Search This Website

Tuesday, April 6, 2021

આહાર-વિહારના સૂચનો કોરોના દરમ્યાન

 

આહાર-વિહારના સૂચનો

આહાર :

  • ઘરનો સાત્વિક, સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો.
  • વાસી ખોરાક,આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ,ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહી.
  • વિરુધ્ધ આહારનું સેવન ના કરવું. તેમજ ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી.
  • મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.
  • શાકભાજીમાં કારેલા, પરવળ, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો ,આદુ ,હળદર , લસણ અને ફુદીનો લેવા.
  • પચવામાં ભારે તથા ચિકણા શાકભાજી ના ખાવા.
  • ફળમાં પપૈયા,દાડીમ, આમળા જેવા ફળ લેવા.
  • પાણી અડધુ ઉકાળીને હુંફાળુ જ પીવું અથવા સૂંઠ નાખી ઉકાળેલુ પાણી લેવું.
  • ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.

વિહાર :

  • સ્વચ્છતા આસપાસની, ઘરની અને વ્યક્તિગત જાળવવી.
  • ભીડભાડ વાળી જગ્યાએ બિનજરુરી જવુ નહી. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
  • ખાસ હાથની સફાઇ કરવી બિનજરુરી આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો.
  • શરદી ખાંસીના દરદીઓથી અંતર રાખવું.
  • વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રોનો જાપ કરવો. હ્ળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.
  • એકકાલ ભોજન - દિવસમાં એક વાર ભોજન લેવું. સૂર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવૂં.
  • જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ના લેવો.
  • દિવસે ખાસ કરીને જમીને સુવુ નહી. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહી.
  • હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા.
  • સવારમા નાકમાં નવસેકા તલના તૈલના બે બે ટીપા નાખવા. અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
  • સંધ્યાકાળે ઘરમાં (સલાઇ ગુગળ, ઘોડાવજ,સરસવ ,લીમડાના પાન અને ગાયના ઘી)નો ધૂપ કરવો.
  • ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.

No comments:

Post a Comment