Highlight Of Last Week
- વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
- Dhoran 10 vigyan mate question best book badha prakaran ni ssc ni book ni pdf
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- UPમાં 2 મોટી ઘટના: એકબાજુ ગંગા કાંઠેથી મળી દફન કરેલ મૃતદેહો, બીજી બાજુ 16 ડોક્ટરોના ધડાધડ રાજીનામાં
- મધ્યાહન ભોજન યોજના (MDM) સબંધિત પરિપત્રો.
Search This Website
Saturday, April 3, 2021
ભારતમાં મેના અંત સુધી કોરોના કેસોની સંખ્યા 1.4 કરોડ થઇ જશે: રિસર્ચ
ભારતમાં મેના અંત સુધી કોરોના કેસોની સંખ્યા 1.4 કરોડ થઇ જશે: રિસર્ચ
By Gkeduinfo.com
-April 04, 2021
કોરોના વાયરસની બીજી લહેર દરેક દિવસે નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. ઝડપી વધી રહેલા સંક્રમણ વચ્ચે બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ (IISC)ના એક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાની હાજરી ટ્રેંડ રજૂ રહે છે તો મેના અંત સુધી કોરોના કેસોની સંખ્યા 1.4 કરોડને પાર થઈ શકે છે અને આ સમયે એક્ટિવવ કેસ લોડ લગભગ 3.2 લાખ થશે. સંશોદનકર્તાઓનું કહેવું છે કે, એપ્રિલના મધ્યનો સમય સંક્રમણનો પીક હોઈ શકે છે. જ્યારે એક્ટિવ કેસ 7.3 લાખ પહોંચી શકે છે. આ રિસર્ચ અનુસાર, મેના અંત સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, કોરોનાની વેક્સિન લાગી જાય અને કોરોનાના નિયમોનું પાલન થાય તો આને રોકી શકાય છે.
IISCના પ્રોફેસર શશિકુમાર અને દીપકનો અનુમાન કોરોનાના વર્તમાન ટ્રેંડ પર આધારિત છે. અનુમાન અનુસાર, એકમાત્ર કર્ણાટકમાં એપ્રિલના અંત સુધી કેસોની સંખ્યા 10.07 લાખ સુધી પહોંચી શકે છે.
કોરોનાની બીજી લહેર ખુબ જ ઝડપી રીતે આગળ વધી રહી છે અને પાછલા દિવસની સરખામણીમાં પ્રતિદિવસ 9 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર શનિવારે 24 કલાકની અંદર દેશમાં 89,129 નવા કેસ નોંધાયા અને 714 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 23 લાખથી વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,64,110 લોકોના મોત થઈ ચૂક્યા છે. શનિવાર સુધીમાં દેશમાં 6,58,909 એક્ટિવ કેસ છે.
શનિવારે થયેલા કુલ 714 મોતોમાંથી 85.85% માત્ર 5 રાજ્યોમાં થઈ. આ પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 481 મોતો થઈ છે. પંજાબમાં 57, છત્તીસગઢમાં 43, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 16-16 મોતો થઈ છે. દેશના 77.3 ટકા એક્ટિવ કેસ માત્ર 5 રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરલ અને પંજાબમાં છે. જેમાં મહારાષ્ટ્રો શેર સૌથી વધારે 59.36 ટકા છે. બીજી તરફ જેટલા નવા કેસ આવ્યા છે તેમનો 81 ટકા માત્ર 8 રાજ્યોમાંથી છે. સૌથી વધારે પ્રભાવિત આઠ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તમિલનાડૂ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment