Search This Website

Thursday, July 22, 2021

HUID દ્વારા સરકાર એ જાણી શકશે કે સોનાના અસલી વિક્રેતા કોણ છે.

 

gold hallmark unique id government plan to track each piece of gold sold in the country know more

HUID દ્વારા સરકાર એ જાણી શકશે કે સોનાના અસલી વિક્રેતા કોણ છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: રાજ્યમાં સરેરાશ 81% વરસાદ; દ્વારકામાં 45 ટકા વધુ વરસાદ, સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં રહી

રાજ્યમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે શિક્ષણ વિભાગએ મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગએ બઢતી માટે પરીક્ષાનું માળખું તેમજ અભ્યાસક્રમ નક્કી કર્યો છે. વર્ષમાં એક વાર યોજાનારી આ પરીક્ષામાં 4 પ્રશ્નપત્રો રહેશે. જેમાં 4 પૈકી 3 પ્રશ્નપત્રોના જવાબ પુસ્તકો સાથે આપી શકાશે. આ પરીક્ષા માટે ઉમેદવાર 3 તક સુધી વિના મૂલ્યે પરીક્ષા આપી શકશે. ત્યાર બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરાયેલી ફી ચૂકવીને પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા પાસ કરવા માટે દરેક પ્રશ્નપત્રમાં 50 ટકા ગુણ લાવવાના રહેશે.

EXAM

બિન શૈક્ષણિક કર્મચારીઓની બઢતી માટે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ અમલમાં મૂકવામાં આવેલી છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓની બઢતી માટે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ અમલમાં મૂકવામાં આવેલી છે. આ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ નિયત કરવા માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, આ સમિતિની બેઠક તાજેતરમાં જ મળી હતી. જેમાં ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ નક્કી કરાયું હતું. જેની પર સરકારે મંજૂરીની મહોર મારી હતી.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, નિયમિત નિમણૂંકના 2 વર્ષ બાદ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓ આ પરીક્ષા આપી શકશે. ઉમેદવાર 3 તક સુધી વિનામૂલ્યે પરીક્ષા આપી શકશે જ્યારે એસટી, એસસી ઉમેદવારો ચાર તક સુધી વિના મૂલ્યે પરીક્ષા આપી શકશે. ઉમેદવારને વધારાની તક માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ફી સૂચવવામાં આવશે તે મુજબ ફી ચૂકવીને વધારાની તક મેળવી શકશે.

પરીક્ષા

આ પરીક્ષા માટે 4 પ્રકારના પેપર રહેશે

આ પરીક્ષા માટે 4 પ્રકારના પેપર રહેશે. જેમાં ત્રણ પેપર 100 ગુણના અને 2 કલાકના MCQ પ્રકારના પુસ્તક સાથે આપવાના રહેશે. જ્યારે 1 પેપર 100 ગુણનું 3 કલાકનું વર્ણનાત્મક પ્રકારનું કે જે પુસ્તક વગર આપવાનું રહેશે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓમાં જુનિયર ક્લાર્કની બઢતી માટે લોઅર લેવલ અને સિનિયર ક્લાર્કની બઢતી માટે હાયર લેવલની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે.

જે અનુસાર, લોઅર લેવલ અને હાયર લેવલની પરીક્ષામાં પ્રશ્નપત્ર-1માં શાળા સંબંધી કાયદાઓ અને જોગવાઈઓ, પ્રશ્નપત્ર-2માં ફાઈનાન્સીયલ મેટર, પ્રશ્નપત્ર-3માં મિશેલેનિયસ તેમજ પ્રશ્નપત્ર-4માં ગુજરાતી- અંગ્રેજી ભાષા તથા કચેરી કાર્યપદ્ધતિના પેપર રહેશે. ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્રોના પાસીંગ ધોરણ બાબતે ઉમેદવારને પાસ થવા માટે પેપર દીઠ 50 ટકા ગુણ અને મુક્તિ માટે 60 ટકા ગુણ મેળવવા જરૂરી રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી રાખવાનું રહેશે.

ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં ગુજરાત સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 22 જુલાઇ 2021 ગુરૂવાર

આજે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનાં આગેવાની હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 એટલે કે સોમવારથી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, 

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.




જો કે રાજ્ય સરકારે જણાવ્યું છે કે 50 ટકા કેપેસિટી સાથે જ વર્ગો શરૂ કરી શકાશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. 

તેની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલું રહેશે. તે ઉપરાંત સ્કૂલોમાં કોરોના સંક્રમણને નિયંત્રણ રાખવા માટે કોરોના ગાઇડલાઇનનું ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. 

No comments:

Post a Comment