Search This Website

Wednesday, April 7, 2021

‘વિશ્વ આરોગ્ય દિવસ’ પર સારા સમાચાર, દુર્લભ બીમારીથી પીડિત ધૈર્યરાજ માટે 42 દિવસમાં ₹ 16 કરોડ જમા




‘વિશ્વ આરોગ્ય દિવસ’ પર સારા સમાચાર, દુર્લભ બીમારીથી પીડિત ધૈર્યરાજ માટે 42 દિવસમાં ₹ 16 કરોડ જમા







અમદાવાદ: દુર્લભ બીમારીથી પીડાતા ગુજરાતના મહિસાગર જિલ્લાના કાનેસર ગામના ધૈર્યરાજ સિંહ રાઠોડની સારવાર માટે 42 દિવસમાં જ 16,06,32,884 રૂપિયાનું દાન જમા થઈ ગયું છે. 3 મહિનાનો ધૈર્યરાજ સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ (SMA-1)નામની બીમારી સામે જજૂમી રહ્યો છે.








ધૈર્યરાજની જન્મજાત બીમારીની જાણ થતાં ડૉક્ટરોએ સારવાર માટે રાઠોડ પરિવારને એક વર્ષમાં 16 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. જેથી એ રૂપિયાથી અમેરિકાથી આવતું મોંઘુ ઈન્જેક્શન મંગાવી શકાય. બે લાખથી વધારે દાતાઓએ દિલ ખોલીને દાન કરતાં 42 દિવસમાં જ 16.6 કરોડ રૂપિયાનું ફંડ જમા થઈ ગયુ છે. Dhairyaraj Singh Donation

ધૈર્યરાજની મદદ માટે તેના પિતાના નામે ખોલવામાં આવેલા બેંક ખાતામાં હજુ પણ રકમ જમા થઈ રહી છે. 7 માર્ચે ધૈર્યરાજની સારવાર માટે એ NGOની મદદથી ખોલવામાં આવેલા બેંક ખાતામાં 16 લાખ રૂપિયા હતા. આ આંકડો એક મહિના બાદ 6 એપ્રિલે 16 કરોડની પાર પહોંચી ગયો છે. રૂપિયાની વ્યવસ્થા થયા બાદ ધૈર્યરાજની હવે મુંબઈમાં સારવાર થશે.

આ અંગે ધૈર્યરાજના પિતા રાજદીપ રાઠોડે જણાવ્યું કે, પુત્ર ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી. આ માટે દરેક શહેરમાં ફરી-ફરીને મદદ માંગવામાં આવી. લોકોએ પણ ભરપુર સહકાર આપ્યો જેના કારણે આ રકમ એકઠી થઈ શકી.

દરેક ધર્મના લોકો અને ભારત જ નહીં વિદેશોમાંથી પણ આર્થિક મદદ મળી છે. અમેરિકાથી આવનારા ઈન્જેક્શન પર 6 કરોડ રૂપિયાનો ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા માફ કરવામાં આવ્યા બાદ ઈન્જેક્શન મંગાવવામાં આવશે. 16 કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થશે, તો એ પૈસાથી અમે ધૈર્યરાજની જેમ ગંભીર બીમારીથી પીડિત બાળકોની મદદ કરીશું.




No comments:

Post a Comment