Search This Website

Saturday, May 1, 2021

કોરોના: 300 વૈજ્ઞાનિકોનો PM મોદીને પત્ર, ‘નવા વેરિએન્ટ પર સમયસર રિસર્ચ જરૂરી’




કોરોના: 300 વૈજ્ઞાનિકોનો PM મોદીને પત્ર, ‘નવા વેરિએન્ટ પર સમયસર રિસર્ચ જરૂરી’














દેશમાં પ્રતિદિવસ સ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળી રહી છે. પાછલા કેટલાક દિવસોથી સ્થિતિ એટલી વિસ્ફોટક બની ગઈ છે કે, સાઢા ત્રણ લાખથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યાં છે. હવે માત્ર કેસોમાં વધારાની સાથે-સાથે અનેક રાજ્યોમાં વાયરસના ખતરનાક વેરિએન્ટ પણ જોવા મળી રહ્યાં છે. પછી તે ડબલ મ્યૂટેનન્ટ હોય અથવા બંગાળોનો ટ્રિપલ મ્યૂટેન્ટ. સ્થિતિની ગંભીરતાને સમજતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.




300 વૈજ્ઞાનિકોનો પીએમ મોદીને પત્ર

પત્ર લખીને પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે, દેશના વૈજ્ઞાનિકોને બધી જ રીતના ડેટાનું અધ્યન કરવાની અનુમતિ મળે જેનાથી વાયરસને સારી રીતે સમજી શકાય અને સમય રહેતા જરૂરી પગલાઓ ઉઠાવી શકાય.અશોકા યૂનિવર્સિટીના પ્રોફેસર શશિધરા અને કોલકાતાના NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજમૂદારે આ પત્રનો ડ્રાફ્ટ કર્યો છે. શશિધરાએ ભાર આપીને કહ્યું છે કે, દેશમાં કોરોનાના કારણે સ્થિતિ બગડતી જઈ રહી છે અને જો સમય રહેતા જરૂરી પગલાઓ ભરવામાં આવશે નહીં તો સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે.

તેમને જણાવ્યું કે, વૈજ્ઞાનિકોને હવે દરેક રીતના ડેટાના ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. આવું થતા જ આ મહામારી સામે વધારે પ્રભાવી રીતે લડી શકાશે અને અનેક રીતના પગલાઓ પહેલાથી જ ઉઠાવી લેવામાં આવશે.

નવા વેરિએન્ટ પર રિસર્ચ કરવાની અપીલ

પત્રમાં આ વખતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, દેશમાં કોરોનાના કેસો ખુબ જ ઝડપી રીતે વધી ગયા છે. અનેક સરકારી આંકડાઓ જણાવે છે કે, વર્તમાનમાં જે સક્રિય કેસો નજરે આવી રહ્યાં છે, અસલમાં તેનાથી 20 ગણા વધારે સામે આવી ચૂક્યા છે. એવામાં અનેક લોકો ના માત્ર વાયરસને ફેલાવી રહ્યાં છે પરંતુ અસલમાં સમાજમાં સુપર સ્પ્રેડરની ભૂમિકા પણ ભજવી રહ્યાં છે.

એવામાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો સમય રહેતા સટીક ભવિષ્યવાણી કરી દેવામાં આવે, તો સરકાર અનેક જરૂરી પગલા ભરી શકે છે અને લોકોનો જીવ બચાવી શકે છે. પત્રમાં કોરોનાના દેખાઈ રહેલા નવા વેરિએન્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, તેના ઉપર પણ અધ્યન કરવું ખુબ જ જરૂરી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, વૈજ્ઞાનિકોને મોટા સ્તરે વાયરલ જિનોમ સિક્વિન્સીંગ કરવા દેવામાં આવે.

ફંડ સાથે જોઈએ બધી જ પરવાનગી

પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે, આ મુશ્કેલ સમયમાં તેમની સરકાર તરફથી વૈજ્ઞાનિકોને ફંડ આપવાની જગ્યાએ દરેક રીતની પરમીશન અને સપોર્ટ આપવામાં આવે. વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, જો સમયસર કોરોનાને લઈને જરૂરી રિસર્સ પૂર્ણ થાય છે તો આનાથી દેશની સાથે-સાથે મોટા સ્તરે ચાલી રહેલી તબાહી પર અંકુશ લાગશે.

No comments:

Post a Comment