Search This Website

Wednesday, July 14, 2021

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા દરદીમાં વધારો થતાં સરકાર ચિંતામાં




મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા દરદીમાં વધારો થતાં સરકાર ચિંતામાં




રાજ્યમાં નવા 8602 કેસ, 170 દરદીના મોત, મુંબઈમાં 10ના મોત, નવા 635 કેસ


મુંબઇ : મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાની દૈનિક સંખ્યામાં વધારો નોંધાયો છે. આથી સરકાર ચિંતામાં પડી ગઈ છે. આજે કોરોનાના નવા ૮૬૦૨ દરદી નોંધાયા હતા અને ૧૭૦ દરદીના મોત થયા હતા. જ્યારે ૬૦૬૭ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાના ૧,૦૬,૭૬૪ દરદી સક્રીય છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૧,૮૧,૨૪૭ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૨૬૩૯૦ થઈ છે.

જ્યારે કોરોનના ૫૯,૪૪,૮૦૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. અને અત્યારે ૫,૮૦,૭૭૧ દરદી હોમ ક્વોરન્ટાઇન છે અને ૪૩૦૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટાઇન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના નવા ૬૩૫ કેસ નોંધાયા હતા અને ૧૦ દદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૨૯૨૫૦ થઈ છે. મરણાંકની સંખ્યા ૧૫૬૫૪ થઈ છે. શહેરમાં આજે કોરોનાના ૫૮૨ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૫૮૨ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૭૦૪૨૫૯ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે શહેરમાં ૬૯૮૯ કોરોના એક્ટિવ કેસ હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

No comments:

Post a Comment