Highlight Of Last Week
- Dhoran 10 vigyan mate question best book badha prakaran ni ssc ni book ni pdf
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- UPમાં 2 મોટી ઘટના: એકબાજુ ગંગા કાંઠેથી મળી દફન કરેલ મૃતદેહો, બીજી બાજુ 16 ડોક્ટરોના ધડાધડ રાજીનામાં
- Post GDS Recruitment: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી
- અંબાલાલ વરસાદની આગાહી: ગુજરાત માટે ચોમાસુ 2023 તારીખો અને આગાહીઓ
Search This Website
Sunday, May 2, 2021
કોરોના થયાના કેટલા દિવસ પછી વેક્સિન લેવાય? બધા જ પ્રશ્નોના જવાબ
કોરોના થયાના કેટલા દિવસ પછી વેક્સિન લેવાય? બધા જ પ્રશ્નોના જવાબ
ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં પ્રતિદિવસ 3-4 લાખ કોવિડ કેસો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે, 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અનેક લોકોના મનમાં પ્રશ્ન છે કે, કોરોનાથી સંક્રમિત થયા પછી ક્યારે વેક્સિન લેવી યોગ્ય રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, તમારે સંક્રમણના કેટલા દિવસ પછી વેક્સિન લગાવવી જોઈએ, જાણો:
મને હાલમાં કોવિડ સંક્રમણ છે. હું ક્યારે વેક્સિન લગાવી શકું છું?
એવી સલાહ આપવામાં આવી રહી છે કે, વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવા માટે કોવિડથી 14 દિવસની રિક્વરી પછી બેથી આઠ સપ્તાહની રાહ જોવી જોઈએ.
તે ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખો કે, કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ભલે પહેલા સંક્રમણ થયું હોય.
મને હજું સધી ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી, પરંતુ લક્ષણ કોવિડના છે. શું હું વેક્સિન લગાવી શકું છું?
નહીં. જો તમારામાં કોવિડ-19ના લક્ષણ છે તો તમે વેક્સિન લગાવી શકો નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર બીજા લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. લક્ષણના ખત્મ થયાના ઓછામાં ઓછા બે સપ્તાહ પછી વેક્સિન લઈ શકાય છે.
મેં વેક્સિનનો એક ડોઝ લીધો છે, પરંતુ આગામી ડોઝથી પહેલા કોવિડ થઈ ગયો. શું હું બીજો ડોઝ લઈ શકું છું?
હાં. તમારે રસી ચોક્કસ રીતે લેવી જોઈએ. જોકે, તમે બધી જ રીતે રિક્વર થાવ ત્યાર સુધી રાહ જોવી પડશે, રિક્વરીના ઓછામાં ઓછા ચાર સપ્તાહ પછી બીજો ડોઝ લઈ શકો છો.
કોવૈક્સિનનો બીજો ડોઝ 28 દિવસોમાં લઈ લેવાનો છે. જો હું 28 દિવસના ગાળામાં લેવામાં સફળ ના થયો તો?
જો તમે પોતાની કોવિડ વૈક્સિનની તારીખ મિસ કરી દીધી છે, તો તમે બીજી વખત એપોઈન્ટમેન્ટ લઈ શકો છો. કોશિશ કરો કે, વેક્સિનનો બીજો ડોઝ, પ્રથમ ડોઝના 28થી 42 દિવસની અંદર લઈ લો.
કોવિશીલ્ડ વૈક્સિનના બીજા ડોઝમાં કેટલો અંતર હોવો જોઈએ?
કોવિશીલ્ડ વૈક્સીનનો પ્રથમ ડોઝ લીધા પછી, બીજો ડોઝ છથી આઠ સપ્તાહન વચ્ચે લઈ શકાય છે.
વૈક્સિન લીધા પછી જો મને કોવિડ સંક્રમણ થાય છે, તો મારા થકી તે ચેપ બીજાઓને લાગી શકે છે?
હાં. વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ જો તમને કોવિડ થયો છે, તો તમે આનાથી બીજા લોકોને સંક્રમિત કરી શકો છો. કોવિડ સંક્રમણ થયા પછી તરત જ પોતાને આઈસોલેટ કરો અને હંમેશા માસ્ક પહેરેલો રાખો.
શું કોવિડ સંક્રમણ પછી વૈક્સિનનો બીજો ડોઝ લેવાથી વેક્સિનની એફિશિએસી ઓછી થઈ જશે?
આ સંબંધમાં અત્યાર સુધી વધારે સ્ટડીઝ થઈ નથી. જોકે, ડોક્ટરો વારં-વાર કહી રહ્યાં છે કે, વૈક્સિનના બંને ડોઝને કોવિડના પરમાનેન્ટ સારવારના રૂપમાં જોવા જોઈએ નહીં. વૈક્સિનથી બિમારીની ગંભીરતામાં ઘટાડો થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment