ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! 24 કલાકમાં 2875 નવા કેસ, અત્યાર સુધીમાં થયેલા મોતનો આંકડો ચોંકાવનારો
posted on at
- ગુજરાતમાં કોરોના બેકાબૂ
- 24 કલાકમાં કોરોનાના 2875 કેસ સાથે 2024 દર્દીઓ થયાં સાજા
- અત્યાર સુધીમાં 4566 લોકોના થયાં મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4566 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 664 કેસ અને ગ્રામ્યમાં 123 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 545 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 179 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 309 કેસ, જ્યારે ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 233 કેસ અને ગ્રામ્યમાં 43 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 64,84,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,83,043 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 72,72,484 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમદાવાદ શહેર માઇક્રો કન્ટેઈનમેન્ટ વધ્યા
અમદાવાદ શહેરમાં શિક્ષણ સંસ્થાઓમાં જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કોરોનાએ રફ્તાર પકડી છે. શહેરમાં 29 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, બોપલ, સાબરમતી, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે. હાલ શહેરમાં કુલ 269 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. સૌથી વધુ બોડકદેવના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બોડકદેવના 101 મકાનોના 360 લોકોને કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. બોપલના ગાર્ડન પેરેડાઇઝના 48 ઘર માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.
No comments:
Post a Comment