Search This Website

Tuesday, May 4, 2021

કોરોનાના કારણે JEE મેઈન મે સત્રની પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત





કોરોનાના કારણે JEE મેઈન મે સત્રની પરીક્ષા સ્થગિત, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

-May 04, 2021











નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મે સત્રની જોઈન્ટ એન્ટ્રસ મેઈન એક્ઝામ (JEE Main)ને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. મે સેશનની એક્ઝામ 24 થી 28 મે દરમિયાન આયોજિત થવાની હતી. પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કોરોના વાઈરસના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા લેવામાં આવ્યો છે. JEE Main Exam




Looking at the present situation of COVID-19 and keeping students safety in mind, JEE (Main) – May 2021 session has been postponed .
Students are advised to keep visiting the official website of NTA for further updates.@DG_NTApic.twitter.com/utMUGrmJNi

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 4, 2021



આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ પોતાના ટ્વીટર હેન્ડલ પર પરીક્ષાને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, કોરોનાની વર્તમાન સ્થિતિ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેઈઈ મેઈન-મે 2021 સત્રની એક્ઝામ સ્થગિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વધુ અપડેટ માટે NTAની સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ રહે.

આ પણ વાંચો: દિલ્હીમાં ઑક્સિજન સંકટ પર હાઈકોર્ટની કેન્દ્રને ફટકાર- ‘તમે આંખો બંધ કરી શકો છે, અમે નહીં’ JEE Main Exam

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી આ વર્ષે 4 સત્રોમાં JEE Main-2021 એક્ઝામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી પ્રથમ બે સત્રો ફેબ્રુઆરી અને માર્ચ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ સત્રમાં 6,20,978 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને બીજા સત્રની પરીક્ષામાં 5,56,248 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. JEE Main Exam

No comments:

Post a Comment