રાજ્યમાં એક્ટિવ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા હાશકારો: આજે નવા 1333 કેસ નોંધાયા, 18ના મોત
૧૩ માર્ચ બાદ પહેલીવાર ૧૪૦૦થી ઓછાં કેસ
- વડોદરામાં સૌથી વધુ ૨૩૫, અમદાવાદમાં ૨૩૨, સુરતમાં ૧૭૭ કેસ નોંધાયા
- ૨૬,૨૩૨ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ
અમદાવાદ, તા. 2 જૂન 2021, બુધવાર
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાતા લોકોને થોડી રાહત થઇ છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૧૩૩૩ કેસ અને ૧૮ મોત નોંધાયા છે. ૧૩ માર્ચ બાદ ગુજરાતમાં પહેલીવાર ૧૪૦૦થી ઓછાં કેસો નોંધાયા છે. આજે સૌથી વધુ વડોદરામાં ૨૩૫, અમદાવાદમાં ૨૩૨, સુરતમાં ૧૭૭ અને રાજકોટમાં ૧૧૬ કેસ નોંધાયા છે. નવાં ૧૩૩૩ દર્દીઓ સામે ૪૦૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૬,૨૩૨ થઇ છે.
વડોદરામાં ૨૩૫, અમદાવાદમાં ૨૩૨, સુરતમાં ૧૭૭ અને રાજકોટમાં ૧૧૬, જૂનાગઢમાં ૮૦, જામનગરમાં ૪૮, વલસાડમાં ૩૦, અમરેલીમાં ૨૯, કચ્છમાં ૨૯, ભરૃચમાં ૨૮, ભાવનગરમાં ૨૮, નવસારીમાં ૨૮, ગીર-સોમનાથમાં ૨૭, સાબરકાંઠામાં ૨૭, બનાસકાંઠામાં ૨૬, ખેડામાં ૨૬,પંચમહાલમાં ૨૬, મહેસાણામાં ૨૨ અને પોરબંદરમાં ૨૨ કેસ નોંધાયા છે. આ સિવાયના જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં ૧૮ કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં પાંચ મૃત્યુ નોંધાયા છે અને ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૯૮૭૩ પર પહોંચ્યો છે.
No comments:
Post a Comment