
ગુજરાતમાં કોરોનાનું તોફાન નબળું પડ્યું, છેલ્લા 24 કલાકમાં નવા કેસનો આંકડાઓ જાણીને રાહતનો શ્વાસ લેશો
posted on at
- ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
- 24 કલાકમાં કોરોનાના 9,061 નવા કેસ સાથે 95 દર્દીના થયાં મોત
- અત્યાર સુધીમાં 1,47,18,861 લોકોને અપાઇ રસી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,210 નવા કેસ નોંધાયા છે, તો 82 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે.
છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9121 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,483 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,38,590 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 797 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,04,908 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, આજે રાજ્યમાં 31301 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2240 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 482 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 223 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 519 કેસ, જ્યારે ગ્રામ્યમાં 363 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 372 કેસ અને ગ્રામ્યમાં 163 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત….
No comments:
Post a Comment