Search This Website

Thursday, April 8, 2021

PM મોદીએ લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, કહ્યું- રસીથી હરાવીશું વાયરસને




PM મોદીએ લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, કહ્યું- રસીથી હરાવીશું વાયરસને








કોરોનાથી વધતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પોતે વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, મેં આજે દિલ્હી એમ્સમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો. તે સાથે જ પીએમ મોદીએ પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવાની અપીલ કરતાં કહ્યું કે, રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવાના કેટલીક રીતોમાંથી એક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ પણ પોંડૂચેરીની સિસ્ટર પી નિવેદાએ આપી. તેમના સાથે પંજાબની નર્સ નિશા શર્મા હાજર રહી હતી.

પીએમ મોદી આજે કરવાના છે મોટી મીટિંગ



કોરોનાની બીજી લહેરના મોટા ખતરા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી મીટિંગ કરવાના છે. બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ મીટિંગ ત્યારે થઈ રહી છે, જ્યારે વેક્સિનેશન પણ વિવાદ ચાલી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન મહારાષ્ટ્ર જેવા રાજ્યો પર ભડકી ગયા કે વેક્સિનેશનને લઈને રાજનીતિ કરી રહ્યાં છે.

અત્યાર સુધી દેશમાં 9 કરોડ વેક્સિનની ડોઝ આપવામાં આવી

મહારાષ્ટ્રે કહ્યું હતુ કે, કેન્દ્ર વેક્સિન આપવાની સ્પીડ વધારે કેમ કે તેમના પાસે માત્ર 3 દિવસનો સ્ટોક બચ્યો છે. મહારાષ્ટ્ર જેવા રાજ્ય વેક્સિનેશનમાં ઉંમરની સીમાને પણ ખત્મ કરવાની માંગ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી દેશમાં 9 કરોડથી વધારે કોરોના વેક્સિનની ડોઝ આપવામાં આવી ચૂકી છે.

No comments:

Post a Comment