Search This Website

Monday, April 26, 2021

WhatsApp ન્યુઝ અપડેટ


WhatsApp

  • વોટસએપ ગ્રૂપના એડમિન્સ 
  • માટે મસ્ત સમાચાર,
  • હાઇકોર્ટે ચુકાદો જાણો

મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે દ્વારા 

  • WhatsApp ગ્રુપ્સના એડમીન્સને 
  • ચિંતા માંથી મુક્તિ આપતો ચુકાદો આપ્યો છે. 
  • કોર્ટે કહ્યું કે WhatsApp ગ્રુપમાં રહેલા 
  • કોઈ સભ્ય દ્વારા પોસ્ટ કરાયેલા 
  • અશ્લીલ સાહિત્ય બદલ 
  • એડમિનને જવાબદાર ગણી શકાય નહીં. 
  • ગ્રુપ એડમિન ઉપર ખોટી 
  • અથવા વાંધાજનક પોસ્ટ બદલ 
  • ગુનાહિત કાર્યવાહી કરી શકાય નહીં. 
  • આ સાથે જ અદાલતે 
  • 33 વર્ષીય યુવક વિરુદ્ધ 
  • નોંધાયેલા કેસને ફગાવી દીધો હતો.

શા  માટે આપ્યો આવો ચુકાદો ?

  • અદાલતે  22 એપ્રિલે આપેલ નકલ મુજબ 
  • જસ્ટિ અને જસ્ટિસ એ.બી.બોરકરની પીઠે 
  • પોતાના ચુકાદામાં કહ્યું કે 
  • વોટસએપના એડમિન પાસે
  • માત્ર ગ્રુપના સભ્યોને જોડવા 
  • અથવા હટાવવાનો જ અધિકાર હોય છે 

એડમિન પાસે એવા કોઈ અધિકાર નથી 

  • અને ગ્રુપમાં અપલોડ કરાયેલી કોઈ પોસ્ટ 
  • અથવા વિષયવસ્તુને નિયંત્રિત કરવા 
  • અથવા તેને રોકવાની ક્ષમતા હોતી નથી. 
  • અથવા એ પોસ્ટને ડિલીટ કરી શકતા નથી 

ગ્રુપના એડમિન કિશોર પર થયો હતો કેસ 

  • કોર્ટે વોટસએપ ગ્રુપના એડમિન કિશોર તરોનેની 
  • અરજી પર આ ચુકાદો આપ્યો છે. 
  • તરોનેએ ગોંદીયા જિલ્લામાં પોતાના 
  • વિરુદ્ધ 2016માં કલમ 354-એ(1)(4) 
  • 354-એ(1)(4)(અશ્લીલ ટીપ્પણી)
  • 509 (મહિલાની ગરિમા ભંગ કરવા) 
  • 107 (ઉશ્કેરવા) 
  • તેમજ અન્ય કલમો હેઠળ નોંધાયેલા 
  • ગુનાઓને ફગાવવાનો અનુરોધ કર્યો હતો.

ગ્રુપના એડમિન વિરુદ્ધ કેવા હતા આરોપ 

  • ગ્રુપમાં અશ્લીલ ટીપ્પણી કરનાર ને 
  • ગ્રુપમાંથી કાઢ્યો કે નહી  
  • અને માફી માંગવા માટે પણ ના કહ્યું

ગ્રુપના એડમિનનો બચાવ 

  • કિશોર તરોનેએ પોતાના પક્ષમાં કહ્યું હતું કે 
  • ગ્રુપમાં પોસ્ટ કન્ટેન્ટ સાથે તેને 
  • કશા જ લેવા-દેવા નથી.
  • કિશોર તરોનોએ આક્ષેપ કર્યો હતો 
  • કે તે પોતાના વોટસએપ ગ્રુપના 
  • એ મેમ્બર વિરુદ્ધ પગલાં ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો 
  • જેણે ગ્રુપમાં મહિલા સભ્ય વિરુદ્ધ 
  • અશ્લીલ અને અમર્યાદિત ટીપ્પણી કરી હતી. 

કોર્ટે તરોનેના પક્ષમાં ચુકાદો આપ્યો  

  • તમામ દલીલો સાંભળ્યા બાદ 
  • કોર્ટે તરોનેના પક્ષમાં ચુકાદો આપ્યો 
  • તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને પણ રદ્દ કરી હતી.

અદાલતે ચુકાદામાં શું કહ્યું 

  • અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું કે 
  • જો વોટસએપ ગ્રુપનો કોઈ મેમ્બર 
  • વાંધાજનક પોસ્ટ કરે છે તો 
  • તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
  • અશ્ર્લીલ ક્ધટેન્ટ માટે કોઈ 
  • એડમિનને ત્યાં સુધી જવાબદાર ન માની શકાય 
  • જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે 
  • તે પણ આ કોમેન્ટ માટે જવાબદાર છે કે નહીં ?

No comments:

Post a Comment