઇ પણ દેશ કરતા દરરોજ કોરોનાના નવા કેસો (India Nonstop Corona Cases )આવી રહ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસો 4 લાખ થવા તરફ દોટ કરી રહ્યા છે.

એક દિવસના મૃત્યુની સંખ્યા પણ વધીને 3500નને પાર પહોંચી ગઇ છે. સમગ્ર વિશ્વમાં એક દિવસમાં 9 લાખ નવા દર્દી આવ્યા. તેમાંથી આશરે અડધા કેસ ભારતના છે. જે બહુ ચિંતાજનક છે.

આ પણ વાંચોઃ શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?



સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62000થી વધુ થઇ



કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 3,86,452 કેસ (India Nonstop Corona Cases)નોંધાયા. જ્યારે 3,501 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62000થી વધુ થઇ ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 2 લાખને પાર પહોંચી 2,08,330 થઇ ગયો છે.
દર 100માંથી 21 નાગરિક પોઝિટિવ

દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 31.70 લાખથી વધુ થઇ છે. કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. એટલે દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી દર 21.51 રહ્યો છે. ગત સપ્તાહે પોઝિટિવિટી દર 18.32% હતો. એટલે દર 100 લોકોમાંથી 18 લોકો જ પોઝિટિવ થયા.


સતત ચોથા દિવસે 3000થી વધુનાં મોત

ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 3 લાખ 86 હજાર 854 નવા દર્દી આવ્યા. 24 કલાકમાં નોંધાયેલા નવા દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 28 એપ્રિલના રોજ 3.79 લાખ દર્દીઓની ઓળખ થઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,501 લોકોનાં મોત થયાં છે. આ સતત ચોથો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં બુધવારે 3,646 મૃત્યુ નોંધાયાં હતાં. રાહતની વાત છે કે આ 24 કલાકમાં 2 લાખ 91 હજાર 484 લોકો સ્વસ્થ થયા.


મહારાષ્ટ્રમાં ગુરુવારે 66,159 નવા કેસ આવ્યા. 68,537 લોકો સાજા થયા અને 771 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 45 લાખ 39 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 37.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 67 હજાર 985 લોકોનાં મોત થયા. 6 લાખ 70 હજાર 481 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં એક દિવસનો મૃત્યુઆંત 400ની નજીક

દિલ્હીમાં 24,235 કેસ મળ્યા. 25,615 દર્દી રિકવર થયા અને 395 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 11 લાખ 22 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 10 લાખ 08 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 15,772 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,977ની સારવાર ચાલી રહી છે.

ગુજરાતમાં 14,327નવા કેસ નોંધાયા


ગુજરાતમાં પણ 14,327નવા કેસ નોંધાયા. 9,544 લોકો સાજા થયા અને 180 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 53 હજાર 172 લોકોને સંક્રમણ લાગ્યું છે. એ પૈકી 4 લાખ 8 હજાર 368 લોકો સાજા થયા છે, 7,010 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,37,794 દર્દી સારવાર લઈ રહ્યા છે.

દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતા ત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેન્ટિલેટરની અછત હતી. હવે આ આંકડો 31 લાખથી વધુ પર પહોંચી ગયો છે. તેમાં દરરોજ એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે. જો સક્રિય કેસની સંખ્યામાં આ રીતે જ વધારો થતો રહ્યો, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

આગામી દિવસોમાં આખા દેશમાં મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હાલમાં જે સંસાધનો એકઠાં કરવામાં આવી રહ્યાં છે એ ફક્ત 10% દર્દીઓ માટે જ કામ આવી શકશે, બાકીના 90% દર્દીઓએ અવ્યવસ્થાનો ભાર સહન કરવો પડશે.

દેશમાં કોરોનાનો ગ્રાફ

છેલ્લા 24 કલાકમાં નવા કેસ: 3.86 લાખ
એક દિવસમાં મૃત્યુ: 3,501
છેલ્લા 24 કલાકમાં રિકવરી: 2.91 લાખ
અત્યારસુધીમાં કુલ કેસ: 1.87 કરોડ
અત્યારસુધી સાજા થયા: 1.53 કરોડ
દેશમાં કુલ મૃત્યુઆંક: 2.08 લાખ
હજુ સારવાર હેઠળ દર્દી : 31.64 લાખ
Read More »

શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?




શું તૈયારી વગર 18+ માટે રસીકરણની જાહેરાત કરી હતી?














ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, ગુજરાત કે પછી ઉત્તર પ્રદેશ-પશ્ચિમ બંગાળ બધી જ બાજું હાહાકાર મચેલો છે. હોસ્પિટલોમાં બેડ્સની અછત છે, લોકોને ઓક્સિજન મળી રહ્યું નથી અને કોરોનાના કેસો વધતા જઈ રહ્યાં છે. આ વચ્ચે સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરી, જેના માટે રજિસ્ટ્રેશન શરૂ પણ થઈ ગયું છે.




પરંતુ દેશમાં હાલના સમયમાં બધી જ સુવિધાઓ સાથે-સાથે વેક્સિનની અછત છે, એવામાં અનેક રાજ્યોએ 1 મેથી રસીકરણ શરૂ કરવાથી ઈન્કાર કરી દીધું છે. એવા સમયે મોટો પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, જો દેશમાં વેક્સિન નહતી અને રાજ્યો પાસે કોઈ સ્ટોક નહતો, તો પછી શું તૈયારી વગર 1 મે મહિનાથી બધા માટે રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી દીધી હતી.

એક-એક કરીને રાજ્યોએ ઈન્કાર કર્યું

દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ પોતાના ત્યાં 1 મેથી વેક્સિનેશનનો અભિયાન શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. માત્ર વિપક્ષી પાર્ટીઓના રાજ્યો જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ પણ એવું જ કર્યું છે.

વધુમાં મળી રહેલી જાણકારી અનુસાર, ગુજરાતમાં પણ 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનું કાર્યક્રમ શરૂ થઈ શકશે નહીં. હેલ્થ વિભાગના સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, ગામડાઓમાં રહેલા પીએચસી સેન્ટરોને તેની વોટ્સએપ થકી જાણ કરવામાં આવી છે.


આમ સરકારે કોઈ જ પૂર્વ તૈયારીઓ વગર માત્રને માત્ર હોંચી-હોંચી કરીને ઢંઢેરો જ પીટ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Read More »

CM રુપાણીની ગુજરાતના યુવાનોને રસીકરણ માટે હોશે હોશે આગળ આવવા અપીલ




CM રુપાણીની ગુજરાતના યુવાનોને રસીકરણ માટે હોશે હોશે આગળ આવવા અપીલ








રજીસ્ટ્રેશન કરાવનારાને રસીકરણ કેન્દ્ર પર વિના મુલ્યે વેક્સિન અપાશેઃ મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા



ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18 વર્ષથી વધુ વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહભેર આગળ આપીલ (CM Rupani appeals to youth)કરી છે. સીએમ રુપાણીએ આજે ફેસબુકના માધ્યમથી જાહેર જનતાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે.
રાજ્યમાં 1 કરોડ 20 લાખ લોકોને રસી અપાઇ



વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રંટલાઈન વર્કર તેમજ 45થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોને રસી અપાઇ ચુકી છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

દેશભરમાં હવે 18થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. તેના માટે કોવિન રજીસ્ટ્રેશન જરુરી છે.

કોવિન અંગે સીએમ રુપાણીએ કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે. 
રાજ્ય સરકારે દોઢ+ એક કરોડ રસીનો આર્ડર આપ્યો

રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યો છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેક્સિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે.



મુખ્યમંત્રીએ
રાજ્યના 18થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ (CM Rupani appeals to youth)કરી કે તેઓ ઝડપથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.
Read More »

Thursday, April 29, 2021

ગુજરાતમાં આજે 14,327 નવા કેસ, 9,544 થયાં સાજા, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં થયેલા મોતના આંકડા ચિંતાજનક

 

Read More »

મિટીંગ / પીએમ મોદીએ બોલાવી મંત્રી પરિષદની બેઠક, કોરોનાના મુદ્દે લેવાઈ શકે છે મોટા નિર્ણયો

 


મિટીંગ / પીએમ મોદીએ બોલાવી મંત્રી પરિષદની બેઠક, કોરોનાના મુદ્દે લેવાઈ શકે છે મોટા નિર્ણયો



પીએમ મોદીએ બોલાવી મંત્રી પરિષદની બેઠક


મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો


કોરોનાની વર્તમાન સ્થિતિને જોતાં મોટા નિર્ણયો સંભવ



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળાના ગંભીર સંકટ વચ્ચે શુક્રવારે મંત્રીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે વડા પ્રધાન આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડા પ્રધાન કોરોના સાથેની લડાઈ માટે યુદ્ધના ધોરણે કોઈ નવી વ્યૂહરચનાને અમલમાં મૂકવાની ઘોષણા કરી શકે છે.



પીએમ મોદીએ સેના પ્રમુખ સાથે બેઠક પણ યોજી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19 ના સંચાલન અંગે આર્મી ચીફ જનરલ એમ.એમ. જેમાં તેમણે સેના દ્વારા લેવામાં આવતા પગલા અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ નરવણેએ વડા પ્રધાનને કહ્યું હતું કે સેનાએ તેના આરોગ્ય કર્મચારીઓને રાજ્ય સરકારોની સેવામાં તૈનાત કર્યા છે અને તે જ સમયે તે દેશના જુદા જુદા ભાગોમાં હંગામી હોસ્પિટલો શરૂ કરી રહી છે. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “કોવિડ -19 સામેના યુદ્ધમાં ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી”.


પીએમઓએ નિવેદન પણ બહાર પાડ્યું

દરમિયાન, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનના અનુસાર, સેના પ્રમુખે વડા પ્રધાનને કોવિડ મેનેજમેન્ટ માટે સૈન્યની તૈયારી અને પહેલ વિશે માહિતિ આપી અને તેમને કહ્યું કે આર્મીની અસ્થાયી હોસ્પિટલોનું દેશના જુદા જુદા ભાગોમાં નિર્માણ પણ થઈ રહ્યું છે. નરવણેએ વડા પ્રધાનને કહ્યું હતું કે, શક્ય હોય ત્યાં સૈન્યની હોસ્પિટલોને સામાન્ય લોકોની સેવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, અને આ માટે, સામાન્ય નાગરિકો ઇચ્છે તો નજીકની સૈન્ય હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. સેના પ્રમુખે વડા પ્રધાનને એ પણ માહિતી આપી હતી કે જ્યાં આયાત કરેલા ઓક્સિજન ટેન્કર અને વાહનોના સંચાલનમાં નિષ્ણાત કુશળતાની જરૂર હોય છે, ત્યાં સૈન્યના કર્મચારીઓ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ચેપગ્રસ્ત લોકોની સંખ્યા રેકોર્ડ સંખ્યામાં વધી રહી છે

દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 3,79,257 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ, એક જ દિવસમાં 3,645 લોકોના મોત પછી, આ જીવલેણ રોગના મૃતકોની સંખ્યા વધીને 2,04,832 થઈ ગઈ છે.
Read More »

મોટા સમાચાર: અહીં અઠવાડિયામાં ત્રણ દિવસ રહેશે લૉકડાઉન, રાજ્યની સરકારે લીધો નિર્ણય




મોટા સમાચાર: અહીં અઠવાડિયામાં ત્રણ દિવસ રહેશે લૉકડાઉન, રાજ્યની સરકારે લીધો નિર્ણય


ઉત્તર પ્રદેશમાં ઘેરાયું કોરોના સંકટ


અઠવાડિયામાં 3 દિવસના લૉકડાઉનનો સરકારે લીધો નિર્ણય


ગત 24 કલાકમાં નોંધાયા છે 29824 નવા નોંધાયા



ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા પ્રમાણે, આજે 29824 નોંધાયા છે. તો કોરોનાથી થનાર મૃત્યુદર પણ ઘટ્યો છે અને 24 કલાક દરમિયાન 266 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.



અઠવાડિયામાં 3 દિવસ સુધી રહેશે લૉકડાઉન

જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન હવેથી શુક્રવારે રાતે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. પહેલા લૉકડાઉન સોમવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થઇ જતું હતું પરંતુ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા સરકારે અઠવાડિયામાં 3 દિવસ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રયાગરાજમાં સૌથી વધુ લોકોના કોરોનાથી થયાં મોત

પ્રયાગરાજમાં સૌથી વધુ 21 લોકોના મોત થયાં છે, જ્યારે લખનઉ અને કાનપુર નગરમાં 13-13 લોકોએ જીવ ગુમાવ્યો છે, વારાણસીમાં 14 તથા ગાઝિયાબાદ અને નોએડામાં 12-12 લોકોના મોત થયાં છે.



એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા

વર્લ્ડોમીટરના આંકડા મુજબ દેશમાં બુધવારે એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને આ દરમિયાન 3647 લોકોના મોત થયા છે. મહામારીની શરુઆતથી આ પહેલી વાર છે કે જ્યારે દેશમાં એક દિવસમાં લગભગ 3 લાખ 80 હજારની આસપાસ નવા કેસ આવ્યા છે અને આટલી મોટી સંખ્યામાં મોત થયા છે. આ પ્રકારે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 18, 368, 096 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 204,812 લોકોના મોત થયા છે.

સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો

આ મહામારીથી અત્યાર સુધીમાં 15, 078, 276 લોકો સાજા થયા છે. મંગળવારે કોરોનાનાએ આવો જ ચિંતા વધારનારો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે એક દિવસમાં 3 લાક 62 હજાર નવા મામલા સામે આવ્યા અને 3285 લોકોના મોત થયા હતા. આંકડા મુજબ લગભગ 30 લાખ 80 હજારથી વધારે લોકો હવે સંક્રમિણની ઝપેટમાં છે. જે સંક્રમણના કુલ મામલાના લગભગ 17 ટકા છે. જ્યારે કોવિડથી સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને 81 ટકા થયો છે.



કોરોનાથી રોજ થનારા મોતના 79 ટકા મામલા 10 રાજ્યોમાંથી

મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તે 10 રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાથી રોજ થનારા મોતના 79 ટકા મામલા સામે આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે દેશમાં ગત 24 કલાકમાં 3647 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે મોત છે. આ સાથે મરનારાની સંખ્યા 204,812 પર પહોંચી છે. છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ તે 10 રાજ્યોમાં સામેલ છે.
Read More »

કોવિડ 19 / બાળકો માટે પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે કોરોના રસી, જાણો કઈ કંપનીએ કરી જાહેરાત




કોવિડ 19 / બાળકો માટે પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે કોરોના રસી, જાણો કઈ કંપનીએ કરી જાહેરાત




નવા કોરોના સ્ટ્રેઇન દરેક ઉંમરના લોકોમાં ચેપ ફેલાવી રહ્યા છે


બાળકો અને યુવાનો પણ હવે આ સંક્રમક બીમારીનો ભોગ બની રહ્યા છે


ફાઇઝર કંપનીની રસી જૂન સુધીમાં બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે



મહત્વનું છે કે હવે જો કે આ સ્થિતિ બદલાઈ શકે છે, જર્મન ફાર્માસ્યુટિકલ કંપની બાયોનોટેકે દાવો કર્યો છે કે તે યુરોપમાં 12 થી 15 વર્ષની વયના બાળકો માટે જૂનમાં કોરોના રસી શરૂ કરશે. નોંધનીય છે કે આ જર્મન કંપનીએ જ ફાઇઝરની સાથે જોડાઈને તેની રસી બનાવી છે.



જર્મન કંપની અને ફાઇઝરે દાવો કર્યો હતો કે તેમની રસી સુરક્ષિત છે

ફાઇઝર અને તેની સહયોગી જર્મન કંપની બાયોનોટેકે આ વર્ષે માર્ચના અંતમાં દાવો કર્યો હતો કે તેની કોવિડ -19 રસી 12 વર્ષથી વધુ વયના બાળકો માટે સંપૂર્ણપણે સલામત છે અને પુખ્ત વયના કોરાના વાયરસ રોગચાળાના પ્રભાવોને રોકવા માટે અસરકારક છે. કંપનીએ આ દાવો 12 થી 15 વર્ષની વયના 2260 અમેરિકન વૉલંટિયર્સને કોરોના રસી આપ્યા બાદ જાહેર કરેલા પ્રાથમિક ડેટાના આધારે કર્યો હતો.

બાળકોને શાળાઓમાં પાછા ફરવાની દિશામાં ફાઇઝરનો આ દાવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ફાઈઝરના સીઈઓ આર્લબ બાઉર્લાએ જણાવ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં USFDA અને યુરોપિયન ડ્રગ રેગ્યુલેટર્સને સાથે જ 12 વર્ષથી વધુના બાળકો માટે રસીના ઉપયોગ માટે ઇમરજન્સી મંજૂરી માંગવા માટે અરજી કરશે.



ઘણી કંપનીઓ રસી બનાવી રહી છે

નોંધનીય છે કે ફાઇઝર અને બાયોનોટેક જ નહીં, પણ અડધો ડઝનથી વધુ કંપનીઓ બજારમાં બાળકો માટે કોરોના વાયરસની રસી લાવવાની હરીફાઈ કરી રહી છે. આ કંપનીઓ દાવો કરે છે કે ટૂંક સમયમાં છ મહિનાના બાળક માટે પણ કોરોના રસી બજારમાં ઉપલબ્ધ થઈ જશે. નિષ્ણાંતો માને છે કે જો આ રોગચાળાને ડામવો હોય તો બાળકોને પણ રસી આપવી જ પડશે.

અમેરિકન કંપની મોડર્ના પણ 12 થી 17 વર્ષની વયના બાળકો પર કોરોના રસીની અસરનો અભ્યાસ કરી રહી છે. સૂત્રો કહે છે કે મોડર્નાના સ્ટડીમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ઘણાંજ પ્રોત્સાહન આપનારા છે. પરિણામે, USFDA એ પહેલેથી જ ફાઇઝર અને મોડર્નાને 6 વર્ષ સુધીના નવજાત શિશુ પર કોવિડ -19 ની અસરો અંગે સંશોધન કરવાની મંજૂરી આપી છે.



આ કંપનીઓ પણ છે મેદાનમાં

આ બંને કંપનીઓ સિવાય, એસ્ટ્રાઝેનેકાએ ગયા મહિને માત્ર યુકેમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પર તેની રસીની અસર અંગે સંશોધન શરૂ કર્યું છે.

જહોનસન અને જોહ્ન્સનની રસીનો બાળકો પર અભ્યાસ શરૂ થવાનો છે, જ્યારે કે ચીનની સિનોવાક કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેણે 3 વર્ષ સુધીના બાળકો માટે તેમની રસી સુરક્ષિત હોવાના અભ્યાસનો પ્રાથમિક ડેટા ચીની રેગ્યુલેટર્સને સોંપી દીધો છે.
Read More »

आवश्यक मेसेज

 

*आवश्यक मेसेज*🩸


*सभी यह information पढ़े और शेयर करें*।


*शरीर में ब्लड प्रेशर.*


*120 / 80 -- Normal * 

*130 / 85 -- Normal (Control)*

*140 / 90 -- High थोड़ा बढ़ा हुआ* 

*150 / 95 -- Very High बहुत ज्यादा*


*Oxygen Leval)*

*ऑक्सिजन लेव्हल*


ऑक्सिजन ऑक्सिमीटर से चेक करने पर..

*94 - Normal *

*95, 96, 97 se 100 oxygen level बहुत अच्छा.*

*90 ते 93 ऑक्सिजन लेव्हल जरा कम*

*80 ते 89 ऑक्सिजन लेव्हल बहुत कम* डॉक्टर की सलाह पर एडमिट होना चाहिए.


*PULSE* 


*72 Per Minute (Standard) बहुत अच्छा.*

*60 --- 80 P.M. (Normal) मध्यम*

*90 ते 120 Pulse बढ़ा हुआ* 


*TEMPERATURE*


डिजिटल थरमामीटर से चेक करने पर .


*92 ते 98.6 F (Fever) तक बुखार नही (Normal)*

*99.0 F थोडा बुखार*

*100 .F से 102 F ज्यादा बुखार*

HRCT या chest CT SCAN करने पर.

1. HRCT score: 0 - 8 (Mild Infection). 

2.HRCT score: 9 - 18 (Moderate Infection). 

3. HRCT score: 19 - 25 गंभीर (Severe Infection) . 

👇

उपचार :

1. Mild infections में नार्मल मेडिसिन से ठीक हो सकते है.

2. सेवियर इंफेक्शन के लिए ऑक्सिजन और वेंटिलेटर की आवश्यकता होती है

👇

HRCT Score मतलब क्या ? 

कोरोना इन्फेक्शन के कारण ऑक्सिजन अब्सॉर्ब करने वाली थैलियो पर सूजन आकर उनमें कफ। पानी भरना।

CT SCAN करते समय लंग के 25 भाग करके उसमें से कितने भाग इन्फेक्टेड है यह देखकर उसका स्कोर निकला जाता है। 

अर्थात जितना ज्यादा स्कोर उतना ऑक्सीजन लेने में दिक्कत और उतना ही रिस्क ज्यादा।


👇

Take care ,and Be safe.


*कोरोना के लिए घर पर आवश्यक चिकित्सा किट:--*


1. पारासिटामोल या डोलो 650 mg SOS leve


2. बीटाडीन गार्गल माउथवॉश के लिए गुनगुने पानी के साथ


3. विटामिन सी जैसे 

Tab Limcee 500mg चूसने की दिन में 3 या 4 बार ।।ये बहुत ही शक्तिशाली एंटीऑक्सीडेंट है बहुत ही कारगर है इममुनिटी बढ़ाता है ।।वायरस को असक्रिय कर देती हैं।


और 

Tab विटामिन D3 60k

सप्ताह में एक 4 सप्ताह तक


4.Tab बी कॉम्प्लेक्स साथ मे मल्टीविटामिन एव ट्रेस एलिमेंट्स 

जैसे Neurokind plus

रोज एक 10 से 15 दिन तक

इममुनिटी के लिये


5. भाप लेवे -गले मे खराश ठीक एव वायरल लोड कम कर वायरस को असक्रिय कर देता है


6. पल्स ऑक्सीमेटर रखे ऑक्सिजन लेवल देखने के लिए

नॉर्मल 90 से ऊपर होना चाहिए


7. ऑक्सीजन सिलेंडर (केवल आपातकाल के लिए)


8. सास लेने में तकलीफ होतो उल्टा पीठ के बल सोये जिससे फेफड़ो में ऑक्सिजन सर्कुलेशन बढ़ जाता हैं

9 गुनगुने पानी मे नमक के गरारे कर एव गुनगुने पानी मे निम्बू निचोड़ कर दिन में 3 या 4 बार पिये 


गहरी साँस लेने के व्यायाम करे



*👉कोरोना के तीन चरण:-*


1. *केवल नाक में कोरोना* - 

रिकवरी का समय आधा दिन होता है, 

इसमें आमतौर पर बुखार नहीं होता है और 

इसे *असिम्टोमाटिक कहते है |* 

इसमें क्या करे :- 

स्टीम इन्हेलिंग करे व विटामिन सी लें | 


2. *गले में खराश* - 

रिकवरी का समय 1 दिन होता है 

इसमें क्या करे : -

गर्म पानी का गरारा करें, पीने में गर्म पानी लें, निम्बू पानी लेवे

अगर बुखार हो तो पारासिटामोल लें | 

अगर गंभीर हो तो विटामिन सी, बी.

कम्पलेक्स ,डी और एंटीबायोटिक लें | 


3. *फेफड़े में खांसी* - 

4 से 5 दिन में खांसी और सांस फूलना। 

इसमें क्या करें : 

गर्म पानी का गरारा करें, पीने में गर्म पानी लें, निम्बू पानी लेवे

विटामिन सी, बी कॉम्प्लेक्स, पारासिटामोल ले 

और गुनगुने पानी के साथ नींबू का सेवन करे| 

पल्स ऑक्सिमीटर से अपने ऑक्सीजन लेवल की 

जाँच करते रहे | अगर आपके पास ऑक्सीमेटर 

नहीं हो तो आप किसी भी दवा दुकान से खरीद ले

अथवा 

गहरी साँस लेने का व्यायाम करे

अगर समस्या गंभीर हो तो ऑक्सीजन 

सिलिंडर मंगाए और डॉक्टर से ऑनलाइन 

परामर्श ले | 

बहुत ज्यादा तकलीफ होतो एंटीवायरल मेडिसिन चिकित्सक परामर्श से लेवे।


*अस्पताल जाने के लिए स्टेज:*

ऑक्सिमीटर से अपने ऑक्सीजन लेवल की 

जाँच करते रहे। यदि यह 92(सामान्य 95-100) के 

पास जाता है और आपको कोरोना के लक्षण

(जैसे की बुखार, सांस फूलना इत्यादि) हैं तो 

आपको ऑक्सीजन सिलेंडर की आवश्यकता 

होती है। इसके लिए तुरंत नजदीकी स्वास्थ 

सेवा केंद्र पे संपर्क करे व परामर्श ले | 


*स्वस्थ रहें, सुरक्षित रहें!*

कृपया अपने परिवार और समाज का 

ख्याल रखें | घर पे रहे और सुरक्षित रहे | 

*ध्यान दें:*

कोरोनावायरस का pH 5.5 से 8.5 तक 

होता है

इसलिए, वायरस को खत्म करने के लिए 

हमें बस इतना करना है कि वायरस की 

अम्लता के स्तर से अधिक क्षारीय खाद्य 

पदार्थों का सेवन करें।

*जैसे कि:*


- *केले*

- *हरा नींबू - 9.9 पीएच*

- *पीला नींबू - 8.2 पीएच*

- *एवोकैडो - 15.6 पीएच*

- *लहसुन - 13.2 पीएच*

- *आम - 8.7 पीएच*

- *कीनू - 8.5 पीएच*

- *अनानास - 12.7 पीएच*

- *जलकुंड - 22.7 पीएच*

- *संतरे - 9.2 पीएच*


*कैसे पता चलेगा कि आप*

*कोरोना वायरस से संक्रमित हैं .?*


1. *गला सुखना*

2. *सूखी खांसी*

3. *शरीर का उच्च तापमान* 

4. *सांस की तकलीफ*

5. सिर दर्द

६. बदन दर्द


गर्म पानी के साथ नींबू पीने से वायरस 

फेफड़ों तक पहुँचने से पहले ही खत्म 

हो जाते हैं | 


*इस जानकारी को खुद तक न रखें।* 

इसे अपने सभी परिवार और दोस्तों और 

सभी के साथ शेयर करे । 

आपको नहीं पता की इस जानकारी को 

शेयर करके आप कितनी जान बचा रहे है | 

*इसे शेयर करे और लोगों की मदद करे ताकि अधिक से अधिक लोगों को जानकारी हो सके एवं कोरोना से बचाव हो*👍🏻😷👍🏻

Read More »

Wednesday, April 28, 2021

નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનારા Apollo 11 મિશનના પાયલટ માઈકલ કોલિંસનું 90 વર્ષે થયું નિધન

 

Read More »

અડધી રાતે આસામમાં ફરી 1 નહીં 6 ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા

 

Read More »

1 મેથી શરૂ થનારા 18+ વેક્સીનેશન પર લાગ્યું ગ્રહણઃ 7 રાજ્યોએ જાહેર કરી મજબૂરી, ટાળી રહ્યા છે વેક્સીનેશનની શરૂઆત






1 મેથી શરૂ થનારા 18+ વેક્સીનેશન પર લાગ્યું ગ્રહણઃ 7 રાજ્યોએ જાહેર કરી મજબૂરી, ટાળી રહ્યા છે વેક્સીનેશનની શરૂઆત

posted on APRIL 29, 2021at 7:44 AM







દેશમાં વધી રહ્યું છે કોરોના વાયરસનું સંક્રમણ


1 મેથી શરૂ થનારા 18+ વેક્સીનેશન પર લાગ્યું ગ્રહણ


વેક્સીનની અછતના કારણે અનેક રાજ્યોનો નિર્ણય





દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે અનેક દિવસોથી 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે અનેક રાજ્યોમાં કોરોનાની વેક્સીનની અછતના કારણે 18 વર્ષથી ઉપરનુા લોકોને વેક્સીન આપવાનું ટાળવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે રાજ્યોમાં કોરોનાનો કહેર વધારે છે તેવા મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢમાં તેને ટાળવાનું નક્કી કરાયું છે.





રાજ્યોએ ગણાવી મજબૂરી

મહારાષ્ટ્રમાં વધી પાબંધી

સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની વેક્સીનની અછતના કારણે 1 મેથી યુવાઓને વેક્સીન આપી શકાશે નહીં. સ્વાસ્થ્ય મંત્રીએ લોકડાઉન દેવી પાબંધી અને રસીની અછતને કારણ ગણાવીને પણ વેક્સીનેશનને ટાળ્યું છે.



રાજસ્થાન

અહીં સરકાર કહે છે કે કેન્દ્રની તરફથી પૂરતો વેક્સીનનો સ્ટોક મળી રહ્યો નથી. તેથી 1મેથી પણ યુવાઓને માટે વેક્સીનેશન શરૂ કરી શકાશે નહીં. જે પ્રક્રિયા ચાલી રહી છે તે જ ચાલુ રહેશે. રાજસ્થાન સરકાર કહે છે કે અમે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 3.765 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે પણ તે ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી અને કેન્દ્રથી મળનારો સ્ટોક પણ આવી રહ્યો નથી.






છત્તીસગઢ

સ્વાસ્થ્ય મંત્રી ટીએમ સિંહ દેવે કહ્યુ કે આસામ તરફથી રસીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું કે એક મહિના બાદ સપ્લાય મળી શકશે. ભારત બાયોટેક પણ જુલાઈ સુધી વેક્સીન આપશે. તો સીરમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સિદ્ધુએ કહ્યુ કે જો રસી ઉપલબ્ધ ન થઈ તો પછી રસીકરણ પણ નહીં થઈ શકે. સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે તમામનું રસીકરણ શરુ કરવામાં આવે પરંતુ રસી ઉપલબ્ધ નથી.



આસામ

અહીં સરકારે વેક્સીનેશનને ટાળવાના સંકેત આપ્યા છે. તેમની પાસે હાલમાં અઢી લાખ વેક્સીનનો સ્ટોક બચ્યો છે.

તેલંગાણા

વેક્સીનેશનનો હાલમાં દોઢ લાખ ડોઝનો સ્ટોક હોવાના કારણે અહીંની સરકાર પણ યુવાઓને વેક્સીન આપવાનું 1 મેથી ટાળી રહી છે.



કર્ણાટક

સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને માટે વેક્સીનના કામને એક અઠવાડિયા માટે આગળ વધારવાના સંકેત આપ્યા છે.



તમિલનાડુ

અહીંની સરકાર કહે છે કે અમે પીએમને પત્ર લખીને વેક્સીનેશનના પૂરતા ડોઝ આપવાની ભલામણ કરી છે. પૂરતો સ્ટોક મળ્યા બાદ જ 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન શરૂ કરાશે.

કોવિડ પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપનું સર્વર ડાઉન થયું

18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરું થયું ત્યારે મોટાભાગના યુઝર્સ પાસે સંદેશ આવી રહ્યો હતો કે કોવિન સર્વર પરેશાનીનો સામનો કરી રહ્યું છે કૃપા કરીને થોડા સમય બાદ પ્રયાસ કરો. જો કે થોડા સમય બાદ સુવિધા ફરીથી શરૂ થઈ હતી.
Read More »

શાળાને લગતા દફતર ના પ્રકારો વિશે ની માહિતી

 

શાળાને લગતા દફતર ના પ્રકારો વિશે ની માહિતી




પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

*સરકારી અને શૈક્ષણિક માહિતી તેમજ બાળકો અને શિક્ષકો માટે નું મટીરીયલ હવે એપ્લિકેશન દ્વારા મેળવવા ડાઉનલોડ કરો* 

👉🏻https://play.google.com/store/apps/details?id=com.app.ehubcentre


જોઈન ટેલિગ્રામ

https://t.me/gkeduinfo


જોઈન whatsapp

http://bit.ly/સરકારી-માહિતી-વોટ્સએપ-ગ્રૂપમાં-જોડાવા-અહીં-ક્લિક-કરો

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Read More »

આજ નો ટોપિક:- મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ:-1947


*1.*  દફતર માટે વપરાતા  RECORD  શબ્દ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? 

   (અ) મૂળ ગ્રીક શબ્દ Dossiers પરથી ઉતરી આવેલ છે. 

   (બ) ગુજરાતીમાં તેને દસ્તાવેજ  કહે છે. 

   (ક) મૂળ લેટિન શબ્દ Recordari  પરથી ઉતરી આવેલ છે. 

   (ડ) Oxford Dictionary માં તેનો ઉલ્લેખ codies  તરીકે થયેલ છે. 


*2.*  સતાવાર દફતરોના કેટલા પ્રકાર છે? 

(અ) 2             

(બ)  3         

(ક)  4         

(ડ)  આપેલ એક પણ નહી. 


*3.* હ્યુ-એન-ત્સાંગે તેની પ્રવાસ નોંધોમાં બૌદ્ધ સમયમાં દફતર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? 

   (અ) વૃતાંત 

   (બ) શાહી ફરમાનોનો સંગ્રહ 

   (ક) અક્ષપટલ 

   (ડ) નિલપિત 


*4.* મુદ્રણ વિદ્યાની શોધ અને કાગળોનો લેખન માટે ઉપયોગ થયો તે પૂર્વે ભારતમાં વિદ્યાર્થીઓ કંઇ પદ્ધતિથી માહિતી જાળવી રાખીને વારસાનું વિતરણ કરવાની પ્રથા હતી? 

  (અ) કંઠોપકંઠ પદ્ધતિ 

  (બ) સામયાવધિ પદ્ધતિ 

  (ક) શૈલ અંકન પદ્ધતિ 

  (ડ) પ્રતિક વિચાર પદ્ધતિ 


*5.* Archives (આર્કાઇવ્ઝ) શબ્દના શબ્દાર્થ તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? 

   (અ)  દફ્તર 

   (બ) જ્યા દફતર સાચવવાનું છે તે ‘મકાન’

   (ક) જે દફતરોની જાળવણી અને સાચવણી કરે છે તે ‘વહીવટી માળખું’ 

   (ડ) આપેલ તમામ 


*6.* 1981ની આર્કિવલ પોલીસી કયારે પ્રસ્તુત થઇ? 

  (અ) 21 માર્ચ           

  (બ) 21 એપ્રિલ          

  (ક) 21 જાન્યુઆરી         

  (ડ) 21 ઓગસ્ટ 

*7.* દફતરો સાચવવાની સમયમર્યાદાના આધારે દફતરોને કેટલા વિભાગ/વર્ગમાં વહેંચવમાં આવ્યા છે?

    (અ)  4 વર્ગમાં         

    (બ) 2 વર્ગમાં       

    (ક) 5 વર્ગમાં      

     (ડ) 3 વર્ગમાં 


*8.* નીચેનામાંથી કયા  દફતરનો સમૂહ  કાયમી દફતર નથી? 

   (અ) આવક-જાવક રજીસ્ટર, ડેડસ્ટોક રજીસ્ટર

   (બ) ઊંમરવારી, હુકમોની ફાઇલ

   (ક) સિક્કા રજીસ્ટર, પરિપત્ર સંગ્રહ ફાઇલ

   (ડ) પગાર પત્રક, શેરોપોથી(મુલાકાતપોથી) 


*9.* વિદ્યાર્થીને પ્રવેશ આપતિ વખતે વયપત્રકમાં કેટલા પ્રથમ કોલમમાં વિગત નોંધવી ફરજિયાત  હોય છે? 

   (અ) પ્રથમ 7 કોલમ 

   (બ) પ્રથમ 9 કોલમ 

   (ક) પ્રથમ 10 કોલમ 

   (ડ) પ્રથમ 6 કોલમ 


*10.* RTE-2009 ની કઇ કલમ અંતર્ગત પ્રવેશપાત્ર કોઇપણ બાળકને પ્રવેશની ના ન પાડી શકાય? 


   (અ) 13          

   (બ) 14         

   (ક)  15         

   (ડ) 16


*11.* વર્ષ દરમિયાન વયપત્રકમાં કેટલી વખત તારીજ તૈયાર કરવી જોઇએ? 


    (અ) 2            

    (બ) 3            

    (ક) 4            

    (ડ) 5


*12.* અન્ય રાજ્યમાંથી આવેલ વિદ્યાર્થીના દસ્તાવેજ પર કયા સક્ષમ અધિકારીના ‘પ્રતિ હસ્તાક્ષર’ થયેલ હોવા જોઇએ? 

    (અ) જિલ્લા વિકાસ અધિકારી 

    (બ) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

    (ક) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 

    (ડ) મદદનિશ કલેક્ટર 




*13.* ડેડસ્ટોક રજીસ્ટર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? 

    (અ) દર વર્ષે જૂન માસમાં મુખ્યશિક્ષકે દફતરને ખરાઇ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવું જોઇએ. 

    (બ) તાલુક પ્રાથમિક શિક્ષણાધિકારી 10 હાજાર સુધીની સામગ્રીને રદબાતલ કરવાનો હુકમ કરી શકે છે. 

    (ક) દાનમાં મળેલ વસ્તુઓને ચોકસાઇ પૂર્વક ડેડસ્ટોક રજીસ્ટરમાં નોંધવી, જેથી દાતાશ્રીનો વિશ્વાસ સંપાદિત થાય. 

    (ડ) ડેડસ્ટોકમાંથી કોઇ પણ સામાન બાદ કરવા કેળવણી નિરિક્ષકનો સ્પષ્ટ અભિપ્રાય મેળવવો જરૂરી છે. 


*14.* આવક-જાવક રજીસ્ટર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો યોગ્ય નથી? 

   (i) ઉપરોક્ત રજીસ્ટરો પ્રમાણિત કરવા શાળાના સિક્કા દાગીને લાલ શાહીથી પાનાનંબર આપવા જોઇએ.

   (ii) આવક –જાવક રજીસ્ટરો દર નવા શૈક્ષણિક વર્ષે નવા બનાવવા જોઇએ. 

   (iii) પોસ્ટ દ્વારા જે ટપાલ રવાના કરી હોય તે માટે જેટલા રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ લગાવી હોય તે રકમ પણ જાવક રજિસ્ટરમાં નોંધવી જોઇએ. 

   (iv) આવેલ કાગળની ડાબી બાજુના ભાગે મુખ્યશિક્ષક પોતાની ટુંકી સહી કરી, તે કાગળના મથાળા પર જાવકનંબર /તારીખ નોંધશે. 


(અ)  માત્ર  ii             

(બ) માત્ર  iii          

 (ક)  ii અને  iv            

 (ડ)   ii ,  iii અને  iv 


*15.*   વાલી ફોર્મ કે  વાલી સ્લીપ કયા ધોરણ/ધોરણો માટે ભરાય છે? 

             (અ) ધોરણ 1 થી 8 માટે 

             (બ) માત્ર ધોરણ-1 ના નવીન પ્રવેશ માટે 

             (ક) ધોરણ 8 માટે 

             (ડ) 2 થી 8 ધોરણમાં નવીન પ્રવેશ વખતે




*16.* નીચેનામાંથી કયુ વિધાન અયોગ્ય છે? 

         (અ) વિઝીટ બુકને શેરોપોથી પણ કહે છે. 

         (બ) શિક્ષણ વિભાગના PRE/7051-Dated 27-07-54ના અહેવાલ પત્રકની 17મી કોલમમાં બે પ્રકારની સૂચનાબુકનો ઉલ્લેખ છે. 

         (ક) શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિ સિવાયના અન્ય કોઇ મુલાકાતી માટે શાળાકક્ષાએ ‘પ્રેક્ષકપોથી’ રાખવામાં આવે છે. 

        (ડ) માત્ર ઉપરોક્ત ‘અ’ વિધાન યોગ્ય અને ‘બ’ તથા ‘ક’ અયોગ્ય છે. 


*17.* કાયમી હુકમોની ફાઇલમાં નીચેનામાંથી કયો હુકમ જોવા મળશે નહી?

     (અ) શિક્ષક/મુખ્ય શિક્ષકની નિમણૂકનો હુકમ 

     (બ) વિદ્યાર્થી કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ સંબંધિત હુકમ 

      (ક) શૈક્ષણિક સ્ટાફે કરવાની કામગીરીના નિયમોનો હુકમ 

      (ડ) રાજ્ય શિક્ષક સંઘ તરફથી શિક્ષકોને કામગીરીમાં જોડાવવા / ન જોડાવવા થયેલ હુકમ. 


*18.*  શિક્ષણ વિભાગ કે  શિક્ષણ ખાતા તરફથી થતા કાયમી હુકમ / પરિપત્ર / આદેશ / નિયમો / સુચનાઓ સંદર્ભે નીચીનામાંથી કયા સાહિત્ય/સામયિકનો અભ્યાસ કરશો ? 

        (અ) જીવન શિક્ષણ (GCERT),  જ્ઞાનશક્તિ(SSA)  

        (બ) શિક્ષક જ્યોત (ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘ) 

        (ક) રાજ્ય શિક્ષક સંઘનું પરિપત્રો/આદેશોનું સંકલનાત્મક પુસ્તક ‘ આધાર’ 

        (ડ) વિશ્વ વિહાર (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

જવાબો :-

1. D

2. A

3. D

4. A

5. D

6. B

7. C

8. C

9. B

10. C

11. B

12. C

13. C

14. C

15. B

16. D

17. D

18. D


▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

*સરકારી અને શૈક્ષણિક માહિતી તેમજ બાળકો અને શિક્ષકો માટે નું મટીરીયલ હવે એપ્લિકેશન દ્વારા મેળવવા ડાઉનલોડ કરો

👉🏻https://play.google.com/store/apps/details?id=com.app.ehubcentre


જોઈન ટેલિગ્રામ

https://t.me/gkeduinfo


જોઈન whatsapp

http://bit.ly/સરકારી-માહિતી-વોટ્સએપ-ગ્રૂપમાં-જોડાવા-અહીં-ક્લિક-કરો

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Read More »

કોરોના થયાના કેટલા દિવસ પછી વેક્સિન લેવાય? બધા જ પ્રશ્નોના જવાબ

 

Read More »

મહામારી / અહીં ચૂંટણી ફરજમાં લાગેલા એટલા શિક્ષકોના કોરોનાથી મોત થયા કે હાઈકોર્ટ ભડકી, સરકારને ઝાટકી

 

Read More »